1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નેપાળ રસ્તે ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતી દક્ષિણ કોરિયાની મહિલા ઝડપાઈ

નવી દિલ્હીઃ સશસ્ત્ર સીમા દળ (SSB) અને પોલીસની સંયુક્ત ટીમે બહરાઇચ જિલ્લાના રૂપૈદિહા વિસ્તારમાં નામ બદલીને ભારત-નેપાળ સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારી દક્ષિણ કોરિયન મહિલાની ધરપકડ કરી છે. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) દુર્ગા પ્રસાદ તિવારીએ જણાવ્યું હતું કે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ, નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી એક વિદેશી મહિલાને પોલીસ અને સશસ્ત્ર સીમા બાલની […]

લદ્દાખમાં આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, આ ભૂકંપ સવારે 4:32:58 વાગ્યે આવ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. વહેલી સવારે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ લદ્દાખની રાજધાની લેહમાં 10 […]

બાંગ્લાદેશ ક્રિકેટના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ક્રિકેટના સ્ટેડિયમમાં આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં ખસેડાયાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હૃદયરોગનો હુમલો આવ્યો છે. મેચ રમતી વખતે તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL) માં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઇકબાલે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. […]

IIT ગાંધીનગર ખાતે આયોજિત “હેક ધ ફ્યુચર” હેકાથોનનું આયોજન

ગાંધીનગરઃ રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી IITGN કેમ્પસ ખાતે “હેક ધ ફ્યુચર” નામનું તેનું 36 કલાકનું હેકાથોન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યક્રમમાં ભારતભરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં IIT, NIT, IIIT વગેરેનો સમાવેશ થાય છે. સહભાગીઓએ મંત્રાલય અને સંસ્થાના માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલા […]

મુંબઈથી ગાંધીનગર ખાતે જતી વંદે ભારત ટ્રેનનું આણંદ ખાતે ખાસ સ્ટોપેજ

વડોદરાઃ મુંબઈ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરીનો આનંદ માણે છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપવાની માંગણી કરવામાં આવતી હતી. જો કે, રેલવે મંત્રાલય દ્વારા આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપ્યું હોવાનું જાણવા મળે છે. રેલવે મંત્રાલયના આ નિર્ણયથી આંણદની જનતામાં ખુશી ફેલાઈ છે. મુંબઈથી […]

વડનગરનાં હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું CMએ કર્યું અનાવરણ

મહેસાણાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 24 માર્ચ 2025ના રોજ વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરનું શિખર સુવર્ણમય બનતાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ યજ્ઞશાળાને ખુલ્લી મુકી ઉપરાંત પ્રવાસન વિભાગ દ્વારા બનાવાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ CMએ લોકાર્પણ કર્યું છે. ગુજરાત સરકારે અંબાજી, મોઢેરા સૂર્યમંદિર બાદ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આશરે રૂ.5.5 કરોડના ખર્ચે […]

રાજકોટના નાકરાવાડી ગામે ફૂડ ફેક્ટરીમાં લાગી આગ, મોટી જાનહાની ટળી

અમદાવાદઃ રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા નાકરાવાડી ગામ પાસે આવેલી KBZ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. 4 ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ છે કે 5 કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ […]

દિલ્હીઃ ભાજપા સરકારનો અનોખો અંદાજ, ખીર ખવડાવી કરી બજેટની શરૂઆત

નવી દિલ્હીઃ દિલ્હીમાં બજેટ સત્રની શરૂઆત અનોખી રીતે કવામાં આવી છે. મંત્રી પ્રવેશ વર્માએ પોતાના હાથે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ખીર ખવડાવી. મુખ્યમંત્રીએ પ્રવેશ વર્મા અને અન્ય મંત્રીમંડળના સભ્યોને ખીર પીરસીને આ ખાસ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ દિલ્હી સરકાર માટે એક નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે, કારણ કે 27 વર્ષ પછી દિલ્હી સરકાર તેનું […]

એક ભારત – શ્રેષ્ઠ સુવિકસીત ભારત : 2047ના મિશનને સાકાર કરવા સ્વામી વિવેકાનંદજીના પ્રેરક વિચારો આજે પણ પ્રાસંગિક

“એક ભારત – શ્રેષ્ઠ સુવિકસીત ભારત: 2047ના મિશનને સાકાર કરવું હશે તો આપણે આજે પણ સ્વામી વિવેકાનંદજીના આર્ષવાણીયુક્ત પ્રેરક ઉદ્બોધનને પુનઃ આત્મસાત કરવું જ રહ્યું” આવા પ્રેરક શબ્દોથી ઉદ્બોધન કરતા, રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના મહામંત્રી-ઓજસ્વી યુવા આગેવાન ઋત્વિ પટેલે ઉમેર્યુ કે, ” 1893માં અમેરિકામાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદના યશસ્વી ઉદ્બોધન પછી  સ્વામી વિવેકાનંદજીએ 1897માં સ્વદેશાગમન કર્યુ. 14 […]

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલોમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદ અને નક્સલવાદ ગ્રસ્ત વિસ્તારમાં સર્ચ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલોમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર જિલ્લાના ભદ્રવાહના ભાલરા જંગલ વિસ્તારમાં સેનાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code