1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં નો-પાર્કિંગમાં કાર ટોઈંગ કરતા પોલીસ કોન્સ્ટેબલને કારચાલકે મારમાર્યો

સુરત, 1 ફેબ્રુઆરી 2026:  શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં પાર્ક કરેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચાલકે હુમલો કરી માર મારતા કારચાલક સામે ગુનોં નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધનાના સિલિકોન શોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં […]

ઘાટલોડિયામાં પરિવાર પ્રસંગમાં ગયો અને ઘરમાં તસ્કરો 13 લાખ મત્તા ઉઠાવી ગયા

અમદાવાદ, 1 ફેબ્રુઆરી 2026: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો એક પરિવાર રાજકોટ જનાઈના પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયો હતો. ત્યારે બંધ મકાનના તાળાં તોડીને તસ્કરો રૂપિયા 13 લાખના સોનાના દાગીના સહિત મત્તા ઉઠાવી ગયા હતા. પરિવાર પ્રસંગ પુરો કરીને ઘેર પરત ફર્યો ત્યારે ચોરી થયાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ […]

PMના આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામનજીને સતત નવમી વાર બજેટ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026ના બજેટને ‘ઐતિહાસિક’ ગણાવ્યું

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2026 ને “ઐતિહાસિક” ગણાવ્યું, જે મહિલા સશક્તિકરણ અને યુવા વિચારસરણીની શક્તિશાળી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે નવમી વખત બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અને ભારત-EU FTA ના ફાયદાઓ પર ભાર મૂક્યો, તેને “અપાર તકોનો રાજમાર્ગ” ગણાવ્યો. તેમણે માળખાગત સુવિધાઓ, જળમાર્ગો, […]

કેન્દ્રિય બજેટ 2026: ગુજરાતને કેટલો ફાયદો થશે જાણો

ગુજરાતમાં 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતને મોટો ફાયદો થશે લોકલ ઈકોનોમીને ગ્લોબલ ચેલેન્જથી ફાયદો થશે જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બીમારીઓની દવા સસ્તી થશે, અમદાવાદ,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે […]

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, ઇતિહાસનું સૌથી મોટું સંરક્ષણ બજેટ રજૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સંરક્ષણ ક્ષમતાઓને વધારવા માટે કસ્ટમ ડ્યુટીમાં છૂટની પણ જાહેરાત કરી. કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે સંરક્ષણ મંત્રાલયને 7.8 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. સંરક્ષણ દળોને મૂડી ખર્ચ બજેટ હેઠળ આધુનિકીકરણ માટે 2.19 લાખ કરોડ મળશે. ગયા વર્ષે, બજેટ 2025-26માં, સંરક્ષણ સેવાઓ […]

વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છેઃ મંત્રી અર્જુન મોઢવાડિયા

પોરબંદર, 1 ફેબ્રુઆરી 2026:  ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમિનારના અધ્યક્ષસ્થાને વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા […]

BLA એક સાથે 48 પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો, 84 સૈનિકો માર્યા ગયા

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ‘ઓપરેશન હેરોફ’ ના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત કરી. આ યોજના હેઠળ, બળવાખોરોએ 48 સ્થળોએ પાકિસ્તાની લશ્કરી સ્થળો પર એક સાથે હુમલાઓ શરૂ કર્યા. પાકિસ્તાની સેના અને પોલીસ BLA ના નિશાના પર છે. BLA એ 84 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. […]

કેન્દ્રીય બજેટ 2026: બિહારને મોટી ભેટ મળી, પટનામાં જહાજ સમારકામ કેન્દ્ર બનાવવામાં આવશે

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય બજેટ 2026 માં બિહાર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પટના અને વારાણસીમાં જહાજ સમારકામ કેન્દ્રોની સ્થાપનાની જાહેરાત કરી. આનો ઉદ્દેશ્ય ગંગા અને અન્ય નદીઓ દ્વારા માલસામાનની અવરજવર વધારવાનો છે, પટનાને જળમાર્ગ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. વધુમાં, બધા જિલ્લાઓમાં કન્યા છાત્રાલયો ખોલવાની યોજના છે. કેન્દ્રીય […]

કેન્દ્રિય બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત

નવીદિલ્હી,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના વારાણસી, જૌનપુર સહિત પૂર્વાંચલના લોકો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ ટેક્સટાઇલ સેક્ટર માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. કેન્દ્રિય નાણામંત્રીએ પોતાના અંદાજપત્રિય પ્રવચનમાં મહાત્મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code