1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાંડેસરાની ડાઇંગ મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના ઝેરી ગેસથી મોત

સુરત, 7 માર્ચ 2026: ઉત્સવના માહોલ વચ્ચે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાંડેસરાની ‘મિલ’માં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ગૂંગળામણને કારણે ત્રણ પરપ્રાંતિય શ્રમિક યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો […]

ગીર સોમનાથમાં જીવતો હાઈટેન્શન વાયર તૂટી પડતા બે યુવાનોના મોત

રાજકોટ, 7 માર્ચ 2026: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજે એક હચમચાવી દેનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થતો 11 કેવીનો હાઈટેન્શન વીજ તાર અચાનક તૂટીને નીચે પડતા બે આશાસ્પદ યુવાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. વીજળીના જીવતા તારના સંપર્કમાં આવતા જ જોરદાર કરંટ લાગવાથી બંને યુવકોના […]

વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ‘સાયકોલોજીકલ ઇમ્યુનિટી’ ઉપર ધ્યાન આપવું જરૂરી

ભૂતકાળમાં વિશ્વએ મેડિકલ ઇમરજન્સી એટલે કે કોરોનાની મહામારીનો સામનો કર્યો હતો. હજુ તો આપણી સ્મૃતિમાં નવી ઘટનાઓનો ઉમેરો થાય તે પહેલાં વૈશ્વિક દેશોની વચ્ચે જેમ કે રશિયા – યુક્રેન તેમજ ઈઝરાયલ, ઈરાન, અને હમાસ જેવા દેશોની વચ્ચે કેટલાક યુદ્ધ થઈ રહ્યા છે તેની સીધી અસર વૈશ્વિક મોંઘવારી સામે થઈ રહી છે જેથી કરીને લોકો ઘણી […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠા પર સુરક્ષાદળો એલર્ટ

જામનગર, 7 માર્ચ 2026: મિડલ ઈસ્ટના દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને વૈશ્વિક અશાંતિના પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા તકેદારી વધારી દેવામાં આવી છે. ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર જિલ્લાના સાગર કિનારે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સુદ્રઢ બનાવી દેવામાં આવી છે. કોઈપણ […]

વર્લ્ડ કપ ફાઈનલનો ક્રેઝ: ટિકિટોના કાળાબજાર કરનાર ઝડપાયો

અમદાવાદ, 7 માર્ચ 2026: અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ-2026ની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે, પરંતુ આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવી ટિકિટોનું કાળાબજાર (બ્લેક માર્કેટિંગ) કરતા તત્વો પણ સક્રિય થયા છે. […]

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ જંગ માટે સ્ટેડિયમ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું

અમદાવાદ, 7 માર્ચ 2026: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. 1લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક વીવીઆઈપી મહેમાનોની હાજરીને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોને સુરક્ષાના હેતુથી અભેદ્ય […]

ગાંધીનગરમાં મનપાની બે કર્મચારી યુવતીઓનો કેનાલમાં કૂદીને આપઘાત કર્યો: સુઘડ પાસેથી મૃતદેહો મળ્યા

ગાંધીનગર, 7 માર્ચ 2026: રાજ્યના પાટનગરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે આશાસ્પદ યુવતીઓએ મોડી રાત્રે સુઘડ કેનાલમાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને યુવતીઓએ આપઘાત કરતા પહેલા પરિજનોને […]

ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીના ખાનગી મેસેજ લીક: અમેરિકા, ઈઝરાયેલ અને UAE પર હુમલાની ભલામણથી ચકચાર

તેહરાન, 7 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફના અત્યંત ગુપ્ત અને વિવાદાસ્પદ મેસેજ લીક થતા ખળભળાટ મચ્યો છે. એક પ્રાઈવેટ ટેલિગ્રામ ગ્રુપમાંથી બહાર આવેલા આ મેસેજમાં ઝરીફે ઈરાનની યુદ્ધ રણનીતિને લઈને અનેક ગંભીર સૂચનો કર્યા છે, જેમાં અમેરિકી નૌકાદળના જહાજો અને ઈઝરાયેલના હિતો પર સીધા હુમલાની […]

અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં 1332 નાગરિકોના મોત થયાનો UNમાં ઈરાનનો દાવો

ન્યૂયોર્ક, 7 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1332 નિર્દોષ ઈરાની નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. […]

મધ્ય-પૂર્વનું યુદ્ધ ભારતની ઈકોનોમીનું ગણિત બગાડશે: મોંઘવારી વધવાની અને GDP ઘટવાની ભીતિ

નવી દિલ્હી, 7 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં વણસતી જતી સ્થિતિને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. નિષ્ણાતોના મતે, ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના વધતા ટકરાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઊંચી રહેશે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ બ્રન્ટ ક્રૂડ 73થી વધીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code