તણાવ ઓછો કરવા વિદ્યાર્થીઓએ માતા-પિતા અને શિક્ષકો સાથે કરવી જોઈએ વાત: દીપિકા પાદુકોણ
નવી દિલ્હીઃ અભિનેત્રી દીપિકા પાદુકોણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા’ ના આઠમા સંસ્કરણમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના તણાવને ઘટાડવાના માર્ગો પર ચર્ચા કરી હતી. પોતાના બાળપણના અનુભવો શેર કરતાં તેણીએ કહ્યું કે તેણીને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ રસ હતો. તેમણે શિક્ષણની સાથે અભ્યાસેતર પ્રવૃત્તિઓના મહત્વ પર પણ ભાર મૂક્યો. […]


