1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં રૂપિયા 5.85 કરોડની કિંમતનું કોબ્રાનું ઝેર પકડાયુ, 7 આરોપીની ધરપકડ

સુરત,20 જાન્યુઆરી 2026:   શહેરના સરથાણા જકાતનાકા ગઢપુર રોડ પર નવ જીવન સર્કલ પાસે આવેલા એક બિલ્ડિંગની એક ઓફિસમાં કોબ્રાના ઝેરનો સોદો થતો હતો ત્યારે જ બાતમીને આધારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી)એ રેડ પાડીને  કોબ્રાનું ઝેર વેચવા માટે આવેલા વડોદરાના એક વકીલ સહિત 5 શખસો તેમજ સુરતમાં મરેજ બ્યુરો ચલાવતા વદ્ધ સહિત 7 લોકોને 5.85 […]

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ ODI શ્રેણીમાં 7 મોટા રેકોર્ડ બનાવ્યા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ન્યૂઝીલેન્ડે પહેલીવાર ભારતમાં ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતને 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમનો ઘરઆંગણે વનડે શ્રેણીમાં પરાજય નિરાશાજનક છે અને ખાસ કરીને 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ચિંતાનું મુખ્ય કારણ છે. જોકે, આ શ્રેણી વિરાટ કોહલી માટે શાનદાર […]

શિયાળાની ઠંડી સવારે એક કપ ગરમ ડાર્ક ચોકલેટ કોફી તમારા આખા દિવસને તાજગી આપશે

Recipe, 20 જાન્યુઆરી 2026: આ કોફી બનાવવા માટે, તમારે એસ્પ્રેસોના 2 શોટ, 2 ચમચી મધ, 1 કપ હેવી ક્રીમ, 1 કપ ડાર્ક ચોકલેટ અને 1 ચમચી કોકો પાવડરની જરૂર પડશે. ડાર્ક ચોકલેટ ઓગાળો. પછી, આ ક્લાસિક કોફી રેસીપી બનાવવા માટે, એક પેન લો અને તેમાં ડાર્ક ચોકલેટ ક્યુબ્સ ઉમેરો. એકવાર ચોકલેટ ક્યુબ્સ ઓગળવા લાગે, પછી […]

ગુજરાત ભાજપમાં કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની જાહેરાતઃ જુઓ સમગ્ર યાદી

ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026 – Gujarat BJP ગુજરાત ભાજપ દ્વારા આજે 19 જાન્યુઆરીને સોમવારે પ્રદેશ કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, ભાજપના બંધારણ […]

વસુધૈવ કુટુમ્બકમ કોન્ક્લેવમાં યુવાનોએ કરી ચર્ચા-વિચારણાઃ મોડેલ યુનાઈટેડ નેશન્સ કેવું હોય? 

કોન્ક્લેવમાં ચોથા દિવસે પ્રાચીન રાજનીતિ, વૈશ્વિક શાસન અને યુવા રાજદ્વારી વિષયો પર મંથન મુંબઈ, 19 જાન્યુઆરી 2026: Model United Nations મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવ અને પ્રદર્શનના ચોથા દિવસે શાસન, રાજદ્વારી સંબંધો અને માનવીય સભ્યતાની વ્યવસ્થા પર વ્યાપક બૌદ્ધિક ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમો તેમજ ચર્ચામાં વિદ્યાર્થીઓ તથા યુવા નેતાઓ પણ […]

મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું: આઠવલે

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધી. તેમણે બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓના સંચાલન, બંધારણીય મૂલ્યો તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સર્વસમાવેશી વિકાસ અંગે ચર્ચા કરી હતી. આઠવલેએ જણાવ્યું કે ભગવાન બુદ્ધે આશરે 2,500 વર્ષ પૂર્વે બિહારમાં બોધિવૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત કરી હતી, જે બૌદ્ધ […]

પશ્ચિમ બંગાળ: ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કોલકાતા, 19 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારત અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના પૂર્વી બર્ધમાન જિલ્લામાં આવેલા કાલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDO) ની કચેરી સામે સોમવારે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. મતદાર યાદી સંબંધિત ‘ફોર્મ 7’ જમા કરાવવા મુદ્દે ભાજપ અને તૃણમૂલ […]

આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં SAPTIની નોંધનીય ભૂમિકા, 674 ઉમેદવારો સ્નાતક થયા

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત SAPTI એટલે કે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને વેગ આપી રહ્યું છે. આ સંસ્થા પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવા સાથે યુવાનોને આત્મનિર્ભર બનાવી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં, કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી […]

સુરેન્દ્રનગરની વર્ષો જુની જિલ્લા જેલમાં 125ની ક્ષમતા સામે 300 કેદીઓ

સુરેન્દ્રનગર, 19 જાન્યુઆરી 2026: શહેરમાં આવેલી વર્ષો જુની જિલ્લા જેલની બદતર હાલત છે. જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અંગ્રેજોના શાસન દરમિયાન બનેલી જેલમાં હાલ 125 કેદીઓની ક્ષમતા સામે 300 કેદીઓ છે. અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ […]

જુઓ VIDEO: કાશ્મીરી હિન્દુ પંડિત નરસંહાર દિવસ: ૧૯૯૦ના તે ભયાનક પલાયનની ૩૬મી વરસી

નવી દિલ્હી/જમ્મુ: Kashmiri Hindu Pandit Genocide Day આજે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કાશ્મીરી હિન્દુ પંડિતોના નરસંહાર અને સામુદાયિક પલાયનને ૩૬ વર્ષ પૂર્ણ થયા છે. સ્થાનિક ઇસ્લામવાદીઓએ હિંસા અને ભયનો માહોલ ઊભો કરતાં ૧૯૯૦ના આજના દિવસે કાશ્મીર ખીણમાંથી લાખો હિન્દુઓને પોતાનું ઘરબાર છોડીને રાતોરાત નીકળી જવાની ફરજ પડી હતી. દર વર્ષે આ દિવસને કાશ્મીરી પંડિતો ‘નરસંહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code