1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આગ લાગતા 25 બાઈક ખાક

અમદાવાદ, 6 ફ્રેબુઆરી 2026:  શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આજે બપોરના ટાણે કોઈ કારણસર આગ લાગતા ડિટેઈન કરેલા 25 જેટલા બાઈક બળીને ખાક થઈ ગયા હતા. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરના જવાનો ફાયટરો સાથે દોડી ગયા ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે […]

કોંગ્રેસે નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, ભૂપેશ બઘેલે અમૃતસરમાં પુષ્ટિ કરી

અમૃતસર, 6 ફેબ્રુઆરી 2026: પંજાબના રાજકારણ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પગલામાં, કોંગ્રેસ પાર્ટીએ ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ રાજ્ય પાર્ટી પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ નિર્ણયની પુષ્ટિ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અમૃતસરમાં મીડિયા સાથે વાત કરતી વખતે કરી હતી. ભૂપેશ બઘેલે જણાવ્યું હતું […]

છારી-ઢાંઢ’ને મળેલું વૈશ્વિક ‘રામસર સાઇટ’ દરજ્જાનું પ્રમાણપત્ર વનમંત્રીએ CMને કર્યુ અર્પણ

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026:  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાના પરિણામે કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે. છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને 31 જાન્યુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં […]

ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં યાયાવર સહિત પક્ષીઓની ગણતરીનો પ્રારંભ

જામનગર, 6 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં હાલ મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર સહિતના અનેક પક્ષીઓ મહેમાન બને છે. જેથી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આજથી ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જુદી-જુદી 3 સભ્યોની અનેક ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. પક્ષીઓની […]

T20 વર્લ્ડ કપ 2026: ICCએ કોમેન્ટ્રી પેનલ જાહેર કરી, ભારતમાંથી 5 મોટા નામ સામેલ

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026 માટે સત્તાવાર કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ મહાકુંભમાં વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરો અને અનુભવી બ્રોડકાસ્ટર્સ અવાજ આપશે. 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે, જેમાં અનુભવ અને યુવા […]

જામનગરમાં રેલવે લાઈનની બન્ને તરફ 150થી વધુ ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું

જામનગર, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના રેલવે ઓવરબ્રિજ તેમજ રેલવે ટ્રેક સમાંતર બન્ને બાજુ વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રએ લાલ આંખ કરી છે. અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા સમાન બની ગયેલી ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટે આજે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના  દિગ્જામ ઓવરબ્રિજની નીચે અને રેલવે ટ્રેકની બંને તરફ […]

બનાસકાંઠામાં પાંથાવાડા હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂંસી જતા એકનું મોત

પાલનપુર, 6 ફેબ્રુઆરી 2026:  બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગુંદરી-પાંથાવાડા હાઈવે પર મોડી રાત્રે સર્જાયો હતો. ટ્રક પાછળ પૂરફાટ ઝડપે હોન્ડાસિટી કાર અથડાતા કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના […]

વઢવાણમાં શિયાણી પોળમાં આવેલી વર્ષો જુની શાક માર્કેટનું ડિમોલિશન, નવી બનાવાશે

વઢવાણ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધતો જાય છે. વઢવાણમાં હાલ એક લાખ જેટલી વસતી છે. અને શિયાણીની પોળમાં એક જ શાકમાર્કેટ આવેલી છે. જે વર્ષો જુની છે, અને તેનું મકાન પણ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શિળાણીની પોળની જર્જરિત શાક માર્કેટને જમીન દોસ્ત કરી છે. અને આજ સ્થળે આગામી […]

ભાવનગર પંથકમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ભાવનગર, 6 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં સૌથી વધુ ડૂંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા અને તળાજા તાલુકામાં આ વર્ષે પણ ડૂંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. પણ ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.  ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં એકાએક ડુંગળીના ભાવમાં કડાકો થતા ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી […]

સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

હરિદ્વાર, 6 ફેબ્રુઆરી 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હરિદ્વારમાં કહ્યું કે સંતો સદીઓથી સાંસ્કૃતિક પ્રવાહના રક્ષક રહ્યા છે અને સંત પરંપરા દેશની સૌથી મોટી તાકાત છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે. આ સમારોહ ભારત માતા મંદિર ખાતે સ્વામી સત્યમિત્રાનંદ ગિરિ મહારાજની સ્મૃતિમાં આયોજિત શ્રીવિગ્રહ મૂર્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code