1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાંસદ મનસુખ વસાવાએ કહ્યુ, મને ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ

ભરૂચ તા.25 ડિસેમ્બર 2025: MP threatens to leave BJP ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વાસાવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઘણા સમયથી આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રૂપિયા 75 […]

ડાકોરના ગાપોલપુરા વિસ્તારમાં દીવાલ ધસી પડતા શ્રમિક યુવાનું મોત

નડિયાદ તા. 25 ડિસેમ્બર 2025: Youth dies after wall collapses  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા શ્રમિક યુવાનનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને કાટમાળમાં દટાયેલા શ્રમિક યુવાને બહાર કાઢવામાં આવ્યો હતો. પણ ગંભીર ઈજાને લીધે […]

બાંગ્લાદેશમાં અજ્ઞાત બંદૂકધારીઓનો ભય, 127 નેતાઓ ઉપર ભમતુ મોત

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં ઈકબાલ મંચના પ્રવક્તા ઉસ્માન ફારુક હાદી તથા અન્ય નેતા સિંકદર ઉપર અજાણ્યા બંદૂકધારીઓએ કરેલા હુમલા બાદ અન્ય રાજકીય આગેવાનોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની ગઈ છે. દરમિયાન પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ 127 નેતાઓની યાદી તૈયાર કરી છે જેમની ઉપર મોતનો ખતરો મંડરાઈ રહ્યો […]

વલ્લભીપુર-ચમારડી રોડ પર કારે બાઈકને ટક્કર મારતા બેના મોત

ભાવનગર તા. 25 ડિસેમ્બર 2025: two killed as car hits bike વલ્લભીપુર-ચમારડી સ્ટેટ હાઈવે પર મહેન્દ્રપુરમ પાસે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે આધેડ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે […]

રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સંવિધાનના સંથાલી ભાષામાં પ્રથમ અનુવાદિત પુસ્તકનું વિમોચન

નવી દિલ્હીઃ આજે સુશાસન દિવસ અને 1925માં પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા વિકસિત ઓલ ચિકી લિપિના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે, કાયદા અને ન્યાય મંત્રાલયના વિધાયી વિભાગ દ્વારા પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવેલા ભારતના સંવિધાનના સંથાલી ભાષામાં અનુવાદનું ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે વિમોચન કરવામાં આવ્યું છે. સંથાલી ભાષા, જેને 92મા […]

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, રેલવેએ મુસાફરો માટે ચાર ખાસ ટ્રેનોની જાહેરાત કરી

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Railways announces four special trains મુંબઈવાસીઓ માટે મધ્ય રેલવેએ જાહેરાત કરી છે કે તે 31 ડિસેમ્બર, 2025 થી 1 જાન્યુઆરી, 2026 ની મધ્યરાત્રિ દરમિયાન ચાર ખાસ ટ્રેનો ચલાવશે. આ ટ્રેનો મોડી રાત સુધી મુસાફરી કરતા મુસાફરોને નોંધપાત્ર સુવિધા પૂરી પાડશે. જાણકારી અનુસાર, આ ખાસ સેવાઓ મેઇન લાઇન અને હાર્બર લાઇન […]

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે, વિદ્યાથી મોટું કોઈ દાન નથીઃ રાજ્યપાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં પદવીદાન સમારોહમાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2025: Saurashtra University’s 60th convocation ceremony રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી  ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલા આ પદવીદાન સમારોહમાં […]

નારનૌલમાં માર્ગ અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા 3 જીવતા ભૂંજાયા

નારનૌલ 25 ડિસેમ્બર 2025: National Highway Accident નારનૌલમાં થયેલા એક અકસ્માતમાં, ત્રણ મિત્રો જીવતા બળી ગયા. આખું ગામ શોકમાં ડૂબી ગયું. મૃતકોના પરિવારો દુ:ખી છે. મહેન્દ્રગઢના નીરપુર ગામમાં શોકનો પહાડ તૂટી પડ્યો. અકસ્માતમાં ત્રણ મિત્રોના જીવતા સળગી જવાના સમાચાર મળતાં આખું ગામ શોકમાં ડૂબી ગયું. મૃતકોમાં ભૂતપૂર્વ જિલ્લા કાઉન્સિલર રાજકુમાર યદુવંશીનો પણ સમાવેશ થાય છે. […]

એક જ પરિવારના ગૌરવગાનની પરંપરાનો અંત: PM મોદી

લખનઉ, 25 ડિસેમ્બર 2025: Good Governance Day  નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ખાતે 230 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના આદર્શોને સમર્પિત આ સ્થળ દેશની નવી પેઢી માટે દેશભક્તિ અને સુશાસનનું કેન્દ્ર બનશે. 65 એકરમાં ફેલાયેલા આ સંકુલમાં અટલ બિહારી વાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને […]

વડોદરા નેશનલ હાઈવે પર દાદી અને પૌત્રને કારએ અડફેટે લેતા બન્નેનાં મોત

વડોદરા તા. 25 ડિસેમ્બર 2025: Grandmother and grandson hit by car, both die રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવથી આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code