1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનની ઊંઘ ઉડી, આઠમા દિવસે યુદ્ધવિરામનો ભંગ કર્યો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી આતંકવાદીઓનું ઘર ગણાતા પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. તેને ભારત તરફથી કડક કાર્યવાહીનો સતત ડર રહે છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન નિયંત્રણ રેખા પારથી સતત ગોળીબાર કરી રહ્યું છે. તેણે સતત આઠમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જોકે, તેને દર વખતે હારનો […]

ચંડોળા તળાવ વિસ્તારના કૂખ્યાત લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ

લલ્લા બિહારી બોગસ ડોક્યુમેન્ટથી બાંગ્લાદેશીઓને મદદ કરતો હતો લલ્લા બિહારી 5 મકાનોમાં ચાર પત્નીઓ સાથે રહેતો હતો ક્યા રાજકીય નેતાઓનું રક્ષણ હતું તેની પણ તપાસ કરાશે અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં લલ્લા બિહારીના મકાનો, ઓફિસો પર પણ બુલડોઝર ફેરવી દેવાયા હતા. કહેવાય છે. કે, આ […]

PM નરેન્દ્ર મોદીએ કેરળમાં રૂ. 8,800 કરોડના મૂલ્યના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું

કોચીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના તિરુવનંતપુરમમાં 8,800 કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ત્રણ વર્ષ પહેલાં, સપ્ટેમ્બરમાં, તેમને આદિ શંકરાચાર્યના પૂજનીય જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે તેમના સંસદીય મતવિસ્તાર, કાશીમાં વિશ્વનાથ ધામ […]

પહેલગામ હુમલાની ચર્ચા કરવા માટે મુસ્લિમ દેશ ઈરાનના નેતા ભારત આવશે

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ વધારે તંગ બની છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લઈ શકે છે. તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. બંને નેતાઓ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે વાત કરવાના છે. હુમલા પછી, અરાઘચીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની પણ વાત કરી […]

મણિપુરઃ વિસ્ફોટક હથિયાર સાથે ઉગ્રવાદી ઝડપાયાં

ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા 48 કલાકમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનોના કુલ 16 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રતિબંધિત યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (પામ્બેઈ) ના બે કાર્યકરોની ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગડેમ ગામ નજીક નાપેટપલ્લી એન્ડ્રો રોડ પરથી ખંડણીમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ બિષ્ણુપુર જિલ્લાના […]

ભારતના હુમલાથી ડરીને પાકિસ્તાને મુસ્લિમ દેશો સમક્ષ કરી ખાસ વિનંતી

નવી દિલ્હીઃ ભારતના સંભવિત હુમલાથી ડરેલું પાકિસ્તાન, આખી દુનિયા સમક્ષ વિનંતી કરી રહ્યું છે. હવે ભારતની કાર્યવાહીથી બચવા માટે, ઇસ્લામાબાદે મુસ્લિમ દેશોને અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત ઇફ્તિખાર અહેમદે ન્યૂયોર્કમાં મુસ્લિમ દેશોના જૂથ, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ના રાજદૂતોના જૂથને નવીનતમ પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. અહેમદે ભારતના પગલાંને દક્ષિણ એશિયામાં શાંતિ […]

તસ્લીમા નસરીએ મોહમ્મદ યુનિસનો નોબલ શાંતિ પુરસ્કાર પાછો ખેંચવા અપીલ કરી

નવી દિલ્હીઃ દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ફરી એકવાર મોહમ્મદ યુનુસ સરકાર સામે આકરા પ્રહાર કર્યાં છે. તેમણે યુનુસનો નોબેલ શાંતિ પુરસ્કાર પાછો ખેંચવાની અપીલ કરી છે. તસ્લીમા નસરીને મોહમ્મદ યુનુસ પર સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા છે. તસ્લીમા નસરીને X પર પોસ્ટ કરી છે કે, તેમણે નોર્વેજીયન નોબેલ સમિતિને […]

ઇઝરાયલે સીરિયા સામે મોરચો ખોલીને હવાઈ હુમલા કર્યા; રાષ્ટ્રપતિ ભવન પાસે બોમ્બ વરસાવ્યા

સીરિયન સરકાર સમર્થકો અને લઘુમતી ડ્રુઝ સમુદાય વચ્ચેની લડાઈ વચ્ચે ઇઝરાયલે સીરિયા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વહેલી સવારે ઇઝરાયલી વાયુસેનાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલે સીરિયાના રાષ્ટ્રપતિ મહેલ નજીક બોમ્બ વરસાવ્યાનું જાણવા મળે છે. સીરિયાની રાજધાની દમાસ્કસ નજીકના એક વિસ્તારમાં સરકાર સમર્થકો અને લઘુમતી ડ્રુઝ સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આમાં 10 લોકોના […]

પાકિસ્તાનનો આતંકવાદ સાથે સંબંધ હોવાનું બિલાવલ ભુટ્ટોએ પણ સ્વિકાર્યું

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના દાવા સાથે એનઆઈએએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં એનઆઈએને પાકિસ્તાનની સંડોવણીના મહત્વના પુરાવા મળ્યાં છે. દરમિયાન તાજેતરમાં પાકિસ્તાનના મંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારો ખુલાસો કર્યો કરતા જણાવ્યું હતું કે, વિદેશી તાકાત માટે વર્ષોથી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. દરમિયાન હવે ભારતે સિંધુ જળ સંધિ મુદ્દે ભારતની […]

પહેલગામ હુમલા પછી ભારત પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા, સાયબર ગુનેગારો થયા સક્રિય

મુંબઈઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતને લક્ષ્ય બનાવીને 10 લાખથી વધુ સાયબર હુમલા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સાયબર સેલે આવા અનેક ઓનલાઈન હુમલાઓ રેકોર્ડ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન સહિત ઘણા દેશોના હેકિંગ જૂથોએ ભારતીય સિસ્ટમો પર 10 લાખથી વધુ સાયબર હુમલા કર્યા હતા. રાજ્ય પોલીસની સાયબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code