1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે […]

મહાનગરપાલિકાની ભરતીમાં હવે 33% મહિલા અનામત લાગુ: દેવાંગ દાણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – 33% women reservation મહાનગરપાલિકામાં આવનારા સમયમાં જે પણ ભરતી કરવામાં આવશે તેમાં 33% મહિલા અનામતની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે પછીની ભરતીની એડવર્ટાઇઝમેન્ટમાં મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે 33% મહિલા અનામત માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. […]

ઈરાને હિટલિસ્ટ જાહેર કરી, ઈઝરાયેલના PM નેતન્યાહુનું નામ સૌથી ઉપર

તહેરાન, 13 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. અત્યાર સુધી માત્ર ઈઝરાયેલ જ પોતાના દુશ્મનોની યાદી જાહેર કરતું હતું, પરંતુ હવે પહેલીવાર ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલ વિરુદ્ધ ‘હિટલિસ્ટ’ જાહેર કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ઈરાની સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું […]

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. આતંકવાદના મુદ્દે ભારતની સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરી હતી. આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સરકારને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ભારતને ચિઠ્ઠી લખીને ચેનાબ નદી […]

બેંગલુરુ: કાર, ટ્રક અને બાઈક વચ્ચેની ટ્રિપલ અકસ્માતમાં સાતના મોત

બેંગલુરુ, 13 ફેબ્રુઆરી 2026: કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારની વહેલી સવાર લોહિયાળ સાબિત થઈ હતી. હોસકોટે-ડાબાસ્પેટે નેશનલ હાઈવે પર એમ. સત્યવારા ગામ પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં એક એક્સયુવી કાર, ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, કોલારથી દેવનહલ્લી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી […]

પરમાણુ ડીલ નહીં થાય તો પીડાદાયક સ્થિતિ સર્જાશે, ટ્રમ્પની ઈરાનને ચીમકી

ન્યૂયોર્ક, 13 ફેબ્રુઆરી 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે તે તાત્કાલિક પરમાણુ સમજૂતી પર સહમત થાય, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે જો સમજૂતી નહીં થાય તો પરિસ્થિતિ “ખૂબ પીડાદાયક” બની શકે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, “અમને સમજૂતી કરવી જ પડશે, નહીં […]

PM કાર્યાલયનું સરનામું બદલાશે, હવે સેવા તીર્થમાંથી ચાલશે સરકાર

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી બપોરે ‘સેવા તીર્થ’ ભવન પરિસરના નામકરણનું અનાવરણ કરશે. ત્યારબાદ તેઓ સેવા તીર્થ તેમજ કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સાંજે સેવા તીર્થમાં યોજાનારી જનસભાને પણ સંબોધશે. સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય પણ સ્થાન પામશે, જે પહેલાં અલગ-અલગ સ્થળોએ કાર્યરત હતા. રાષ્ટ્રીય […]

RBI દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડના નિયમોમાં ધરખમ ફેરફારનો પ્રસ્તાવ, લોન મર્યાદા અને વેલિડિટી વધશે

મુંબઈ, 13 ફેબ્રુઆરી 2026: ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ યોજનાના નિયમોમાં મોટા ફેરફારો સૂચવતો સુધારેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવમાં ખેતીમાં વધતા ટેકનોલોજીના વપરાશને ધ્યાનમાં રાખીને લોન મેળવવાના દાયરાને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, હવે માત્ર બિયારણ કે ખાતર જ નહીં, પણ ખેતી […]

બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬ ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’

અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – Congress to hold ‘Jan Aakrosh Sabha’ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે ગાંધીનગર ખાતે […]

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ભવ્ય જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ તારિક રહેમાનના નેતૃત્વમાં પક્ષે મેળવેલી નિર્ણાયક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પાડોશી દેશમાં સત્તાના આ મોટા પરિવર્તન બાદ ભારત તરફથી મળેલી આ શુભેચ્છા બંને દેશોના ભવિષ્યના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code