1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નરેન્દ્ર મોદી શનિવારે પંજાબની મુલાકાતે, હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પંજાબની મુલાકાત લેશે. બપોરે લગભગ 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી આદમપુર એરપોર્ટની મુલાકાત લેશે, જ્યાં તેઓ એરપોર્ટનું નવું નામ, ‘શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ, આદમપુર’ અનાવરણ કરશે. તેઓ પંજાબના લુધિયાણામાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે. સંત ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીના શુભ અવસર પર, […]

સાંજના ભોજનમાં બનાવો સ્વાદિષ્ટ કાબુલી ચણા પુલાવ, જાણો રેસિપી

રોજ રાત્રે ગૃહિણીઓને એક જ મૂંઝવણ હોય છે કે “આજે ડિનરમાં શું બનાવવું?” જો તમે પણ આ જ વિચારી રહ્યા હોવ, તો હવે ચિંતા છોડો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ ધરાવતી ‘કાબુલી ચણા પુલાવ’ની રેસિપી. આ વાનગી માત્ર ટેસ્ટી જ નથી, પણ પોષક તત્વોથી પણ ભરપૂર છે. કાબુલી ચણા પ્રોટીન, […]

નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના વિદેશ મંત્રીઓ, લીગ ઓફ આરબ સ્ટેટ્સના સેક્રેટરી જનરલ અને આરબ પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી, જેઓ બીજી ‘ઈન્ડિયા-આરબ વિદેશ મંત્રીઓની બેઠક’ માટે ભારતમાં છે. પ્રધાનમંત્રીએ ભારત અને આરબ વિશ્વ વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક લોકોથી લોકોનાં સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો, જે વર્ષોથી આપણા સંબંધોને પ્રેરણા […]

અંદાજપત્ર 2026-27ઃ વિવિધ સ્થળે બજેટ LIVE જોવા માટે કરવામાં આવી વ્યવસ્થા

ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – budget 2026-27 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે એક ફેબ્રુઆરીને રવિવારે તેમનું સળંગ નવમું (9) અંદાજપત્ર રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારના સિનિયર મંત્રી તરીકે તેઓ અત્યાર સુધીમાં આઠ બજેટ રજૂ કરી ચૂક્યા છે, અને આવતીકાલે નવમું અંદાજપત્ર રજૂ કરશે. જો આવતા વર્ષે પણ તેઓ બજેટ રજૂ કરશે તો દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન […]

પાકિસ્તાનના ઈસ્લામિક નાટોના સપના પર તુર્કીએ પાણી ફેરવ્યું !

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ‘ઇસ્લામિક નાટો’ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ પાકિસ્તાનને તુર્કીએ આંતરરાષ્ટ્રીય મંચ પર મોટો ઝટકો આપ્યો છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે તેમનો દેશ કોઈ પણ નવા ભૌગોલિક-રાજકીય જૂથનો હિસ્સો બનશે નહીં. આ નિવેદનથી પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની તે આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં તુર્કી સાથે […]

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: સ્વર્ગસ્થ નેતા અજિત પવારના પત્ની અને એનસીપી વિધાનસભા પક્ષના નેતા સુનેત્રા પવારે લોકભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે શપથ લેવડાવ્યા. આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

VIDEO: બલોચ લડવૈયાઓનો હાહાકારઃ 12 શહેરો ઉપર કબજો કર્યો, પાકિસ્તાની સૈન્યની નાસભાગ

રાવલપિંડી, 31 જાન્યુઆરી, 2026 – Baloch fighters captured 12 cities પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલોચ લડવૈયાઓએ હાહાકાર મચાવી દીધો હોવાના અહેવાલ છે. બલોચ લિબરેશન આર્મી (બીએલએ)ના લડવૈયાઓએ બલુચિસ્તાન ક્ષેત્રના ઓછામાં ઓછા 12 શહેરો ઉપર કબજો કરી લીધો હોવાનું કહેવાય છે. વિવિધ મીડિયા અહેવાલ અનુસાર આજે શનિવારે બલોચ લડવૈયાઓએ ઓપરેશન હેરોફ-2 અંતર્ગત મોટાપાયે સુવ્યવસ્થિત હુમલા કરીને અનેક […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો જર્સી લોન્ચ ઈવેન્ટ રદ કરાયો

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ટી20૦ વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભાગ લેશે કે કેમ તે અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે. આ અટકળો વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શનિવારે એક ચોંકાવનારો નિર્ણય લઈને વર્લ્ડ કપ માટેની જર્સી લોન્ચ ઈવેન્ટ રદ કરી દીધી છે. આ જર્સી લોન્ચ કાર્યક્રમ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી20 […]

અમિત શાહે કોલકાતાના આનંદપુરમાં મોમો ફેક્ટરીમાં લાગેલી આગને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું

કોલકાતા, 31 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાના આનંદપુર વિસ્તારમાં વો મોમો ફેક્ટરી અને વેરહાઉસમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ અંગે મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે આ આગ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ રાજ્ય પ્રશાશનમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બંગાળની મુલાકાતે આવેલા શાહે કોલકાતાને અડીને આવેલા ઉત્તર […]

ઉત્તરપ્રદેશમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવાને ગુમાવ્યો જીવ, VIDEO વાયરલ

લખનૌ, 31 જાન્યુઆરી 2026: છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વીડિયો રિલ્સનો પ્રભાવ વધ્યો છે એટલું જ નહીં રિલ્સ બનાવવાના ચક્કરમાં અગાઉ અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો જીવ ગુમાવ્યો હતો. બરેલી જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજૌરિયા રેલવે સ્ટેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code