1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચોટિલામાં ડુંગરના તળેટીમાં ચોથા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ

 સુરેન્દ્રનગર,13 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલાના ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર દબાણો હટાવવા છેલ્લા ચાર દિવસથી ઝૂંબેશ ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના પરિણામે, માતાજીના ડુંગર તરફ જતો મુખ્ય માર્ગ, જે અગાઉ દબાણોને કારણે સાંકડો હતો, તે હવે 40 ફૂટ પહોળો કરવામાં […]

AI અત્યાર સુધીની સૌથી પરિવર્તનશીલ શોધ: બિલ ગેટ્સ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સે તેમના તાજેતરના વાર્ષિક પત્રમાં એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે માનવજાતે અત્યાર સુધી જેટલી પણ વસ્તુઓ બનાવી છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમાજ માટે સૌથી પરિવર્તનશીલ સાબિત થશે. ગેટ્સ કહે છે કે આ ટેકનોલોજી એટલી મોટી પરિવર્તન લાવશે કે તેની પહેલાંની […]

રાજકોટમાં રાજદીપ સોસાયટીના રહિશોનું રોડના પ્રશ્ને રસ્તા રોકો આંદોલન

રાજકોટ,13 જાન્યુઆરી 2026:  શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 3 મહિનાથી […]

અમેરિકાની યુદ્ધની ધમકી સામે પણ ઈરાને ઝુકવાનો કર્યો ઈન્કાર

તહેરાન, 13 જાન્યુઆરી 2026: 28 ડિસેમ્બરથી ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશના સર્વોચ્ચ શાસક અલી ખામેનીને હટાવવા માટે આંદોલનમાં ફેરવાઈ ગયા છે. સમગ્ર ઈરાનમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 વિરોધીઓના મોત થયાના અહેવાલો છે. ખામેનીએ […]

સુરતમાં કાલે ઉત્તરાણના પર્વને લીધે બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સુરત,13 જાન્યુઆરી 2026:   શહેરમાં કાલે ઉત્તરાયણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. પતંગો કાપવાના દાવપેચ લડાશે, અને સાથે કપાયેલા પતંગો લૂંટનારાઓની રોડ-રસ્તાઓ પર ભાગદોડ જોવા મળશે. ત્યારે રોડ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે આવતી કાલે તા. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય મ્યુનિએ લીધો છે. […]

ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે હવાઈ સેવાને અસર, ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસની અસર હવાઈ ટ્રાફિક પર પડી છે. ઓછી દૃશ્યતાનાં કારણે ચંદીગઢ, જમ્મુ અને ઉદયપુરમાં ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. દરમિયાન ઈન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. તેના કારણે એરપોર્ટ […]

ગુજરાતમાં કાલે ઉત્તરાણના દિને તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધુ અનુભવાશે

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર પડી છે. ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. આજે પણ નલિયામાં 6 ડિગ્રી, ભૂજમાં 9 અને કંડલામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલી અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ  […]

રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટે પ્રાણીપ્રેમીઓને લીધા આડેહાથ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા જતા હુમલાઓ અને તેના કારણે થતા મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓના હુમલાથી થતી કોઈપણ ઈજા કે મૃત્યુ માટે નાગરિક સત્તાવાળાઓ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને કૂતરાઓને ખવડાવનારા (ફીડર્સ) બંનેને જવાબદાર ઠેરવી શકાય […]

અમદાવાદના કાંકરિયા પરિસરમાં નવી બે ટોય ટ્રેન 3 મહિનામાં દોડતી કરાશે

 અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  શહેરના કાંકરિયા લેક માત્ર શહેરીજનો જ નહીં પણ બહારગામથી અમદાવાદની મુલાકાતે આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. બાળકો પણ પ્રવાસીની મોજ માણી શકે તે માટે લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બે ટોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિડ્સ […]

ગુજરાતના આકાશમાં ગુંજશે પોષણનો સંદેશ, પતંગોત્સવના માધ્યમથી લવાશે જાગૃતિ

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં  મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે અને આજે 13 જાન્યુઆરી રોજ ‘પોષણ ઉડાન – 2026’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત પતંગોત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં બે દિવસ દરમિયાન રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code