1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરઃ સરહદ પાસેથી પાકિસ્તાની ડ્રોન મારફતે આવેલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારતીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવરચંડાઈ કરવામાં આવે છે. પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ તથા ડ્રોન મારફતે હથિયારો અને નશીલા દ્રવ્યો મોકલવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભીરતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે નશીલા દ્રવ્યો મોકલવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. બે દિવસના સમયગાળામાં ડ્રોન મારફતે ફેંકવામાં […]

શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026 – શિક્ષકો પાસે કૂતરાંની ગણતરી કરાવવા અંગે પ્રસિદ્ધ અને પ્રસારિત થયેલા અહેવાલોને સરકાર દ્વારા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું યોગ્ય અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો પાસે આવી કામગીરી કરાવવાની ક્યાંય વાત જ નથી. રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, […]

ટી20 વિશ્વકપઃ શ્રીલંકામાં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મહામુકાબલો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે સમય આવી ગયો છે. આવતીકાલે એટલે કે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ અત્યારે […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી” વિષય પર વર્કશોપનું આયોજન

અમદાવાદ, 14 ફેબ્રુઆરી, 2026 – GCCI Business Women Committee નિયમિત જર્નલિંગ વર્ક–લાઇફ બેલેન્સ જાળવવામાં, આત્મજાગૃતિ વધારવામાં અને પોતાની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ બને છે તેમ એડિટોરિયલ સ્ટ્રેટેજીસ્ટ અદિતિ શુક્લા ફોજદારે જણાવ્યું હતું. તેઓ GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા શુક્રવારે 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ “જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી” વિષય પર આયોજિત એક વર્કશોપમાં બોલી […]

અમેરિકામાં બે અલગ-અલગ વિમાન દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત

ન્યૂયોર્ક, 14 ફેબ્રુઆરી 2026: અમેરિકાના કોલોરાડો અને નોર્થ કેરોલિના રાજ્યમાં સર્જાયેલા બે અલગ-અલગ વિમાન અકસ્માતોમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને સ્થાનિક સત્તાવાળાઓએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. કોલોરાડો રાજ્યના સ્ટીમબોટ સ્પ્રિંગ્સમાં ‘એપિક એરક્રાફ્ટ E-1000’ નામનું નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ સિંગલ એન્જિન ધરાવતું, 6 સીટર હળવું ટર્બોપ્રોપ […]

વધારાના ઘઉંના ઉત્પાદનો અને ખાંડની નિકાસની છૂટ આપાઈ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે સ્થાનિક બજારોને સ્થિર કરવા અને ઉત્પાદકોને વળતરદાયક વળતર સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક અને ખેડૂત-કેન્દ્રીય પગલું ભરીને 25 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની સાથે વધારાના 5 LMT ઘઉંના ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી છે. વર્તમાન ઉપલબ્ધતા અને કિંમતના પરિદ્રશ્યના વ્યાપક મૂલ્યાંકન પછી આ માપાંકિત નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખેડૂતોના […]

AIFથી ખેત-ખલિહાન સુધી ક્રાંતિ, રૂ. 1 લાખ કરોડથી વધુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં સાંસદોના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સત્તાના સુખ માટે નહીં, પરંતુ ખેડૂત, ગામ અને ગરીબના સર્વાંગી વિકાસ માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, જીવનદાતા છે – ભગવાન તો નથી, […]

21મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે: પીએમ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ET Now ગ્લોબલ બિઝનેસ સમિટ 2026 ને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત તમામ લોકોને અભિવાદન પાઠવ્યા હતા અને તેની થીમ – ‘એ ડેકેડ ઓફ ડિસ્રપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ’ (વિક્ષેપોનો દાયકો, પરિવર્તનની સદી) પર ટિપ્પણી કરી હતી. તેમણે હાઇલાઇટ […]

પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “2019માં આજના દિવસે પુલવામામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર નાયકોને યાદ […]

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code