1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હવે ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, પોલીસ અને પ્રવાસન વિભાગ સજ્જ

૧૦ મેથી ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અત્યાર સુધી 19 લાખથી વધારે ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઓછા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકશે. કેમ કે વધુ પડતા ભક્તોના ધસારાના કારણે વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકા રહેલી છે. ત્યારે કેટલાં ભક્તો દરરોજ ચારેય ધામના દર્શન કરી શકશે?. […]

પ્રદૂષણને કારણે સુગર લેવલ વધે છે, ડાયાબિટીસના દર્દીઓએ આ સાવધાની રાખવી જોઈએ

પોલ્યૂશનમાં માણસના વાળ કરતાં 30 ગણા પાતળા પાર્ટિક્યુલેટ મેટરના સંપર્કમાં આવવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે. સંશોધન મુજબ, ટાઇપ 2 ડાયાબિટીસના 20% કેસ PM 2.5 કણોના સંપર્કમાં આવવાથી થાય છે, જે 30 વખત પાર્ટિક્યુલેટ મેટર (PM)ના સંપર્કમાં આવે છે. પ્રદૂષણમાં માનવ વાળ કરતાં પાતળા થવાથી રોગનું જોખમ વધી જાય છે. એર પોલ્યૂશનના ઘણા કારણોસર […]

હવે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતર

કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે સોમવારે જાહેર અખબારી યાદીમાં કહ્યું- વિદ્યાર્થીઓને પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપનાર અસ્થાયી નીતિ 30 એપ્રિલ 2024ના સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું- અમે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર કામ કરવાની કલાકોની સંખ્યા બદલીને 24 કલાક કરવા ઈચ્છીએ છીએ. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની […]

ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચી તારક મહેતાની ટીમ, ગૌશાળાની ગાયને ઘાસ ખવડાવ્યું

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું બોરડી સમઢીયાળા ગામ રખડતા ઢોર મુક્ત ગામમાં બનતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમના કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે. ગામના રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. ત્યારે રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે ફેમસ […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 746 ક્વિન્ટલની આવક, હરાજીમાં મણના 2600 સુધીના ભાવ બોલાયા

જુનાગઢઃ આ વર્ષે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીના પાકને માઠી અસર પહોંચી હતી. તેના લીધે કેરીનો પાકની આવક મોડી શરૂ થઈ છે. ગીરના કેરીના પીઠા તરીકે જાણીતા તળાલા ગીર યાર્ડમાં બુધવારથી કેસર કેરીના હરાજીનો પ્રારંભ થયો છે. જ્યારે જુનાગઢ યાર્ડમાં ગત એપ્રિલ મહિનાથી કેરીના આવક શરૂ થઈ હતી. તા.2જી મેને ગરૂવારે કાચી કેસર કેરીની 746 ક્વિન્ટલ […]

અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં ફીવર, ઝાડા-ઊલટી, પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા પખવાડિયાથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં વાયરલ તાવ, ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા છે. જેમાં મ્યુનિ.ની હોસ્પિટલોમાં 129 દર્દીઓને દાખલ કરાયા છે. દરમિયાન મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા […]

અબુધાબી, અને દુબઈમાં ફરીવાર વરસાદની આફત સર્જાતા અમદાવાદ આવતી ફ્લાઈટ્સ મોડી પડી

અમદાવાદઃ અબુધાબી, દુબઈ સહિત યુએઈમાં ફરીવાર ભારે પવન સાથે વરસાદ પડતાં અમદાવાદથી યુએઈ જતી-આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત બની હતી. દૂબઈ અને અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઈટ્સ દોઢથી બે કલાક મોડી પડી હતી. જેમાં સવારે 5:45 કલાકે અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર આવનારી એર અરેબિયાની ફ્લાઇટ દોઢ કલાકના વિલંબ બાદ 7:15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. આ ઉપરાંત અબુધાબીથી […]

લુણાવાડાના હાડોડ ગામ પાસે મહી નદીમાં પુલ પરથી કાર ખાબકી, એકનું મોત

લૂણાવાડાઃ મહીસાગર જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લૂણાવાડાના હાડોડ ગામ નજીક બન્યો હતો. હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જૂના પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. આ બનાવની જાણ ગ્રામજનો ઘટનાસ્થળે આવી દોડી ગયા હતા. કાર પુલના નીચે જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવની […]

ગરમી વધવાને લીધે આવકમાં ઘટાડો થતાં લીલા શાકભાજીના ભાવમાં ફરી વધારો

અમદાવાદ: ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. વધતી જતી ગરમીને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં સરેરાશ 3-10 રૂપિયાનો વધારો કરવાની […]

રાજકોટમાં અટલ સરોવર ખૂલ્લું મુકાયા બાદ પ્રથમ દિવસે 10,000થી વધુ લોકો ઉમટી પડ્યાં,

રાજકોટઃ શહેરમાં ગુજરાતના સ્થપના દિન 1લીમેને બુધવારે લોકો માટે અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવતા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. અટલ સરોવરમાં પ્રવેશ માટે  ટિકિટ લેવામાં લાંબી લાઈનો જોવા મળી હતી. અટલ બ્રિજ સરોવરમાં લોકોએ ફાઉન્ટેઈન અને લેઝર શોની મોજ માણી હતી. રાજકોટ શહેરના રૈયા સ્માર્ટ સીટી ખાતે 136 કરોડના ખર્ચે મ્યુનિ.કોર્પોરેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code