1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં જાન્યુઆરીમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો, વાહનોનું વેચાણ 6 ટકા વધ્યું

એક જ મહિનામાં ઓવરઓલ વેચાણમાં 6 ટકાનો વધારો જાન્યુઆરી 2024 કરતાં જાન્યુઆરી 2025માં 5977 કાર વધુ વેચાઈ ટુ વ્હીલરના વેચાણમાં 6 ટકા અને થ્રી વ્હીલરમાં 8 ટકાનો વધારો અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. નવા વાહનોના વેચાણમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો નોંધાયો […]

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ફેલ થતાં ઈન્દોર ડાયવર્ટ કરાઈ

એરપોર્ટ પર વધારે સ્પીડને લીધે લેન્ડિંગ ફેલ થયુ 170 પ્રવાસીઓના જીવ ટાળવે ચોટ્યા ભૂલ બદલ પાઈલટ સામે હવે ડીજીસીએ તપાસનો આદેશ આપશે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. ત્યારે એર ઈન્ડિયાની દિલ્હીથી આવેલી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ ફેલ થતાં ઈન્દોર ડાઈવર્ટ કરાઈ હતી. ફ્લાઈટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે […]

અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી ગયો

કાંકરિયા ઝૂમાં 20 ફુટ ઉંચી ફેન્સિંગ કૂદીને યુવક ઝાડ પર ચડ્યો ઝાડ પર યુવાનનો પગ લપસતા લોકોએ બુમાબુમ કરી સિક્યુરિટી સ્ટાફે મહામહેનતે સમજાવી યુવકને બહાર કાઢ્યો અમદાવાદઃ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા મુલાકાતીઓમાંથી એક યુવાન 20 ફુટ ઊંચી ફેન્સિંગ કૂદીને વાઘના પાંજરામાં ઝાડ પર ચડી ગયો હતો. વાઘ ખૂલ્લા પાંજરામાં ઝાડની નજીક હતો. એકવાર તો […]

અમદાવાદના ઘાટલોડિયામાં કારચાલકે અડધો ડઝન વાહનો અડફેટે લીધા

અકસ્માત સર્જનારા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો કારચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ બે વૃદ્ધ અને બાળકો સહિત ચારને ઈજા  અમદાવાદઃ શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મેમનગરથી વિવેકાનંદ સર્કલથી આગળ જતાં રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારએ 6થી 7 વાહનોને અડફેટે લીધા હતા. અને અકસ્માત […]

સુરતમાં 30 લકઝરી કાર સાથે વિદ્યાર્થીઓએ સીન સપાટા કરી ફેરવેલમાં પહોંચ્યા

30 લકઝરી કારમાં ધો, 12ના વિદ્યાર્થીઓએ સ્ટંટબાજી કરી વિડિયો વાયરલ કર્યો ફેરવેલમાં માટે શાળાએ બસ મોકલી હતી છતાં વિદ્યાર્થીઓ લકઝરી કારમાં આવ્યા પોલીસે તપાસ કરી રહ્યાનો દાવો કર્યો સુરતઃ સોશ્યલ મીડિયાના જમાનામાં ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો અપલોડ કરીને સમાજમાં વટ પાડવા માટે નબીરાઓ અવનવી હરકતો કરતા હોય છે. શહેરમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિદાય માટે સ્કૂલમાં યોજાયેલી […]

નડિયાદમાં લટ્ઠાકાંડ, દેશી દારૂ પીધા બાદ ત્રણના મોતનો પરિવારજનોનો આક્ષેપ

નડિયાદમાં જવાહર વિસ્તારમાં બન્યો બનાવ કથિત લઠ્ઠાકાંડમાં અડધા કલાકમાં ત્રણ વ્યક્તિ મોતને ભેટ્યા પોલીસનો કાફલો હોસ્પિટલ દાડી ગયો નડિયાદઃ શહેરમાં કથિત લઠ્ઠાકાંઠે ત્રણનો ભોગ લીધો છે. શહેરના જવાહરનગર વિસ્તારના ત્રણ જણાંએ દેશી દારૂ ઢીંચ્યા બાદ અડધા કલાકમાં ત્રણેય વ્યક્તિ મોતને ભેટ્યા હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી […]

અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂર ઝડપે કાર આઈસર સાથે અથડાતા પતિ-પત્નીના મોત

અકસ્માતમાં કારના કૂરચેકૂરચા ઊડી ગયા કારમાં બે બાળકોનો ચમતકારિક બચાવ કારની એરબેગ પણ ચીરાઈ ગઈ અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ગત મોડી રાતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર આઈસર પાછળ ઘૂંસી જતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલે ભયંકર […]

મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને […]

જો ઝડપી વસતી ગણતરી કરવામાં આવે તો તમામ વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાનૂનનો લાભ મળશેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો […]

દિલ્હી ચૂંટણીમાં પરાજયનો મુદ્દે કેજરિવાલને મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનંદન પાઠવ્યાં!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી ચૂંટણીમાં પોતાની હારની સમીક્ષા કરી રહી છે. દરમિયાન દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની મંડોલી જેલમાંથી એક પત્ર આવ્યો છે. આ પત્ર બીજા કોઈએ નહીં પણ સુકેશ ચંદ્રશેખરે લખ્યો છે. મહાઠગ ચંદ્રશેખરએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code