1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં કાંકરિયા અનુપમ બ્રિજ માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે બંધ રહેશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026:  શહેરના કાંકરિયા વિસ્તારમાં અનુપમ રેલવે એવરબ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે ઓવરબ્રિજ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. માર્ચ મહિનામાં તા. 9થી 11 માર્ચ અને 20 અને 21 માર્ચ તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઓવરબ્રિજ બંધ રહેશે. […]

ગુજરાત પોલીસે રૂ.૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું, માફિયાઓની મિલકતો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફર્યું

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી, 2026 – Gujarat Police છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૧,૬૪૭ ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે ૪૧,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૭૨૭ કરોડ થાય છે તેમ સરકારે આજે વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંની […]

વડોદરામાં નશામાં ધૂત કારચાલક SRP જવાનએ ત્રણ વાહનોને અડફેટે લીધા

વડોદરા, 25 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના પ્રતાપપુરા-બરોડા ડેરી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. એસઆરપીનો જવાન દારૂના નશામાં ધૂત થઈને કાર ચલાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. રિક્ષા, કાર અને સ્કૂટને અડફેટે લેતા ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને […]

આયુષ ચિકિત્સા પદ્ધતિઓએ નાગરિકોના સ્વાસ્થ્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે: રાષ્ટ્રપતિ

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના બુલઢાણાના શેગાંવમાં નેશનલ આરોગ્ય મેળા 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આયુષ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર છ વરિષ્ઠ વૈદ્યોનું સન્માન પણ કર્યું હતું. આ અવસર પર રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણી પરંપરામાં સર્વાંગી સ્વાસ્થ્યને સૌથી મોટું સુખ માનવામાં આવે છે. સ્વસ્થ નાગરિકો […]

જાપાન મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગીએ 11,000 કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાપાન મુલાકાતના પહેલા દિવસે, ઔદ્યોગિક રોકાણ અંગે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વિવિધ જાપાની કંપનીઓ સાથે અંદાજે 11 હજાર કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે તેમાં કુબોટા કોર્પોરેશન, મિન્ડા કોર્પોરેશન, જાપાન એવિએશન ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી, નાગાસે એન્ડ કંપની લિમિટેડ, સેઇકો […]

બંગાળ SIR પ્રક્રિયા: ધોરણ 10ના એડમિટ કાર્ડની સાથે બોર્ડ સર્ટિફિકેટ પણ ફરજિયાત આપવુ પડશે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયામાં દસ્તાવેજોની સત્યતાને લઈને સુપ્રીમ કોર્ટે મોટી સ્પષ્ટતા કરી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે, ઓળખના પુરાવા તરીકે ધોરણ 10ના એડમિટ કાર્ડને એકલા દસ્તાવેજ તરીકે સ્વીકારી શકાય નહીં. તેની સાથે બોર્ડ દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર […]

ભિક્ષાવૃત્તિ વિશે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ઓપનહાઉસ ચર્ચા યોજાઈ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી, 2026 – open house discussion on begging ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (NHRC) ‘ભિક્ષાવૃત્તિ પર પુનઃવિચાર નીતિ, વ્યવહાર અને ગૌરવ વચ્ચેના અંતરને દૂર કરવું’ વિષય પર એક ઓપન હાઉસ ચર્ચાનું આયોજન કર્યું હતું. તેની અધ્યક્ષતા NHRC, ભારતના સભ્ય ન્યાયાધીશ (ડૉ.) વિદ્યુત રંજન સારંગીએ કરી હતી. સભ્યોમાં શ્રીમતી વિજયા ભારતી સયાની; મહાસચિવ ભરત […]

સિક્કિમમાં ભારે હિમવર્ષા, 2700થી વધારે પ્રવાસીઓ ફસાયાં

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: સિક્કિમમાં સતત બરફ વર્ષા થઈ રહી છે જેના પગલે જનજીવનને વ્યાપક અસર થયું છે. દરમિયાન પૂર્વ સિક્કિમના ત્સોમગો ઝીલ પાસે કેટલાક પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે બરફ વર્ષાને પગલે ફસાયેલા 2700થી વધારે પ્રવાસીઓને બવાયાં છે. તેમણે જણાવ્યું હતું કે, શેરાથાંગ અને આસપાસના ઉંચા વિસ્તારોમાં ભારે […]

મણિપુરઃ મ્યાનમાર સરહદ પાસેથી 5 ઉગ્રવાદીઓ ઝડપાયાં, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

ઇમ્ફાલ, 25 ફેબ્રુઆરી 2026: મણિપુરમાં સુરક્ષાદળોએ અલગ-અલગ સઘન અભિયાનો ચલાવીને વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેંગનૌપાલ જિલ્લામાં મ્યાનમાર સરહદ પાસે આવેલા યાંગૌબુંગ ગામ નજીક સુરક્ષાદળોએ મોટું […]

ઇઝરાયલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા આતુર છે: ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે કહ્યું છે કે તેમનો દેશ અને લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા આતુર છે. હર્ઝોગનું આ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદાયના નિવેદન પછી આવ્યું છે, જેમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મળવાની તેમની ઉત્સુકતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. અગાઉ, રવિવારે એક સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code