1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ઈન્ડિયન એરફોર્સને મળ્યું પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ

નવી દિલ્હીઃ ભારતે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે, દેશને પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન મળ્યું છે. ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજક Mk1A એ શુક્રવારે સફળ ઉડાન ભરી હતી. તેમજના સફળ પરીક્ષણ હિંદુસ્તાન એયરોનોટિક્સ લીમીડેટ(HAL)ની નાસીકની ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું. HALના LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે ત્રીજી પ્રોડક્શન લાઈન અને એચટીટી-40 ટ્રેનર વિમાનની બીજી પ્રોડક્શન લાઈનનું […]

રાજનાથ સિંહે DRDOની સ્વદેશી પેરાશૂટ સિસ્ટમને ‘ઐતિહાસિક સિદ્ધિ’ ગણાવી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત સ્વદેશી લશ્કરી લડાઇ પેરાશૂટ સિસ્ટમ (MCPS) ને દેશના સંરક્ષણ આત્મનિર્ભરતા તરફ “ઐતિહાસિક સિદ્ધિ” ગણાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રાજનાથ સિંહે લખ્યું, “રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ! ભારતે DRDO દ્વારા વિકસિત સ્વદેશી લશ્કરી લડાઇ પેરાશૂટ સિસ્ટમ (MCPS) નો ઉપયોગ કરીને […]

સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ 1945ની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છેઃ ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપનાર દેશોના સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન વિદેશ મંત્રીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર આજે પણ 1945ના સમયને દર્શાવે છે. તેમણે કહ્યું કે, યુએનએ વિકાસશીલ દેશોના અવાજને મજબુત બનાવવો જોઈએ, તેની ઉપર જ […]

પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100%નો વધારાને કેન્દ્રની મંજુરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટેની નાણાકીય સહાયમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે. મુખ્ય વધારામાં લગ્ન અનુદાન રૂ.50,000 થી વધારીને રૂ.1,00,000,ગરીબી અનુદાન રૂ.4,000 થી વધારીને રૂ.8,000,અને શિક્ષણ અનુદાન પ્રતિ માસ રૂ.1,000 થી વધારીને રૂ.2,000 કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો આગામી 1લી નવેમ્બરથી લાગુ થશે, જેનો વાર્ષિક બોજ […]

ભારતે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ ટાળ્યું, ચીન-અમેરિકાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં હાજર

નવી દિલ્હીઃ ભારત તા. 15થી 17 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરવાનું હતું. જો કે, તેને રદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. ભારતે 3550 કિમીના વિસ્તારમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો હતો. જેથી અમેરિકા અને ચીને પોતાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં મોકલ્યાં હતા. ભારત સરકારે નોટમ જાહેર કરીને ચેતવણી આપી હતી. ભારતે […]

શાંતિ સ્થાપનામાં સૌથી મોટા યોગદાનકર્તાઓમાં ભારતનો પણ સમાવેશઃ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્રિવેદી

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં બે દિવસીય સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાનકર્તા દેશો (યુએનટીસીસી)ના પ્રમુખોનું સમ્મેલન શરૂ થયું છે. જેની મેજબાની ભારતીય સેના કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા 32 દેશોના સિનિયર સેન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. યુએનટીસીસી સંમેલનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં શાંતિ સ્થાપના માટે એક દ્રષ્ટીકોણ વિકસિત કરવો અને […]

શિયાળા પહેલાં LOC પર સુરક્ષા વધારાઈ, ઘૂસણખોરીના ખતરા વચ્ચે BSF સાબદુ બન્યું

જમ્મુ-કાશ્મીરઃ સીમા સુરક્ષા દળ (BSF)એ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LOC) પર શિયાળાની શરૂઆત પહેલાં પોતાની સુરક્ષા વધુ કડક બનાવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સરહદ તરફથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થવાની આશંકા છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર માહિતી મુજબ અનેક આતંકવાદી હાલ સરહદપારના વિવિધ “લૉન્ચ પૅડ” પર ઘૂસણખોરીની તકની રાહ જોઈ રહ્યા […]

દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારત દૂતાવાસ શરૂ કરશે

નવી દિલ્હીઃ ભારત મિત્ર દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ શરૂ કરશે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુતાકી સાથેની બેઠકમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ કાબુલમાં દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.જયશંકરએ આ દરમિયાન અફઘાનિસ્તાનના સંપ્રભુતાના સમર્થન પણ કર્યું હતું. 2021 બાદ આ પ્રથમવાર છે જ્યારે ભારતે અફઘાનિસ્તાનના સંપ્રભુતાનું પૂર્ણ સમર્થન આપ્યું છે. મુતાકી સાથે […]

હિંડન એરફોર્સ સ્ટેશન ઉપર ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસની ઉજવણી

નવી દિલ્હીઃ ગાઝીયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ઉપર આજે ભારતીય વાયુસેનાના 93માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવ્યાં હતા. આ અવસરે ભારતીય સેનાના બે ફાઈટર જેટ રાફેલ અને સુખોઈ-30એમકેઆઈને સ્ટેટિક ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યાં હતા. લોકોએ બંને ફાઈટર જેટને નજીકથી નિહાળ્યાં હતા અને કેટલા આધુનિક છે જાણ્યું હતું. તેમની આધુનિકતાને કારણે તેને વાયુસેનાની તાકાતનું પ્રતીક માનવામાં આવે છે. રાફેલ […]

રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, 2024-25માં 1.20 લાખ કરોડના સૈન્ય ઉપકરણો ખરીદાયા

  નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2024-25ના અંત સુધીમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી રૂ.1.20 લાખ કરોડના સૈન્ય સાધનો અને હથિયારોની ખરીદી કરી છે. તેમણે કહ્યું હતું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનું સતત ધ્યાન રાખી રહ્યો છે. રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે સરકાર યુદ્ધના બદલાતા સ્વરૂપને, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code