1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

‘મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે’, ભારત-અમેરિકા વેપાર કરાર પર પીએમ મોદીનું નિવેદન

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર માટે નવા જાહેર કરાયેલા માળખાની પ્રશંસા કરતા કહ્યું કે તે બંને દેશો વચ્ચેની ભાગીદારીની વધતી ઊંડાઈ, વિશ્વાસ અને ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારત અને અમેરિકા […]

FASTag: એન્યુઅલ પાસ વપરાશકારોની સંખ્યા 50 લાખને પાર પહોંચી

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: ‘મુસાફરીની સરળતા’ (Ease of Commuting) ને વધારતા, FASTag એન્યુઅલ પાસે 15 ઓગસ્ટ 2025 ના રોજ લોન્ચ થયાના 6 મહિનાની અંદર 26.55 કરોડથી વધુ વ્યવહારો સાથે 50 લાખ વપરાશકર્તાઓને વટાવીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સીમાચિહ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર સીમલેસ (અવિરત) અને કરકસરભર્યો મુસાફરી વિકલ્પ પૂરો પાડવા […]

રશિયા પાસેથી ભારતે તેલની આયાતમાં કર્યો મોટો કાપ: આયાત 27 ટકા ઘટી

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ડિસેમ્બર 2025માં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં ભારતે રશિયા પાસેથી 2.7 અબજ ડોલરનું તેલ ખરીદ્યું હતું, જે ફેબ્રુઆરી 2024 પછીનો સૌથી ઓછો આંકડો છે. અમેરિકા દ્વારા રશિયન તેલ કંપનીઓ પર લાદવામાં આવેલા […]

ભારતઃ RBI એ પોલિસી રેટ-રેપો રેટ યથાવત રાખ્યો

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પોલિસી રેટ, રેપો રેટ, યથાવત રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રેપો રેટ 5.25% પર યથાવત રહેશે. આ નિર્ણયના પરિણામે, લોન વ્યાજ દર પણ યથાવત રહેશે. RBI ગવર્નરે તેની ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ના નિર્ણયની […]

બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગના ઉપયોગ વિશે GCCIમાં યોજાયું વિશેષ સત્ર

 અમદાવાદ, 6 ફેબ્રુઆરી, 2026 – social media marketing for business growth GCCI દ્વારા સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે “બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગનો ઉપયોગ” વિશે આયોજિત સત્રમાં “ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા ક્વોલિટી લીડ્સ જનરેટ કરવા” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. GCCI એ તારીખ 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે […]

દિવા અને જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સંગે ઉજવ્યું

અમદાવાદ: ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં અદાણી મંગલ સેવાએ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે તેની સ્થાપનાના એક વર્ષના રુડા અવસરની રંગદર્શી ઉજવણીમાં દિવા અને જીત અદાણી દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તેમના લગ્ન પ્રસંગે કરેલા આવકાર્ય નિર્ધારનો રણકો સંભળાયો. દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું […]

શેરબજારમાં તેજી પર બ્રેક: રોકાણકારોના 2.62 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2026: છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી હરિયાળી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી ગઈ છે. સતત ઉપર ચઢી રહેલા બજારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે યુ-ટર્ન લેતા રોકાણકારોને સંભળવાની તક પણ મળી ન હતી. બજારમાં જોવા મળેલી આ જબરદસ્ત વેચવાલીને કારણે રોકાણકારોની મહેનતની કમાણીના અંદાજે રૂ. 2.62 લાખ કરોડ ધોવાઈ ગયા છે. […]

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: માર્ચમાં ફાઈનલ ડીલની તૈયારી

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2025: ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર અંગે એક મોટી અપડેટ આવી છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે આગામી ચાર-પાંચ દિવસમાં જોઈન્ટ સ્ટટમેન્ટ ઉપર હસ્તાક્ષર કરી શકે છે. સરકારે જમાવ્યું કે, ભારત-અમેરિકા ટ્રેડ ડિલનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે. સંયુક્ત નિવેદન બાદ આ […]

અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા, નવા ઓર્ડર મળશે

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  અમેરિકાએ ભારતથી થતી નિકાસ પર લાદેલો 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરતા સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. ગુજરાતમાં હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા વખતથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા 6 મહિનામાં તો હીરાના ઘણાબધા કારખાનાને તાળાં […]

વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદી અંગેની અટકળો પર ભારત સરકારની પ્રતિક્રિયા

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સરકારે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.” રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બજારની ઉદ્દેશ્યપૂર્ણ પરિસ્થિતિઓ અને બદલાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code