1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 15મી મેથી 24મી મે દરમિયાન લેવાશે,

અમદાવાદઃ દેશની ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આવેલી કેન્દ્ર અને યુજીસી હસ્તકની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 15મી મેથી 24મી મે દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે આપી શકાશે, આ પરીક્ષા માટે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. અને દેશભરના કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે કેન્દ્રના […]

અમદાવાદમાં 6965 લોકો પાસે છે, લાયસન્સવાળી બંદુકો, 5765એ હથિયારો જમા કરાવ્યાં

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં 6965 લોકો પાસે લાયસન્સવાળા હથિયારો છે. ઘણા લોકો પોતાના રક્ષણ માટે તેમજ સમાજમાં મોભો રાખવા માટે બંદુક કે રિવોલ્વર રાખવા માટે સરકારમાંથી લાયસન્સ લેતા હોય છે. લાયસન્સ મેળવ્યા બાદ બદુક કે રિવોલ્વર તેમજ તેના કાર્ટીસની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી પડે છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થતાં જ અમદાવાદ શહેર […]

AMCએ ખાનગી – ગ્રાન્ટેડ શાળાઓને વ્યવસાય વેરાના મુદ્દે આપેલી નોટિસો સામે મંડળનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી શાળાઓને પ્રોફેશનલ ટેક્સના મુદ્દે નાટિસો પાઠવી છે. જેમાં PEC નંબર અંગેની નોંધણી કરાવવા કહેવામાં આવ્યુ છે. એએમસીએ ખાનગી શાળાઓને આપેલી નોટિસ બાદ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્કૂલ એ નોન પ્રેક્ટિકલ અને સેવાકીય હેતુ માટે ચાલે છે, જેથી સ્કૂલોને પેઢી તરીકે નોંધણી કરાવવાની જરૂર નથી. […]

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાં સામે ક્ષત્રિય નેતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી રિટ,

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનર દ્વારા સીઆરપીસી 144 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ભેગા મળીને વિરોધ કરવા, બેનરો પ્રદર્શિત કરવા કે કાળા વાવટા ફરકાવવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાં સામે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસ કમિશનરના જાહેરનામાં સામે રાજપૂત સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે, […]

અમદાવાદમાં એક સાથે 35 દીક્ષાર્થીઓએ સંસારની મોહ-માયા છોડીને લીધી દીક્ષા,

અમદાવાદઃ  શહેરના રિવરફ્રન્ટ પર ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ઊજવાયો હતો. દીક્ષા દાનેશ્વરી પૂ. યોગતિલકસૂરીજી મ. આદિ 400થી વધુ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં સોમવારે  શહેરના ઇતિહાસમાં પ્રથમવાર 35 મુમુક્ષુઓએ પ્રવ્રજયા ગ્રહણ કરીને પ્રભુ વીરના પંથેચરણ મૂકયા છે.  રીવરફ્રન્ટ પર સવારે 5.31  કલાકે પૂજયો અને મુમુક્ષુઓનો મંડપ પ્રવેશ ત્યારબાદ વિજય તિલક, સવારે 7.02 કલાકે વીરના વારસ વીરની વાટે […]

દ્વારકાનગરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારોહ યોજાયો

અમદાવાદઃ દ્વારિકાનગરીના આકાશમાં ચંદ્ર હજુ ઉદય પામી રહ્યો હતો, ત્યારે અહીંના સમુદ્રતટે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોના હૈયામાં જાણે આનંદની ભરતી આવી હતી. પ્રસંગ હતો દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણ અને ઉત્તર પૂર્વના રાજકુમારી શ્રી રૂક્ષ્મણી દેવીના “વિવાહ સત્કાર સમારોહનો”, જેમાં ઉત્તર-પૂર્વનાં ચાર રાજ્યો અને ગુજરાતના મળીને 200થી વધુ કલાકારોએ વિવિધ લોકનૃત્યો સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને, […]

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

લોકસભાની સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ભાજપ સામે કરાયો આક્ષેપ

સુરતઃ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. લોકસભા સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે કુંભાણીએ […]

લોકસભાની ચૂંટણીને લીધે રાજકોટ રેન્જમાંથી 228 આરોપીઓને પાસામાં ધકેલાયાઃ 449 તડીપાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય ત્યારે ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્રને અસામાજીક તત્વો સામે કડક પગલા લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી. રાજકોટ રેન્જના  આઈજી અશોક યાદવની સૂચનાથી 5 જિલ્લામાં પોલીસે અસામાજીક તત્વો પર એક્શન લીધું છે. જે અંતર્ગત 228 શખ્સોને પાસા હેઠળ ધકેલી દીધા અને 449 શખ્સોને તડીપાર કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત […]

વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા હવે વર્ષમાં ત્રણવાર લેવાશે,

અમદાવાદ:  ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે હવે વર્ષમાં ત્રણ વાર સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર મીડિયેટની પરીક્ષા ત્રણવાર લેવામાં આવશે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાતી હતી. જે હવે ત્રણ વાર પરીક્ષા લેવાશે. આ નિર્ણયનો અમલ આગામી મે માસ કરાશે. સીએ ફાઉન્ડેશનના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓએ ચાર્ટડ એકાઉન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code