1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત-પાક સરહદ પર આવેલા નડાબેટમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

થરાદ, 9 જાન્યુઆરી 2026: દર શિયાળાની સીઝનમાં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ ગુજરાતની સહેલગાહે આવતા હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપીને નડાબેટ પહોંચ્યા છે. આ યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (CAF) […]

થાનગઢના ખાખરાળી ગામ નજીક ગેરકાયદે કોલસાનું ખનન પકડાયું

સુરેન્દ્રનગર, 9 જાન્યુઆરી 2026: જિલ્લાના થાન તાલુકાના ખાખરાળી ગામ નજીક કોલસાના ગેરકાયદે ખનન સામે ચોટિલા પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે દરોડો પાડતા કોલસા ખનન માટેના બે ચાલુ કૂવા મળી આવ્યા હતા. સ્થળ પરથી આશરે 70 ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખનન માટે વપરાતો એક ચરખી સેટ પણ કબજે કરી તેને થાનગઢ મામલતદાર કચેરી […]

સોમનાથના સ્વાભિમાન પર્વ માટે રવિવારે એસટીની 1800 બસો ફાળવાશે

રાજકોટ, 9 જાન્યુઆરી 2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11મી જાન્યુઆરીને રવિવારે ઊજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી […]

અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓએ પાણીને ક્લોરીનથી શુદ્ધ કરીને વેચવું પડશે

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે  પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન […]

રાજકોટના ધોરાજી, જેતલસર સહિત વિસ્તારોમાં ભૂકંપના આંચકા

ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર ઉપલેટાથી 30 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું રાજકોટ, 9 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર-કચ્છમાં અનારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી બપોર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય વ્યાપી […]

PM મોદી 10-11 જાન્યુ.એ સોમનાથની મુલાકાત લેશે, સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે. 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે […]

કરૂણા અભિયાન: 8500 સ્વયંસેવકો પક્ષીઓના બચાવ માટે કાર્યરત રહેશે

ગાંધીનગર, 09 જાન્યુઆરી 2026: રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી […]

સુરતમાં બાઈક સ્લીપ થતાં પાછળ આવતી સિટી બસની અડફેટે બાઈકચાલકનું મોત

સુરત, 9 જાન્યુઆરી 2026: શહેરના કતારગામ વિસ્તારમાં ફુલપાડા નજીક રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતા સામે આવી રહેલા બાઈકચાલકે બ્રેક મારતા બાઈક રોડ પર સ્લીપ ખાતા બન્ને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. આ સમયે પાછળ આવી રહેલી સિટી બસે અડફેટે લેતા 29 વર્ષીય બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.  શહેરના કતારગામ વિસ્તારમાં […]

સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા

સોમનાથ, 9 જાન્યુઆરી 2026: સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ […]

યંગ ઈન્ડિયા (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young India (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code