1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોંઘવારીનો વધુ એક માર, ઘરેલુ રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો

નવી દિલ્હીઃ મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડર અને ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે વિતરણ કંપનીઓ દ્વારા રસોઈ ગેસ અથવા LPG ના ભાવમાં પ્રતિ સિલિન્ડર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરાયો

વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓમાં રૂપિયા 30થી 200નો વધારો કરાયો બે દાયકા બાદ ફીમાં વધારો કરાયાનો યુનિનો દાવો ફીમાં વધારાને બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપી મંજુરી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે નવા વર્ષથી પરીક્ષા ફીમાં 10%નો વધારો કરાશે. વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓમાં રૂ.30થી રૂ.200નો વધારો કરવામાં આવ્યો […]

અંબાજી અને થરાદ-ધાનેરા હાઈવે પર અકસ્માતના બે બનાવમાં બાળકીનું મોત, 13ને ઈજા

અંબાજી-કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માતમાં 6 લોકોને ઈજા થરાદ-ધાનેરા હાઈવે પર રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત પોલીસે બન્ને બનાવોમાં અકસ્માતનો ગુનોં દાખલ કરી તપાસ હાથ ધરી પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે અંબાજી કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોને ઈજાઓ […]

રાજકોટમાં માધાપર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા લોકો પરેશાન

માધાપર વિસ્તારની વિનાયક વાટિકા સહિત અનેક સોસાયટીઓમાં ટેન્કરરાજ મ્યુનિ. વેરા ઉઘરાવે છે પણ નળના જોડાણો આપતી નથી રજુઆત કર્યા બાદ મ્યુનિ, દ્વારા પાણીના ટેન્કર મોકલવામાં આવે છે રાજકોટઃ શહેરમાં દર ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા રહેતી હોય છે. જોકે સૌની યોજનાનો લાભ મળતા શહેરના આજી અને ન્યારી ડેમ નર્મદાના નીરથી ભરી દેવાતા હવે પાણીની સમસ્યા ભૂતકાળ […]

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં રૂ. 2 નો વધારો, સામાન્ય જનતા ઉપર નહીં પડે બોજો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે, જે મંગળવારથી અમલમાં આવશે. જોકે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર કોઈ અસર થશે નહીં, એટલે કે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો થશે નહીં. મંત્રાલયે ‘X’ પર પોસ્ટ કરી હતી કે સરકારી […]

અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નકલી લેટરથી મકાનો ફાળવાયા

નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાનો એલોટ કરી દીધા પોલીસે કૌભાંડમાં એક શખસની ધરપકડ કરી એએમસીના અધિકારી અને કર્મચારીઓની સંડાવણીની શંકા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં શહેરના મકાન વિહોણા ગરીબ પરિવારોને ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવે છે. જેના માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી […]

અમદાવાદમાં AC, ફ્રિજના ગોદામમાં આગના બનાવમાં AMCની નિષ્ક્રિયતા જવાબદાર

જીવરાજની જ્ઞાનદા સોસાયટીમાં મકાનમાલિકે ઘરમાં ગોદામ બનાવ્યુ હતુ ગેસના 3000 બાટલા ફાટતા અને આગ લાગતા સગર્ભા મહિલા અને બાળકનું મોત, સોસાયટીના ચેરમેને અગાઉ મ્યુનિને લેખિત ફરિયાદ કર્યા છતાંયે પગલાં ન લેવાયા અમદાવાદઃ શહેરમાં રવિવારે જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં આગ […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કચ્છમાં રેડ એલર્ટ, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યુ

બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો અસહ્ય ગરમીની જનજીવન પર અસર અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈકાલે કંડલામાં રેકર્ડબ્રેક 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ, જે […]

નેપાળમાં સરકાર વિરૂદ્ધ શિક્ષકોનું ઉગ્ર આંદોલન, દેશવ્યાપી હડતાળની ચીમકી

નવી દિલ્હીઃ નેપાળમાં શિક્ષકોએ, નેપાળ શિક્ષક સંઘના બેનર હેઠળ, સોમવારે નવા શાળા શિક્ષણ કાયદાની માંગણી સાથે સામાન્ય હડતાળની જાહેરાત કરી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હડતાળનો હેતુ સરકાર પર તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે દબાણ વધારવાનો છે. નેપાળ સ્કૂલ ટીચર્સના સર્વોચ્ચ સંગઠન, નેપાળ ફેડરેશન ઓફ સ્કૂલ ટીચર્સે દેશભરના શિક્ષકોને તેમની શાળાઓ બંધ કરવા અને વિરોધ પ્રદર્શનમાં […]

ભાજપ રોહિંગ્યાઓને સુરક્ષા આપી રહી છેઃ AAPનો આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રોહિંગ્યા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ આપીને રોહિંગ્યાઓનું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ જણાવ્યું હતું કે ભાજપે રોહિંગ્યાઓના નામે મત લઈને સરકાર બનાવી હતી, પરંતુ જ્યારે કાર્યવાહીનો સમય આવ્યો છે, ત્યારે તે ફક્ત તેમના બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code