1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વાવ-થરાદના તખતપુરા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતી પાકને નુકસાન

થરાદ,  2 ફેબ્રુઆરી 2026:  વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ આ અંગે નર્મદા નિગમના અધિકારીને રજુઆત કરાતા કેનાલમાં પાણી બંધ કરીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં […]

કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: 4.8ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં સોમવારે વહેલી સવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીર ખીણના બડગામ જિલ્લામાં હોવાથી તેની અસર દૂર-દૂર સુધી અનુભવાઈ હતી અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ જણાવ્યું […]

પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વિના જાતે કેનાલ સાફ કરી 3 ટ્રેકટર કચરો બહાર કાઢ્યો

સુરેન્દ્રનગર,  2 ફેબ્રુઆરી 2026:  પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જાયો વિના જાતે જ શ્રમદાન કરીને ખારાઘોડાની નર્મદા કેનાલમાંથી કચરો બહાર કાઢીને કેનાલમાં સફાઈ કરી હતી. ખેડૂતોએ કેનાલ સાફ કરવા માટે નર્મદા વિભાગને અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની સફાઈ કરી હતી. આ સફાઈ દરમિયાન અંદાજે ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો […]

રાજકોટ મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં આકરા કરબોજ લાદવાની શક્યતા

રાજકોટ,  2 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય બજેટ ગઈકાલે 1લી ફેબ્રુઆરીએ જાહેર થયા બાદ ગુજરાતના અમદાવાદ સહિત મહાનગરોના બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા લાદવાની શક્યતા ઓછી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2026-27ના ડ્રાફ્ટ બજેટ  લદભગ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે ગણતરીના દિવસમાં જાહેર કરવામાં આવશે. જો […]

સંત રવિદાસ જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં નીકળી શોભાયાત્રાઃ ભાજપ, વિહિંપના અગ્રણીઓ જોડાયા

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Sant Ravidas’ birth anniversary સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીની ઊજવણી માઘ પૂર્ણિમાના દિવસે, તા. 1 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ સહિત દેશભરમાં કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે શહેરમાં મોટર બાઈક, કાર શોભાયાત્રા રેલી યોજાઈ હતી જેનું પ્રસ્થાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, આશ્રમ રોડથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રેલીના પ્રારંભ પહેલા બે […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ ફરીવાર ઠંડીનું જોર વધવાની શક્યતા

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા પવનની ગતિ પણ વધી છે. તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા છે. આજે સવારે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]

અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવે નર્સરીઓ પરથી વિવિધ રોપાનું વેચાણ કરાશે

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર ગઈ તા.1લી જાન્યિઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ફ્લાવર શો યોજાઈ ગયો, ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોનો નજારો માણવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. ફ્લાવર શો પૂર્ણ થતાં હવે ફ્લાવરના રોપાઓના વેચાણનો એએમસીના ગાર્ડન વિભાગે નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિની નર્સરીઓ ઉપરથી આ […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન-બાંગ્લાદેશના બહિષ્કાર પર શશિ થરૂર લાલઘૂમ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પર હવે રમત કરતા રાજકારણ વધુ હાવી થઈ રહ્યું હોય તેવું જણાય છે. બાંગ્લાદેશના બહિષ્કાર બાદ હવે પાકિસ્તાને પણ ભારત સામે રમવાનો ઇનકાર કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ ગંભીર વિવાદ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પોતાની તીખી પ્રતિક્રિયા […]

ભારત-પાક. મેચ રદ થતા ICCને 200 કરોડનો ફટકો પડશે

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભના માત્ર 6 દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન સરકારના આદેશને પગલે લેવાયેલા આ નિર્ણયને કારણે માત્ર ખેલ જગત જ નહીં, પરંતુ આર્થિક મોરચે પણ ભૂકંપ આવ્યો છે. જો આ મેચ નહીં રમાય, તો આંતરરાષ્ટ્રીય […]

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગનો માસ્ટરમાઇન્ડ શુભમ લોનકર હોવાનો ખુલાસો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2026: બોલિવૂડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાન ખાન અને કપિલ શર્મા બાદ હવે જાણીતા ડાયરેક્ટર-પ્રોડ્યુસર રોહિત શેટ્ટીને નિશાન બનાવવામાં આવ્યા છે. જુહુ વિસ્તારમાં રોહિત શેટ્ટીના નિવાસસ્થાને થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, આ હુમલાનો માસ્ટરમાઇન્ડ વોન્ટેડ ગેંગસ્ટર શુભમ લોનકર છે. ક્રાઈમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code