1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દિલ્હીમાં સાંસદો દ્વારા એક ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજધાની દિલ્હીમાં સાંસદો દ્વારા એક ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આ રેલી ભારત મંડપમથી શરૂ થઈને ઇન્ડિયા ગેટ સુધી પહોંચી હતી, જેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો ઉત્સાહભેર જોડાયા હતા. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રેલીને […]

જમ્મુ કાશ્મીર: લાલ ચોક ઉપર તિરંગા યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના કાઉન્ટડાઉન સાથે દેશભક્તિની ભાવના વધુ તીવ્ર બની છે. જમ્મુ-કાશ્મીરના ઐતિહાસિક લાલ ચોક પર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ દૃશ્ય દેશભક્તિનો માહોલ ઊભો કરી રહ્યું હતું. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોનમર્ગ ખાતે પણ તિરંગા યાત્રા યોજવામાં […]

ઉડ્ડયન MRO ક્ષેત્રે પગદંડી વિસ્તારવા અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ઇન્ડેમર ટેકનિકસમાં ૧૦૦% હિસ્સો હસ્તગત કરવા સહયોગ કર્યો

અમદાવાદ : અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (એડીએસટીએલ), તેના સાહસ હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ.એ પ્રાઇમ એરો સર્વિસીસ એલએલપીની ભાગીદારીમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મેન્ટેનન્સ,રીપેર અને ઓવરહોલ (MRO) ક્ષેત્રમાં સેવા આપતી તેના ડિરેક્ટર પ્રજય પટેલની માલિકીની અગ્રણી ખાનગી કંપની ઇન્ડેમર ટેક્નિક્સ પ્રા.લિ. (આઇટીપીએલ)માં 100% હિસ્સો હસ્તગત કરવા માટે એક ચોક્કસ કરાર કર્યો છે. હોરાઇઝન એ અદાણી […]

જમ્મુ-કાશ્મીરઃ 1990માં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટ હત્યા કેસમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં રાજ્ય તપાસ એજન્સીએ મંગળવારે 1990માં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટની હત્યાના સંદર્ભમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ હત્યા 35 વર્ષ પહેલા થઈ હતી. તપાસ ટીમે યાસીન મલિકના ઘરે પણ દરોડા પાડ્યાને તપાસ કરી હતી. SIA ટીમ મધ્ય કાશ્મીરમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય તપાસ એજન્સી 35 વર્ષ […]

ચેન્નાઈમાં કાર્ગો વિમાનના એન્જિનમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

ચેન્નાઈઃ ચેન્નાઈમાં એક કાર્ગો વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. સદનસીબે, વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે ચેન્નાઈ આવી રહેલી એક આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી હતી. વિમાન ઉતરાણ કર્યા પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ […]

સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવા માટે પાકિસ્તાને ફરી એકવાર ભારતને વિનંતી કરી

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન હવે ઘૂંટણિયે પડી ગયું છે. હવે તેણે ભારત સમક્ષ આ સંધિને પુનઃસ્થાપિત કરવા માટે વિનંતી કરી છે. તેણે ભારતને આ સંધિને પુનઃસ્થાપિત કરવાની સામાન્ય પ્રક્રિયા ફરી શરૂ કરવા અપીલ કરી છે જે મે મહિનામાં સ્થગિત કરવામાં આવી હતી. આતંકવાદીઓએ 22 એપ્રિલે દક્ષિણ […]

બાંગ્લાદેશથી આયાત થતી અન્ય વસ્તુઓ ઉપર ભારતે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. શેખ હસીનાના બળવા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હવે તેની અસર આયાત પર પણ દેખાઈ રહી છે. તણાવપૂર્ણ સંબંધોને કારણે, ભારતે ફરી એકવાર બાંગ્લાદેશથી જમીન માર્ગે આયાત થતી કેટલીક વધુ શણની વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. […]

પુરીના જગન્નાથજી મંદિરનો મહાપ્રસાદ ભક્તોને ઓનલાઈન નહીં મળે, મંદિર પ્રશાસને લીધો નિર્ણય

નવી દિલ્હીઃ ઓડિશાના પુરમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના મહાપ્રસાદના ઓનલાઈન વેચાણને લઈને કેટલાક સંગઠનોએ મંદિર પ્રશાસનને અનુરોધ કર્યો હતો. જેને નામંજુર કરવામાં આવ્યો છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પુરી જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ ઓનલાઈન વેચવાના કેટલાક સંગઠનોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે કેટલીક સંગઠનોએ તાજેતરમાં […]

અમેરિકાઃ મોન્ટાના એરપોર્ટ ઉપર લેન્ડિંગ વખતે નાનું વિમાન અન્ય પ્લેન સાથે ટકરાયું

અમેરિકાના મોન્ટાના એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે, એક નાનું વિમાન ત્યાં પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું. જેના કારણે વિમાનમાં ભારે આગ લાગી. આગ લાગ્યા બાદ આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગની માહિતી મળતાં પહોંચેલી ટીમે બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી દીધી હતી. જોકે, વિમાનમાં સવાર કોઈને ગંભીર ઈજા થઈ નથી. FAA અનુસાર, Socata TBM […]

જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભામાં મંજૂર, એક સમિતિની રચના કરાઈ

નવી દિલ્હીઃ કેશ કૌભાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે તેમના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, કુલ 146 સભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓનો સમાવેશ થાય છે. લોકસભા સ્પીકરે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code