1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તરાણની રજાઓમાં પરિવાર ઉદેપુર ફરવા ગયો અને બંધ મકાનમાં 18 લાખની ચોરી થઈ

વડોદરા, 16 જાન્યુઆરી 2026:   શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં રહેતો પરિવાર ઉત્તરાણની રજાઓમાં ઉદેપુર ફરવા માટે ગયો હતો. ત્યારે તસ્કરોએ રોકડ-દાગીના સહિત રૂપિયા 18 લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. જો કે બંગલામાં લગાલેવા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતા. જેમાં દેખાય છે કે, તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે […]

અમદાવાદમાં ફ્લાવર શોને ગત વર્ષ કરતા આ વર્ષે મળ્યો નબળો પ્રતિસાદ

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:  શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ગત વર્ષ કરતા નબળો પ્રતિસાદ મળ્યો છે. ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકોએ એક જ દિવસમાં ફ્લાવર શોની મુલાકાત લેતા રેકોર્ડ સર્જાયો હતો, પરંતુ ચાલુ વર્ષે 2026માં માત્ર […]

સુરતની આનંદ વિલા સોસાયટીમાં સાયકલ ચલાવતા બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત

સુરત, 16 જાન્યુઆરી 2026: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં 8 વર્ષનો બાળક સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન પતંગની દોરી ગળામાં ભરાતા લોહી-લૂહાણ હાલતમાં ગબડી પડ્યો હતો. બાળકને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.હોસ્પિટલ પહોંચતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.  સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવાર દરમિયાન દર વર્ષે પતંગની […]

બાંગ્લાદેશ ક્રિકેટમાં ભૂકંપ: બોર્ડના ડાયરેક્ટની હકાલપટ્ટી, BPL સ્થગિત

ઢાકા, 16 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા વહીવટી અને શિસ્તભંગના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) 2026 ને ખેલાડીઓના બહિષ્કારને કારણે અચાનક રોકવી પડી છે. આ વિવાદનું મુખ્ય કારણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડાયરેક્ટર એમ. નજમુલ ઈસ્લામ દ્વારા પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ‘ઈન્ડિયન એજન્ટ’ કહેવાનું અપમાનજનક નિવેદન […]

મુસ્લિમ સ્ત્રીઓ મૌન રહે તેવી અપેક્ષા રખાય છે, પણ મેં પિતૃસત્તાને પડકારી છેઃ બુકર વિજેતા બાનુ મુશ્તાક

જયપુર, 16 જાન્યુઆરી, 2026: Muslim women are expected to remain silent જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF) 2026ના મંચ પરથી પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ‘ વિજેતા અને કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે પોતાના જીવન અને સંઘર્ષની કથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક મુસ્લિમ મહિલા લેખિકા તરીકે તેમનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નથી. સમાજ અને સત્તાના માળખા હંમેશા […]

હરિદ્વાર હરકી પૌડી પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ

હરિદ્વાર, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ‘શ્રીગંગા સભા’ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. હરકી પૌડી ક્ષેત્રમાં હવે બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જે અંગેના બોર્ડ પણ ઠેર-ઠેર લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા વીડિયોને […]

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: BMCમાં ભાજપનો દબદબો

મુંબઈ, 16 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાભરી મુંબઈ અને પુણે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પ્રક્રિયા તેજ બની છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ અને પુણે બંને મહાનગરોમાં મજબૂત પકડ જમાવી છે. મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકો પૈકી 109 બેઠકો ઉપર ભાજપ આગળ છે. જ્યારે 64 બેઠક ઉપર શિવસેના(U), 16 ઉપર કોંગ્રેસ અને 20 બેઠકો […]

સ્ટાર્ટઅપ ઈન્ડિયાના સફળ 10 વર્ષ: PM મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલના 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અને ખાસ કરીને યુવા સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સને પરિવર્તનના એવા ‘એન્જિન’ ગણાવ્યા છે જે દેશની અર્થવ્યવસ્થા અને સમાજના ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, […]

રાજસ્થાન: ચિત્તોડગઢ-ઉદયપુર હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના 4 ના મોત

જયપુર, 16 જાન્યુઆરી 2026: રાજસ્થાનના ચિત્તોડગઢ-ઉદયપુર નેશનલ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. નરધારી વિસ્તાર પાસે રાત્રે 1 વાગ્યાના સુમારે થયેલા આ અકસ્માતમાં કાર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું છે. મળતી માહિતી મુજબ, કાર ચિત્તોડગઢથી ઉદયપુર […]

બાબા મહાકાલના શરણમાં ગૌતમ ગંભીર: ભસ્મ આરતીમાં લીધો ભાગ

ઉજ્જૈન, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાનુભાવોના આગમનનો સિલસિલો યથાવત છે. આ ક્રમમાં આજે શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર બાબા મહાકાલના દરબારમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. ગંભીરે વહેલી સવારે 4 કલાકે યોજાતી પવિત્ર ‘ભસ્મ આરતી’માં સહભાગી થઈ ભગવાન શિવની આરાધના કરી હતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code