1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમરેલીમાં નિર્માણાધિન બ્રિજના ખાડામાં બાઈક ખાબકતા એકનું મોત

અમરેલી, 8 જાન્યુઆરી 2026: અમરેલીના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે. તેના માટે ઊંડો ખાડો ખાદવામાં આવ્યો હતો. ખાડા ફરતે બેરીકેટ લગાવાયા નહોતા. તેમજ વાહનો માટે કોઈ ડાયવર્ઝન પણ અપાયુ નહતું. ત્યારે ગત મોડી રાત્રે બાઈકચાલક પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. સાથે બાઈક પર બેઠેલા મહિલા અને બાળકી પણ ખાડામાં પડ્યા હતા.જેમાં […]

અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

દેશમાં સૌ પ્રથમ વાર સંપૂર્ણ ભરેલા VLCCનું સફળ બર્થિંગ મુંદ્રા પોર્ટે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ તેના મુન્દ્રા બંદર પર ભારતના પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) ના સફળ બર્થિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. માઉન્ટ ન્યૂ રેનોન, જહાજ 3.3 લાખ ક્યુબિક મીટરની […]

કચ્છના ધોળાવીરામાં 10મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

ભૂજ, 8 જાન્યુઆરી 2026:  કચ્છના ઐતિહાસિક ગણાતા અને હેરીટેજ એવા ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ધોળાવીરા ખાતે 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજ […]

મેડ ઇન ઇન્ડિયા AI દુનિયા પર છવાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં […]

અંબાજીમાં 30મી જાન્યુઆરીથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

અંબાજી,8 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રિ- દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026’ યોજાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે.આ મહોત્સવના સુચારુ આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર […]

રણમાં અગરિયાના બાળકોને શિક્ષણ માટે સ્કૂલબસ શાળામાં હવે બાળમિત્રો ભણાવશે

સુરેન્દ્રનગર 8 જાન્યુઆરી 2026:  કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાના બાળકો માટે સ્કૂલબસ શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સ્કૂલબસમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી શિક્ષકો દ્વારા ગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું પણ હવે સરકારી શિક્ષકોના બદલે ‘બાળમિત્રો‘ અગરિયા બાળકોને શિક્ષણ આપશે. આ નિર્ણય અંતર્ગત કુલ 19 રણ બસશાળામાં 38 […]

રાજકોટથી 11 કિમી દુર અમદાવાદ હાઈવે પર ટોલપ્લાઝા બનાવવા સામે ઊઠ્યો વિરોધ

રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સિક્સલેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અને રાજકોટ-અમદાવાદ વચ્ચે 200 કિમીના હાઈવે પર ચાર ટોલપ્લાઝા બનાવવામાં આવ્યા છે. જેમાં એક ટોલનાકું રાજકોટથી માત્ર 11 કીમી દૂર હીરાસર એરપોર્ટ પહેલા માલિયાસણ ગામ નજીક બનાવવામાં આવી રહ્યું છે. તેથી આ ટોલનાકા સામે લોકોનો વિરોધ ઊઠ્યો છે. રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે […]

રાજકોટ જિલ્લામાં મેપિંગ ન થયેલા મતદારોને શોધવાનું કામ શિક્ષકોને સોંપાતા વિરોધ

રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી સોપાતી હોવાથી બાળકોના ભણતર પર અસર પડી રહી છે. સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની કામગીરી શિક્ષકોએ પૂર્ણ કરી ત્યાં જ ફરી રાજકોટ જિલ્લાના શિક્ષકોને 2002ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા મતદારો શોધવાનું કામ સોંપાતા શિક્ષકોમાં કચવાટ જાગ્યો છે. 2002ની મતદારયાદી સાથે જેમના નામ મેચ […]

સોમનાથમાં સ્વાભિમાન પર્વ માટે રાજકોટથી ખાસ ટ્રેનોનો પ્રારંભ, યાત્રિકો થયા રવાના

 રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આજથી એટલે કે, તા. 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઊજવણી કરવામાં આવી રહી છે. સ્વાભિમાન પર્વની ઊજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિતિ રહેશે. સ્વાભિમાન પર્વની ઊજવણીમાં ભાગ લેવા માટે ભાવિકો સોમનાથ જઈ રહ્યા છે. ત્યારે યાત્રિકોની સુવિધા માટે રાજકોટથી સોમનાથ જવા માટેની સ્પેશિયલ ટ્રેન […]

પરીક્ષા પે ચર્ચા : રજિસ્ટ્રેશનનો આંકડો 4 કરોડને પાર થયો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: બોર્ડની પરીક્ષાઓનો તણાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘પરીક્ષા પે ચર્ચા’ એ આ વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે કાર્યક્રમના 9મા સંસ્કરણ માટે અત્યાર સુધીમાં દેશભરમાંથી 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આંકડામાં જોવા મળ્યો અભૂતપૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code