1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

‘લોક સેવા દિવસ’ નિમિત્તે નરેન્દ્ર મોદી કાર્યક્રમને કરશે સંબોધિત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં લોક સેવા દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓને લોક વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા લોક સેવા દિવસ નિમિત્તે લોક સેવકોને […]

ભારતીય વાયુસેનાની તાકાત વધશે, ફાઈટર જેટની ભારત કરશે ખરીદી

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં ફાઇટર વિમાનોની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે. દરમિયાન, એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 40 વધુ રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ સોદો સરકારથી સરકાર (G2G) ધોરણે […]

યુપી: હોળી અને જુમા પરના નિવેદન બદલ સંભલના સીઓને ક્લીનચીટ મળી

લખનૌઃ પોલીસે સંભલ પોલીસ સર્કલ ઓફિસર અનુજ ચૌધરીને હોળી અને જુમા (શુક્રવાર) સંબંધિત તેમના વિવાદાસ્પદ નિવેદન અંગે ક્લીનચીટ આપી છે. સંભલ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “પોલીસ સર્કલ ઓફિસર અનુજ ચૌધરીને (હોળી અને જુમા સંબંધિત તેમના નિવેદન માટે) ક્લીનચીટ આપવામાં આવી છે.” અધિકારીએ આ અંગે વધુ કંઈ કહેવાનો ઇનકાર કર્યો […]

બાંગ્લાદેશમાં તોફાનીઓએ હિન્દુ નેતાની નિર્દયતાથી હત્યા કરી, ભારતે લઘુમતીઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યાં

 નવી દિલ્હીઃ બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાંથી હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોયનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી. ઢાકાથી લગભગ 330 કિમી ઉત્તરપશ્ચિમમાં દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી ભાવેશ ચંદ્ર રોય (ઉ.વ 58)નો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો. […]

કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરાઈ

કેનેડામાં ગોળીબાર થતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયાનું જાણવા મળે છે. ઘટના સમયે, પીડિતા કામ પર જવા માટે બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી. પોલીસનું કહેવું છે કે બસ સ્ટોપ પાસે એક કારમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં બે કાર સવારોએ એકબીજા પર ગોળીબાર કર્યો હતો. આ […]

પ્રયાગરાજ હાઈવે પર ડમ્પર સાથે કાર અથડાતા ચાર વ્યક્તિના મોત

લખનૌઃ ફતેહપુર જિલ્લાના કાનપુર-પ્રયાગરાજ હાઇવે પર ખાગા કોટવાલી વિસ્તારમાં સુજાનીપુર ચાર રસ્તા પાસે પૂરઝડપે પસાર થતી કાર રોડની સાઈડમાં ઉભેલા ડમ્પરને અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ […]

બંગાળના મુર્શિદાબાદમાં રાષ્ટ્રીય મહિલા ઓયોગની ટીમ રમખાણોથી પ્રભાવિત લોકોને મળી

કોલકાતાઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ના એક પ્રતિનિધિમંડળ શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રમખાણોથી પ્રભાવિત લોકોને મળ્યું હતું. તેમજ તેમને ખાતરી આપી કે કેન્દ્ર ભવિષ્યમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. રમખાણોથી પ્રભાવિત મહિલાઓએ પોતાની દુર્દશા વર્ણવી અને માંગ કરી કે જિલ્લાના પસંદગીના વિસ્તારોમાં કાયમી સરહદ સુરક્ષા દળ (BSF) કેમ્પ સ્થાપવામાં આવે […]

અફઘાનિસ્તાનમાં અમેરિકા છોડીને ગયેલા હથિયારો પૈકી મોટાભાગના હથિયારો આતંકીઓ પાસે પહોંચ્યા?

2021 માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી, તેને લગભગ 10 લાખ શસ્ત્રો અને લશ્કરી સાધનો મળ્યા હતા. આમાંથી મોટાભાગના શસ્ત્રો અમેરિકા અને નાટો દ્વારા અફઘાન સેનાને આપવામાં આવ્યા હતા. હવે ચર્ચાય રહ્યું છે કે આમાંથી લગભગ અડધા, એટલે કે 5 લાખ શસ્ત્રો ગુમ છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અન્ય ઘણા સ્ત્રોતો અનુસાર, આ શસ્ત્રો […]

જમ્મુ-કાશ્મીરમાં ધરા ધ્રુજી, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આજે શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ આંચકા થોડીક સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જર્મન ભૂકંપ સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.9 ની હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પર હતું, જે 86 કિલોમીટરની […]

વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં રક્તસ્રાવની વિકૃતિઓ પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (ડીઇપીડબલ્યુડી)એ વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં તેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ કમ્પોઝિટ રિજનલ સેન્ટર્સ (સીઆરસી) મારફતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. રક્તસ્રાવના વિકાર અંગે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક આરોગ્યસંભાળ પહેલ તરીકે આ દિવસ વાર્ષિક 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code