1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરમાં ‘ઝીરો ટેરર પ્લાન’ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકો ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે 4 અને 5 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોના અનુસંધાનમાં થઈ હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, ડિરેક્ટર (આઇબી), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ […]

ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ ભારત અને ઇઝરાયલનો સામાન્ય દુશ્મન આતંકવાદ છે અને બંને દેશોના વડા પ્રધાનો તેને નાબૂદ કરવા માટે એક સામાન્ય હેતુ સાથે કામ કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી હતી. ગોયલે નોંધ્યું […]

નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના ફિટનેસ પ્રયાસોની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાની સોશિયલ મીડિયા પોસ્ટને ટાંકીને પ્રેરણાદાયક સંદેશ આપ્યો. નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે સ્વસ્થ રહેવા માટે તમારે રમતવીર કે ફિટનેસ ઉત્સાહી બનવાની જરૂર નથી. નીરજે પોસ્ટમાં એક લેખ શેર કર્યો હતો. ભારતને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં પીએમ મોદીને […]

તણાવ ઓછો કરવા વિદ્યાર્થીઓએ માતા-પિતા અને શિક્ષકો સાથે કરવી જોઈએ વાત: દીપિકા પાદુકોણ

નવી દિલ્હીઃ અભિનેત્રી દીપિકા પાદુકોણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા’ ના આઠમા સંસ્કરણમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના તણાવને ઘટાડવાના માર્ગો પર ચર્ચા કરી હતી. પોતાના બાળપણના અનુભવો શેર કરતાં તેણીએ કહ્યું કે તેણીને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ રસ હતો. તેમણે શિક્ષણની સાથે અભ્યાસેતર પ્રવૃત્તિઓના મહત્વ પર પણ ભાર મૂક્યો. […]

એર ચીફ રાઉન્ડટેબલ: વધતા વૈશ્વિક સુરક્ષાનાં જોખમો અને ભવિષ્યના સંઘર્ષોની ચર્ચા કરાઈ

ભારતીય વાયુસેનાએ એરો ઈન્ડિયા 2025 દરમિયાન એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વાયુસેના પ્રમુખોની ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 17 દેશોના વાયુસેનાના વડાઓ અને લગભગ 40 અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ભવિષ્યનાં સંઘર્ષોની ચર્ચા કરવા માટે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વધતા વૈશ્વિક સુરક્ષાનાં જોખમો અને ભવિષ્યના સંઘર્ષોની ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું […]

CBIએ ભ્રષ્ટાચાર મામલે દિલ્હી પરિવહન વિભાગનાં 6 કર્મચારીઓની કરી ધરપકડ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  સીબીઆઈએ દિલ્હી ટ્રાન્સપોર્ટના 6 કર્મચારીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈ એક્શન મોડમાં જોવા મળી રહી છે. હકીકતમાં, દિલ્હી-ગુડગાંવ રૂટ પર દોડતી બસો તરફથી સતત ફરિયાદો આવતી હતી કે દિલ્હી પરિવહન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારનો ખેલ રમી […]

સંત રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે દેશભરમાં સંત ગુરુ રવિદાસની જન્મજયંતિ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. સંત રવિદાસે સમાજમાં સમાનતા, એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો. તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને સમાજ કલ્યાણ માટેના તેમના કાર્યો અને વિચારોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ […]

અમેરિકા બાદ હવે બ્રિટન દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવ્યા

અમેરિકાની જેમ, બ્રિટન પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢવાના અભિયાનમાં વ્યસ્ત છે, તેમજ દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બ્રિટિશ ગૃહ કાર્યાલયે ટ્વિટર પર વિડીયો શેર કરીને લખ્યું, “સંગઠિત ઇમિગ્રેશન ગુનાઓ વિશ્વભરમાં વધતો જતો ખતરો છે. માર્ચમાં, યુકે એક સરહદ સુરક્ષા સમિટનું આયોજન કરશે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, કાયદા અમલીકરણ ભાગીદારો અને વૈશ્વિક સંસ્થાઓને સ્થળાંતર-તસ્કરીનો સામનો કરવા […]

મહાકુંભઃ માઘી પૂર્ણિમા નિમિતે શ્રદ્ધાળુઓ ઉમટ્યાં, સીએમ યોગી રાખી રહ્યાં છે પરિસ્થિતિ ઉપર નજર

લખનૌઃ માઘી પૂર્ણિમા નિમિતે સ્નાન શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે ભક્તોની ભીડ એકઠી થઈ છે. ભીડને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તારમાં વાહનોનો પ્રવેશ એક દિવસ અગાઉથી બંધ કરી દેવામાં આવ્યો હતો. પાણી, જમીન અને આકાશના દરેક ઇંચ પર નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારથી જ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા […]

બજેટનો ઉદ્દેશ્ય સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે: નાણામંત્રી

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાથી યુક્રેન સુધી ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે અનિશ્ચિતતાના આવા વાતાવરણમાં તૈયાર કરાયેલા આ બજેટમાં ‘ભારતનું પરિવર્તન’ ને ‘વિકસિત ભારતમાં’ રૂપાંતરિત કરવાના પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બજેટનો ઉદ્દેશ્ય ખેડૂતો, ગરીબો, મહિલાઓ અને યુવાનો સાથે સમાવિષ્ટ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. નિર્મલા સીતારમણે કહ્યું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code