1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકોના પ્રશ્નોના ઝડપી અને પ્રામાણિક નિવારણ માટે કલેકટરોને મુખ્યમંત્રીએ કરી તાકીદ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ […]

ન્યાયમૂર્તિ યશવંત વર્માને ફટકોઃ મહાભિયોગ સમિતિની રચનામાં કશું ખોટું નથી

સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધની મહાભિયોગ તપાસ સમિતિને લીલી ઝંડી આપી નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા માટે રચાયેલી તપાસ સમિતિની બંધારણીયતાને પડકારી હતી. સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બેંચે […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિવાદાસ્પદ સોસાયટીના ગેરકાયદે બંગલાનું ડિમોલિશન

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:   શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં એક ગેરકાયદેસર બંગલાને મ્યુનિના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરાયુ હતુ. નવો બંગલો બનાવવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે બાદ આજે 16 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત […]

ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયુ, અમરેલીમાં 6 ડિગ્રી, ગિરનાર પર્વત પર 3.4 ડિગ્રી તાપમાન

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. ઠંડા પવનોને લીધે જન જીવન પર અસર પડી છે. આજે સૌથી ઓછુ તાપમાન અમરેલી ખાતે 6 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયુ છે. તેમજ નલિયા, જામનગર અને જુનાગઢ શહેરમાં સિંગલ ડિઝીટ સાથે કડકડતી ઠંડી […]

ભૂજથી વરસામેડી હાઈવેનું કામ અધૂરૂં છતાં ટોલટેક્સ લેવાનું શરૂ થતાં કરાયો વિરોધ

ભૂજ, 16 જાન્યુઆરી 2026:   ભૂજથી વરસાણા સુધીના 65 કિમીના  હાઇવે પર 9 કિમીનું કામ બાકી હોવા છતાં 15 જાન્યુઆરીથી બે ટોલ નાકાઓ પર ટોલ વસૂલાત શરૂ કરાતા વાહનચાલકો, ટ્રક માલિકો અને સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. હાઈવેનું કામ પુરૂ થયુ નથી તો ટોલટેક્સ કેમ વસુલવામાં આવી રહ્યો છે. એવો પ્રશ્ન લોકોએ ઉઠાવ્યો છે. આ […]

કેશોદ હાઈવે પર વૃક્ષોને પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘૂંસી જતા કારચાલકનું મોત

જુનાગઢ, 16 જાન્યુઆરી 2026:   હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે કેશોદ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. કેશોદ નેશનલ હાઇ-વે પર ડિવાઈડરમાં વૃક્ષોને પાણી પાઈ રહેલા ટેન્કર સાથે પૂર ઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક યુવકનું ગંભીર ઈજાઓ થવાને […]

ગાંધીનગરના વલાદ પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢને કારે અડફેટમાં લેતા મોત

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026:    ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર વલાદ ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા પ્રોઢને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા પ્રોઢનું મોત નિપજ્યુ હતું. આ મામલે મૃતકના પૌત્રએ કારચાલક વિરુદ્ધ ડભોડા પોલીસ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની એવી વિગતો છે કે, ગાંધીનગરના વલાદ ગામની સીમમાં […]

ભાવનગરને દિલ્હીની ડાયરેક્ટ ટ્રેનની સુવિધા આપવા સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ

ભાવનગર, 16 જાન્યુઆરી 2026:   કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેન શરૂ કરવાની માગ કરી છે. હાલ ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી (દિલ્હી)ની ટ્રાયલ ઓન ડીમાન્ડ ટ્રેન શરુ કરેલી તે પણ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી છે. માટે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેન શરુ થાય તે […]

VIDEO: મોડિફિકેશન પડ્યું ભારે: ₹60,000ની કાર પર પોલીસે ફટકાર્યો ₹1,00,000નો દંડ

બેંગલુરુ, 16 જાન્યુઆરી, 2026: કેરળના એક વિદ્યાર્થીએ જૂની કાર ખરીદીને તેમાં વિચિત્ર ફેરફાર (Modification) કર્યા હતા, પરંતુ તેનો આ શોખ તેને આર્થિક રીતે ભારે પડી ગયો છે. બેંગલુરુ પોલીસે નિયમોના ઉલ્લંઘન બદલ વિદ્યાર્થીને કારની કિંમત કરતાં પણ વધુનો દંડ ફટકાર્યો છે. car Modifications turns costly મીડિયા અહેવાલ મુજબ, કેરળના વતની અને બેંગલુરુમાં અભ્યાસ કરતા એક […]

રાજકોટ મ્યુનિ.ના ગત વર્ષના રૂપિયા 3100 કરોડના બજેટમાંથી 1400 જ વાપરી શકાયા !

રાજકોટ, 16 જાન્યુઆરી 2026:   શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત વર્ષે વિવિધ વિકાસના કામો માટે રૂપિયા 3100 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. પણ મ્યુનિના સત્તાધિશો 3100 કરોડમાંથી માત્ર 1400 કરોડના વિકાર કામો કરી શક્યા છે. નાણાનાં અભાવને લઈને અનેક યોજનાઓ ફાઇલોમાંથી બહાર જ નીકળી શકી નથી. એટલું જ નહીં મ્યુનિ.કોર્પોરેશનની તિજોરીના તળિયા દેખાતા આખરે અમૃત-2 યોજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code