1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં 7612 અસામાજિક માથાભારે તત્વોની યાદી તૈયાર, પોલીસ દ્વારા કરાશે કાર્યવાહી

પોલીસે તૈયાર કરેલી યાદીમાં 3264 બુટલેગરો, 179 ખનીજ માફિયાનો સમાવેશ માથાભારે તત્વો સામે પાસા અને હદપારી સહિત અટકાયતીના પગલાં લેવાશે ગુંડાગીરી કરનારા તત્વો સામે આકરા પગલાં લેવાશે અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક બાદ રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યના તમામ જિલ્લા અને પોલીસ સ્ટેશનો દ્વારા […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા

અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને વેગ આપવા પ્રચાર-પસાર માટે રૂ. 7 કરોડના ફંડની જોગવાઈ રાજ્યમાં 35,008 લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન અંગદાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે,રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી મળતા અંગોને અન્ય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા […]

ગુજરાતમાં UCC અંગે નાગરિકો 15મી એપ્રીલ સુધી સુચનો મોકલી શકશે

સૂચનો મોકલવાની સમયમર્યાદામાં કરાયો વધારો નાગરિકોને UCC અંગે સૂચનો મોકલવા સમિતિના અઘ્યક્ષની અપીલ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે ગાંધીનગરઃ સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા. 24/03/2025 હતી, જે હવે તા. 15/04/2025 કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં […]

ભારત રમતગમતમાં સ્વચ્છ અને ન્યાયી સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં રમતગમત અને વૈજ્ઞાનિક સમુદાયોના મુખ્ય હિતધારકોને એકમંચ પર લાવીને “ડોપિંગ વિરોધી વિજ્ઞાનઃ નવીનીકરણ અને પડકારો” વિષય પર નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (એનડીટીએલ) વાર્ષિક પરિષદ-2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી […]

ગુજરાત કોંગ્રેસમાં થઈ શકે છે મોટું પરિવર્તન, દિલ્હીમાં કલાકો સુધી ચાલ્યું મંથન

કોંગ્રેસ પાર્ટીએ નવા મુખ્યાલય ઈન્દિરા ભવનમાં તેના તમામ મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે બેઠકમાં 33 પ્રભારી અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં 8 અને […]

મોદી સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ : નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અમે મણિપુર અને દેશના દરેક રાજ્યની ચિંતા કરીએ છીએ. મણિપુરના મુદ્દા પર વિપક્ષના સતત પ્રહારો વચ્ચે નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે તત્કાલીન વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ઈન્દર કુમાર ગુજરાલના સમયમાં પણ મણિપુરમાં અશાંતિની સ્થિતિ હતી, પરંતુ બંને […]

પુત્રની સફળતાથી બિગ બી ખુશ, સોશિયલ મીડિયા પર વખાણ કર્યા

અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘બી હેપ્પી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ છે અને તેને ઘણી પ્રશંસા મળી રહી છે. આ અંગે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક પછી એક પોસ્ટ શેર કરીને પુત્ર અભિષેક બચ્ચનના વખાણ કરી રહ્યા છે. પુત્રની પ્રતિભા જોઈને તેનું હૃદય ગર્વ અનુભવ્યું. તેઓ એટલા […]

સુરતમાં ભાજપના ધારાસભ્ય કાનાણીનો લેટરબોમ્બ, પોલીસે 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ

ભાજપના ધારાસભ્ય કૂમાર કાનાણીએ પોલીસ કમિશનરને લખ્યો પત્ર પોલીસે કરેલું ઉઘરાણું હપતા લેતા ગલીના ગુંડા જેવું તોડબાજ પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢવા માગ સુરતઃ શહેરમાં ગુંડાગીરી સામે પોલીસ એક્શન લઈ રહી છે ત્યારે પોલીસના તોડકાંડ બાબતે ભાજપના ધારાસભ્ય કૂમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. શહેરના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં આરોપી પાસેથી 8 લાખનો […]

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે વિવાદમાં આવતા રાજીનામું આપ્યું

પ્રમુખપદ સંભાળ્યાને 13 દિવસમાં રાજીનામું આપ્યુ કલેકટરને આપેલા રાજીનામામાં પારિવારિક કારણ દર્શાવાયુ પ્રદેશ કક્ષાએ આદેશ મળ્યા બાદ રાજીનામું આપ્યાની ચર્ચા ધોરાજીઃ  રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે એકાએક પ્રમુખપદેથી રાજીનામું આપી દીધુ છે. માત્ર 13 દિવસ પ્રમુખપદ સંભાળ્યા બાદ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જો કે કલેકટરને આપેલા પત્રમાં અંગત પારિવારિક કારણોસર […]

વડોદરામાં આજવા, પ્રતાપપુરા તળાવ ઊંડુ કરવાની કામગીરી ગ્રામજનોના વિરોધથી અટકી પડી

રાજપુરાના લોકોએ ડમ્પરોમાંથી માટી ઉડતા અને પૂરઝડપે હંકારાતા હોવાથી વિરોધ કર્યો, ગ્રામજનોની ફરિયાદ બાદ પોલીસે તળાવનું ખોદકામ અટકાવી દીધું, કોન્ટ્રાક્ટરે મ્યુનિ, કમિશનરને કરી રજુઆત વડોદરાઃ શહેરના આજવા પ્રતાપપુરા તળાવ પણ ઊંડું કરવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે. દરમિયાન તળાવમાંથી નીકળતી માટીનું ડમ્પરો દ્વારા વહન કરવામાં આવે છે. માટી ભરેલા ડમ્પરોને ઢાંકવામાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code