1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દ્રૌપદી મુર્મુ લિસ્બન પહોંચ્યા, 27 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની પ્રથમ મુલાકાત

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે છે. કોઈ ભારતીય રાષ્ટ્રપતિની આ 27 વર્ષ બાદ પોર્ટુગલની અને 29 વર્ષ બાદ સ્લોવાકિયાની મુલાકાત છે. રાષ્ટ્રપતિ એવા સમયે પોર્ટુગલની મુલાકાતે છે જ્યારે બંને દેશોના સંબંધો અને રાજદ્વારી ભાગીદારીના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ રવિવારે રાત્રે પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા હતા. આ સાથે […]

ChatGPT નું પ્રીમિયમ વર્ઝન હવે વિદ્યાર્થીઓ માટે મફત, આ સુવિધા ફક્ત યુએસ અને કેનેડામાં ઉપલબ્ધ બનશે

શિક્ષણમાં AI ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે OpenAI એ કોલેજના વિદ્યાર્થીઓ માટે ChatGPT Plus મફતમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે, જોકે આ સુવિધા હાલમાં ફક્ત યુએસ અને કેનેડામાં જ ઉપલબ્ધ છે અને તે ફક્ત મે મહિનાના અંત સુધી જ ચાલશે. આ મર્યાદિત સમયની ઓફર હેઠળ, OpenAI વિદ્યાર્થીઓને GPT-4o, એડવાન્સ્ડ ફાઇલ વિશ્લેષણ અને વૉઇસ ઇન્ટરેક્શન જેવી […]

અમદાવાદના શાહીબાગમાં કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાયા બાદ આગ લાગી

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બળીને ખાક કારમાં બેઠેલા ત્રણ જણા અને રિક્ષામાં પ્રવાસ કરતા બેને ઈજા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાતના સમયે શાહીબાગ ડફનાળા પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતા […]

અમદાવાદનું માણેકચોક ખાણી-પીણી બજાર કાલે સોમવારથી ફરી ધમધમશે

માણેકચોકમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન બદલવા ખાણીપીણી બજાર બંધ કરાયુ હતું ખાણીપીણીના વેપારીઓએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી રાત્રી બજારનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડશે અમદાવાદઃ શહેરના માણેકચોક ખાણીપીણી બજારને ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યું હતું. હવે ડ્રેનેજલાઈનની કામગીરી પૂર્ણ થઈ જતાં કાલે સોમવારથી ફરી માણેકચોક રાત્રી ખાણીપીણી બજાર ધમધમતુ થઈ જશે. ખાણીપીણીના […]

ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી, મહાનગરોમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદમાં શોભાયાત્રામાં લવ જેહાદનો ફ્લોટ પોલીસે દૂર કરાવ્યો રાજકોટમાં રાધેશ્યામ ગૌ શાળા સહયોગથી શોભાયાત્રા નીકળી વહેલી સવારથી દર્શન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી અમદાવાદઃ ગુજરાભરમાં આજે રામનવમીનું પર્વ ભારે આનંદોલ્લાસ સાથે ઊજવાયુ હતુ. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. આજે સવારથી તમામ મંદિરોમાં […]

કાલે વિશ્વ આરોગ્ય દિન, લોકોની આરોગ્ય સુખાકારી માટે બજેટમાં 23000 કરોડનો વધારો

ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવી ન્યુરોલોજીકલ સાયન્સ સંસ્થા કાર્યરત થશે જાન્યુઆરી-2025 સુધીમાં PHC ખાતે 1.44 કરોડ, CHC દ્વારા 1.31 કરોડ દર્દીઓને સારવાર,   ગુજરાત ટીબી નિર્મુલન કામગીરીમાં અગ્રેસર ગાંધીનગરઃ કાલે તા. 7મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિન છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાના સંકલ્પ સાથે […]

અમદાવાદ સહિત 6 શહેરોમાં પાન-મસાલા, તમાકુના વેપારીઓને ત્યાં GSTના દરોડા

અમદાવાદ,વાપી, હિંમતનગર સહિત 20 સ્થળોએ સર્ચ બિન હિસાબી 5 કરોડની ચોરી પકડાઈ GSTના દરોડાથી પાન-મસાલા-તમાકુંના વેપારીઓમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વાપી, હિંમતનગર સહિત 6 શહેરોમાં જીએસટી વિભાગના અધિકારીઓએ પાન-મસાલા અને તમાકુના 8 વેપારીઓને ત્યાં 20 જેટલા સ્થળોએ દરોડા પાડીને બિન હિસાબી 5 કરોડની કરચોરી પકડી પાડી છે. જીએસટીના સર્ચને લીધે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો  હતો […]

માધવપુર ઘેડ ખાતે આજથી પાંચ દિવસીય મેળાનો શુભારંભ,

8મી એપ્રિલે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના લગ્ન યોજાશે 5 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ગામ-પરાગામથી અનેક લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોરબંદર નજીક ગરિયા કાંઠે આવેલા માધુપુર ઘેડમાં આજથી પાંચ દિવસીય લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. 5 દિવસના આ લોક મેળા દરમિયાન સરકાર દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળાને મહાલવા માટે ગામ-પરગામથી […]

સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ખોટ ખાઈને વેચવા કાઢતા વિરોધ

8 ફેબ્રુઆરી સુધી સરકારે અંદાજીત 12 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી 6782ના ક્વીન્ટલના ભાવે ખરીદેલી મગફળી 5150થી 5400ના ભાવે વેચાણ તેલીબીયા સંગઠનનો કૃષિમંત્રીને લખ્યો પત્ર,  ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડુતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 6782ના ટેકાના ભાવે ખરીદેલી 12 લાખ ટન મગફળી ખોટ ખાઈને સરકાર પ્રતિ ક્વિન્ટલ 5150થી 5400ના ભાવે વેચી રહી છે. બજાર કરતા […]

અમદાવાદમાં અસહ્ય તાપમાન સામે AMCનો એક્શનપ્લાન નિષ્ફળ

બપોરના ટાણે મોટાભાગના રસ્તાઓ પર સિગ્લનો ચાલુ હોય છે એએમટીએસ, બીઆરટીએસ સ્ટેન્ડ પર ઠંડા પાણીના વ્યવસ્થા નથી શહેરના ક્રોસ રોડ પર ગ્રીન નેટ લાગાવાઈ નથી ફુવારા પણ બંધ હાલતમાં છે અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. ને હવામાન વિભાગે બે દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી કરી છે. ત્યારે તાપમાનમાં શહેરીજનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code