1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનની દબાણો હટાવ ઝૂંબેશ સામે લોકોએ કર્યો વિરોધ

મોટામવા વિસ્તારમાં 40 મકાનો-દુકાનોને નોટિસ મળતા સ્થાનિક લોકોએ કર્યો વિરોધ બાંધકામો ઈમ્પેક્ટ ફી લઈને નિયમિત કરવાની માગ સ્થાનિક લોકોનો આક્ષેપ, બાંધકામો 27 વર્ષ પહેલાના છે, બિલ્ડરોના દબાણથી હટાવાઈ રહ્યા છે રાજકોટઃ શહેરમાં ગેરકાયદે થયેલા દબાણો સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં મોટામવા વિસ્તાર અને કાલાવડ રોડ પર દબાણો હટાવવા માટે મ્યુનિ.એ નોટિસ ફટકારતા સ્થાનિક […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હવે કરોડોની કિંમતના 9 પ્લોટ્સ વેચીને આવક ઊભી કરશે

શહેરના સિંધુભવન રોડ પરના બે પ્લોટનો ભાવ રૂ. 333 કરોડ મુકાયો ચાંદખેડા અને મોટેરાના પ્લોટ્સ પણ વેચવા કાઢ્યા પ્લોટ્સ વેચાણથી રૂપિયા 1000 કરોડની આવક ઊભી કરાશે અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ સહિત વિવિધ વેરાની કરોડો રૂપિયાની આવક છે, ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે વિવિધ હેડ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ […]

ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે

હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં 18 મહિનાનું રેકોર્ડિંગ સાચવવું પડશે સીસીટીવીમાં પોલીસ સ્ટેશનનો ખણેખૂણો આવરી લેવો પડશે   અમદાવાદઃ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.જોકે અમદાવા સહિત મહાનગરોના પોલીસ સ્ટેશનમાં મહિનાઓ પહેલા જ સીસીટીવી લગાવી દેવાયા છે. પણ પોલીસે સ્ટેશનના ખૂણેખણાનો વિસ્તાર […]

રાજકોટમાં સિટીબસના ચાલકે પૂરઝડપે વાહનોને અડફેટે લેતા 4ના મોત, બેને ઈજા

રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બન્યો બનાવ અકસ્માતને લીધે લોકોનું ટોળું એકઠું થયું અને સિટી બસમાં તોડફોડ કરી ઉશ્કેરાયેલા લોકોના ટોળાં પર પોલીસે કર્યો લાઠીચાર્જ રાજકોટઃ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આજે સિટીબસના ચાલકે પૂર ઝપે બસ દોડાવીને અનેક વાહનોને અડફેટે લેતા વાહનચાલકો ફુટબોલની જેમ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતના બનાવમાં ચારના મોત નિપજ્યા હતા. જ્યારે […]

વકફ સંબંધિત જોગવાઈઓ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારેને પૂછ્યાં પ્રશ્નો

નવી દિલ્હીઃ વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને નવા કાયદાની કેટલીક જોગવાઈઓ, ખાસ કરીને વપરાશકર્તા મિલકતો દ્વારા વકફ સંબંધિત જોગવાઈઓ પર કડક પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને સામેલ કરવાની જોગવાઈ પર પણ સવાલ ઉઠાવ્યા અને સરકારને પૂછ્યું કે શું તે મુસ્લિમોને હિન્દુ બોર્ડનો ભાગ બનવા દેશે. કોર્ટે […]

પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે કાશ્મીરનો રાગ આલોપ્યો, પાકિસ્તાનની નસ ગણાવ્યું

નવી દિલ્હીઃ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ફરી એકવાર ઝેર ઓક્યું છે. એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી છે. અસીમ મુનીર અહીં જ અટક્યા નહીં, તેમણે દાવો કર્યો કે કોઈ પણ શક્તિ કાશ્મીરને પાકિસ્તાનથી અલગ કરી શકતી નથી.  તેમણે કાશ્મીરીઓને પાકિસ્તાન સેનાના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. દરમિયાન, જનરલ મુનીરે ગાઝા પટ્ટીને […]

મોંઘવારી મામલે સંસદમાં વિશેષ સત્ર બોલવા કોંગ્રેસે કરી માંગણી

નવી દિલ્હીઃ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ દેશમાં વધતી મોંઘવારી અંગે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. અલકા લાંબાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે તે રીતે LPG સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડવા જોઈએ અને સરકારે ફુગાવા પર સંસદમાં ખાસ સત્ર બોલાવીને શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ. […]

પાકિસ્તાન મામલે કિંમતી સમય બગાડવાની કોઈ જરુર નથીઃ ડો. એસ.જયશંકર

વડોદરાઃ ગુજરાતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન હજુ પણ ઘણી રીતે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. 2008ના મુંબઈ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધો સારા રહ્યાં નથી. પાકિસ્તાન અંગે વિદેશ મંત્રી એસ જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર […]

ગોવામાં 43 કરોડના કોકેનના જથ્થા સાથે દંપતિ સહિત 3 શખ્સો ઝડપાયાં

પણજીઃ ગોવામાં ચોકલેટ અને કોફીના પેકેટમાં છુપાવીને કોકેનની હેરાફેરીના પોલીસે રેકેટનો પર્દાફાશ કરીને એક દંપતિ સહિત 3 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 43 કરોડની કિંમતનું 4 કિલો કોકેન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. કોકેન સાથે ઝડપાયેલી મહિલા તાજેતરમાં જ થાઈલેન્ડથી આવી હોવાનું ખૂલતા વિદેશી નાગરિકોની સંડોવણીને લઈને પણ આગવી ઢબે […]

વકફ સુધારા કાયદા મામલે ટિકા કરનાર પાકિસ્તાન સામે ભારતે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ ભારતે વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાનની ટીકાને ફગાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને બીજાઓને ઉપદેશ આપવાને બદલે લઘુમતીઓના અધિકારોના રક્ષણમાં પોતાના નબળા રેકોર્ડ પર નજર નાખવી જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કાયદા પર પાકિસ્તાનની ટિપ્પણીઓને પાયાવિહોણી ગણાવી અને કહ્યું કે પડોશી દેશને ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. રણધીર જયસ્વાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code