1. Home
  2. Agency News

Agency News

PM મોદીએ બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યોઃ જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પત્રમાં?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – PM Modi wrote a letter to the new Prime Minister of Bangladesh વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવનિયુક્ત પ્રધાનમંત્રીને એક પત્ર મોકલીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ આ પત્ર દ્વારા ભારત-બાંગ્લાદેશ સંબંધને મજબૂત કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાનને લખેલો આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ […]

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા-વિચારણા

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit 2026 નવી દિલ્હીમાં યોજાઈ રહેલી AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ છે. આજે દિવસ દરમિયાન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ – કૃત્રિમ બુદ્ધિમત્તા વિષય ઉપર અલગ મુદ્દે મહત્ત્વની ચર્ચા – વિચારણા થશે. 16 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ સમિટ 20મી સુધી ચાલશે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના મહાકુંભ તરીકે પણ […]

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જામીન ન મળ્યા, કોર્ટે કહ્યું તમે…

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026 – Rajpal Yadav ફિલ્મોમાં નૈતિકતા અને પ્રામાણિકતાના અભિનય કરનાર અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં જામીન મળ્યા નથી. જામીન નકારતા કોર્ટે કહ્યું કે, તમે તમારું પોતાનું વચન પાળ્યું નથી. ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી હાલમાં કોઈ રાહત મળી નથી. રાજપાલ યાદવની સજા મોકૂફ રાખી જામીન પર મુક્ત કરવાની અરજી […]

દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ સમાચાર વાચક સરલા માહેશ્વરીનું નિધન

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026: Sarla Maheshwari દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય સમાચાર વાચક શ્રીમતી સરલા માહેશ્વરીનું આજે 12 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તેમના અવસાનને ટીવી પત્રકારત્વના એક સુવર્ણ યુગના અંત સમાન માનવામાં આવે છે. સરલા માહેશ્વરીના પરિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના અંતિમ સંસ્કારની જાણકારી આપી હતી. જે મુજબ આજે જ […]

BMC મેયરપદનું કોકડું છેવટે ઉકેલાયું, ભાજપના રીતુ તાવડેની પસંદગી

મુંબઈ, 7 ફેબ્રુઆરી, 2026: Ritu Tawde બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના નવા મેયરપદ માટે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અને સસ્પેન્સનો આખરે આજે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મેયરપદ માટે મહિલા કોર્પોરેટર રિતુ તાવડેના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મુંબઈ મહાનગરપાલિકાના ઈતિહાસમાં છેલ્લા 40 વર્ષમાં આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે ભાજપનો કોઈ ઉમેદવાર મેયરની […]

તિરૂપતિના પ્રસાદના લાડુ અંગે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો ચિંતાજનક દાવોઃ જાણો શું કહ્યું?

તિરુપતિ, 6 ફેબ્રુઆરી, 2026 – Tirupati’s Prasad laddu તિરુપતિ બાલાજી યાત્રાધામના લાડુના પ્રસાદનો મામલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની સરકારના સમયે પ્રસાદમાં થઈ રહેલી મિલાવટના સંદર્ભમાં આજે નવો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે. ચંદ્રબાબુ નાયડુએ હવે નવો દાવો કર્યો છે કે જગન સરકાર દરમિયાન લાડુ બનાવવા માટે જે […]

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. બહેન માયાવતીએ તેમના […]

ઓવૈસીના પક્ષના નેતાએ 300 હિન્દુ મહિલાઓનું જીવન બરબાદ કર્યું, મામલો પહોંચ્યો સીએમ યોગી સુધી

લખનૌ, 5 ફેબ્રુઆરી, 2026 – 300 Hindu women દેશમાં અનેક ક્ષેત્રમાંથી વારંવાર ધર્માંતર, હિન્દુ મહિલાઓ સાથે છેતરપિંડી, દુષ્કર્મ, લવ જેહાદના સમાચાર આવ્યા જ કરે છે. આવા જ એક સમાચાર ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાંથી આવ્યા છે. અહીં અસદુદ્દીન ઓવૈસીના પક્ષના એક નેતાએ ખૂબ મોટા પાયે હિન્દુ મહિલાઓ સાથે ગંભીર છેતરપિંડી અને ધર્માંતરનું એક મોટું કૌભાંડ છતું થયું […]

વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકતઃ અધ્યક્ષ ઓમ બિરલાનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી, 2026 – Speaker Om Birla’s shocking revelation – વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકત તેવો ચોંકાવનારો ખુલાસો અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યો છે. રાષ્ટ્રપતિના સંયુક્ત સત્રને સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ ઉપર બે દિવસની ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે બુધવારે સાંજે તેમનો જવાબ આપવાના હતા. જોકે, વિપક્ષી સાંસદોએ અને ખાસ કરીને વિપક્ષી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code