1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો,જાણો કેટલા વધ્યા ભાવ

દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં 1 ડિસેમ્બર, 2023થી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા ખર્ચવા પડશે.અગાઉ 16 નવેમ્બરે તેની કિંમતમાં ઘટાડો કરીને 1775.50 રૂપિયા થઈ ગયો હતો. […]

દુબઈમાં પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત,વડાપ્રધાને લોકોને પાઠવી શુભેચ્છા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ પહોંચી ગયા છે. અહીં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. UAEની મુલાકાત દરમિયાન PM મોદી મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર UAEના નાયબ વડા પ્રધાન શેખ સૈફ બિન જાયદ અલ નાહ્યાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. PM […]

બંધકોને મુક્ત ન કરાય તો ઈઝરાયલના હમાસના તમામ નેતાઓને ખતમ કરી દેવા જોઈએ, હમાસના નેતાના દીકરાની અપીલ

નવી દિલ્હીઃ હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે ઈઝરાયેલને જો તમામ બંધકોને મુક્ત કરવામાં આવે તો તેના પિતા સહિત હમાસના તમામ નેતાઓને ખતમ કરી નાખવા અપીલ કરી છે. મોસાબ હસને કહ્યું હતું કે, ઈઝરાયલે બંધકોને મુક્ત કરવા માટે હમાસ માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. જો હમાસ તે સમય મર્યાદામાં બંધકોને મુક્ત નહીં […]

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની […]

અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણીનો USનો દાવો

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકાના ન્યૂયોર્કમાં શીખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે એક વ્યક્તિને 1 લાખ ડોલરની સોપારી આપી હતી. 30 જૂને નિખિલ ચેક રિપબ્લિક ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનું […]

યુગાન્ડા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીતી વર્લ્ડ કપની ટિકિટ

દિલ્હી –  લગભગ 6 મહિના પહેલા જ ઝિમ્બાબ્વેની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થવાની નજીક હતી પરંતુ છેલ્લી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ જતાં આ તક તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આ વખતે ટી20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશનમાં તેની પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ ક્વોલિફાયરમાં સૌથી મજબૂત ટીમ હોવા છતાં તે નિષ્ફળ રહી. યુગાન્ડાએ T20 વર્લ્ડ […]

અદાણી વિદ્યામંદિર ખાતે ‘અન્નદાન મહાદાન’નો મંત્ર સાર્થક કરાયો!

તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે અન્નદાન મહાદાનને સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન માટે પ્રેરિત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ અનાજ લાવી જરૂરિયાતમંદોને વહેંચવાની પહેલ કરી હતી. થોડામાંથી થોડુ આપવાની વૃત્તિ સાથે આગળ આવેલા બાળકોએ 200 કિલોગ્રામ જેટલા અનાજનું દાન કરી સમાજ માટે ઉદાહરણીય કાર્ય કર્યું હતું. કહેવાય છે કે, ભૂખ્યાને […]

મણિપુર આતંકવાદી જૂથ અને સરકાર વચ્ચે શાંતિ કરાર પર સહમતી – ગૃહમંત્રી શાહે ગણાવી ઐતિહાસિક સિદ્ધિ

ઈમ્ફાલ –    મે મહિનાની શરૂઆતથી જ મણિપુર રાજ્યમાં હિંસાનો દોર શરૂ થયો હતો માટે અને કુકઈ સમુદાઈ વચ્ચે શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકો એ અત્યાર સુધી જીવ ગુમાવ્યા જો કે આટલા મહિના બાદ હવે અહી શાંતિ સ્થાપી છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ એ બુધવારે […]

ચીનમાં બાળકોમાં ફેલાયેલી બીમારી વચ્ચે ઉત્તરાખંડમાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષ્ણો જોવા મળ્યા, તંત્ર હરકતમાં આવ્યું

નવી દિલ્હીઃ ચીનમાં ફેલાતા રોગને લઈને ઉત્તરાખંડમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ તમામ બાબતો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરાખંડના બાગેશ્વરમાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ સંદર્ભે બાળકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો […]

જાન્યુઆરીની 17 થી શરૂ થતાં રામ મંદિરના ઉદ્ઘાટન પર આયોજિત રામલીલામાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લેશે

અયોધ્યા – અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું  પ્રતિક છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.  22 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે જે પીએમ નરેન્દ્ર મોદી કરશે. રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિ વિશ્વની સૌથી અનોખી મૂર્તિ હશે. રામલલાની આ 51 ઇંચની પ્રતિમા સ્થાવર છે.17 જાન્યુઆરીથી રામલીલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code