1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 20 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 21 ઓક્ટોબરે તેની ચકાસણી કરવામાં આવશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. આ તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે થશે.. […]

જમ્મુ અને કાશ્મીર રાજ્યસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામ BJP એ જાહેર કર્યા

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ત્રણ અલગ-અલગ સૂચનાઓ હેઠળ ચાર ખાલી રાજ્યસભા બેઠકો માટેના નામોને મંજૂરી આપી છે. આ બેઠકો માટે પાર્ટી દ્વારા મંજૂર કરાયેલા નામોમાં, ગુલામ મોહમ્મદ મીરને સૂચના નંબર 1 હેઠળ એક રાજ્યસભા બેઠક માટે ઉમેદવાર […]

બિહાર ચૂંટણીઃ બુરખાધારી અને પડદો કરનારી મહિલાઓની ઓળખ માટે ચૂંટણીપંચે બનાવ્યો પ્લાન

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારીઓમાં વધુ તેજી લાવી છે. બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુગમ બને તે માટે ચૂંટણીપંચ પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ જ સંદર્ભમાં ચૂંટણી પંચે બિહાર ચૂંટણી દરમિયાન બુરખા પહેરનારી અથવા પડદો […]

બિહાર ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે નીતિશ કુમારને ઘેર્યા, લગાવ્યા આરોપો

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે પટનામાં કહ્યું કે “આખો દેશ જાણવા માંગે છે કે બિહારની ચૂંટણીમાં શું થશે, કારણ કે આ ચૂંટણી ફક્ત બિહાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની ભવિષ્યની દિશા નક્કી કરશે.” બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલા અશોક ગેહલોત પટનાની મુલાકાત દરમિયાન પાર્ટી દ્વારા […]

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ વાહનો અને વધુમાં વધુ પાંચ […]

બિહારમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 14મી નવેમ્બરે મતગણતરી

નવી દિલ્હીઃ બિહારમાં છેલ્લા કેટલાક સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.દરમિયાન આજે આ આતુરતાનો અંત આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની 243 બેઠકો માટે બે તબક્કામાં તા. 6 નવેમ્બર અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. તેમજ 14મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે […]

બિહાર વિધાનસભા ચૂંટણી : ચૂંટણી પંચ સાથે રાજ્યના રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

પટના : બિહાર વિધાનસભા ચૂંટણીને પગલે ભારત ચૂંટણી પંચ (ECI) સાથે વિવિધ રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક શનિવારે યોજાવાની છે. મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, આ બેઠક પટનાના હોટલ તાજમાં સવારે 10 થી બપોર 12 વાગ્યા સુધી યોજાશે. બેઠકનું અધ્યક્ષત્વ મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર કરશે. પત્રમાં જણાવાયું છે કે આ બેઠકમાં […]

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. પંચાયતી રાજ મંત્રાલયમાં અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણા મંત્રાલયમાં અધિક સચિવ ડૉ. આનંદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિરીક્ષક રહેશે. આ ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાવાની છે. ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર જગદીપ ધનખરના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઇ રહી છે. […]

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે

ચૂંટણી પંચે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેથી, તેમના રાજીનામા બાદ આ પદ ખાલી પડી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરવામાં આવશે. આ પછી, 9 […]

ભારે વિરોધ વચ્ચે મતદાર યાદી સુધારાનું કામ સમગ્ર દેશમાં કરાશે

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સઘન સુધારાનો વિરોધ સંસદથી લઈને શેરીઓ સુધી થઈ રહ્યો છે. ભારે વિરોધ છતાં, ચૂંટણી પંચે શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી. હકીકતમાં, ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાર યાદીના સઘન સુધારાનું કામ દેશભરમાં કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે 24 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code