1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: BMCમાં ભાજપનો દબદબો

મુંબઈ, 16 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાભરી મુંબઈ અને પુણે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પ્રક્રિયા તેજ બની છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ અને પુણે બંને મહાનગરોમાં મજબૂત પકડ જમાવી છે. મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકો પૈકી 109 બેઠકો ઉપર ભાજપ આગળ છે. જ્યારે 64 બેઠક ઉપર શિવસેના(U), 16 ઉપર કોંગ્રેસ અને 20 બેઠકો […]

સ્ટાર્ટઅપ ઈન્ડિયાના સફળ 10 વર્ષ: PM મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલના 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અને ખાસ કરીને યુવા સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સને પરિવર્તનના એવા ‘એન્જિન’ ગણાવ્યા છે જે દેશની અર્થવ્યવસ્થા અને સમાજના ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, […]

રાજસ્થાન: ચિત્તોડગઢ-ઉદયપુર હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના 4 ના મોત

જયપુર, 16 જાન્યુઆરી 2026: રાજસ્થાનના ચિત્તોડગઢ-ઉદયપુર નેશનલ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. નરધારી વિસ્તાર પાસે રાત્રે 1 વાગ્યાના સુમારે થયેલા આ અકસ્માતમાં કાર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું છે. મળતી માહિતી મુજબ, કાર ચિત્તોડગઢથી ઉદયપુર […]

બાબા મહાકાલના શરણમાં ગૌતમ ગંભીર: ભસ્મ આરતીમાં લીધો ભાગ

ઉજ્જૈન, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાનુભાવોના આગમનનો સિલસિલો યથાવત છે. આ ક્રમમાં આજે શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર બાબા મહાકાલના દરબારમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. ગંભીરે વહેલી સવારે 4 કલાકે યોજાતી પવિત્ર ‘ભસ્મ આરતી’માં સહભાગી થઈ ભગવાન શિવની આરાધના કરી હતી અને […]

દિલ્હી-NCR: હાડ થીજવતી ઠંડી, ગાઢ ધુમ્મસ અને ઝેરી હવાનો ત્રિપલ માર

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) હાલમાં અતિશય ઠંડી, ગાઢ ધુમ્મસ અને ગંભીર વાયુ પ્રદૂષણના ત્રિવેણી સંગમનો સામનો કરી રહ્યું છે. સવારની શરૂઆત કાતિલ ઠંડી અને શૂન્ય વિઝિબિલિટી સાથે થાય છે, જ્યારે દિવસ ચઢતાની સાથે હવા એટલી ઝેરી બની જાય છે કે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હી, નોઈડા […]

વેનેઝુએલાઃ મારિયા મચાદોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને સોંપ્યો

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: વેનેઝુએલાના રાજકારણમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુરુવારે વોશિંગ્ટનમાં એક ઐતિહાસિક અને અણધારી ઘટના બની હતી. વેનેઝુએલાના અગ્રણી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાદોએ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ ખાનગી મુલાકાત દરમિયાન એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં મચાદોએ પોતાનો ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુપરત કર્યો હતો. […]

IMF ભારતનો વિકાસ દર વધારે તેવા સંકેત, ગણાવ્યું ગ્લોબલ ગ્રોથ એન્જિન

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) એ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અત્યંત સકારાત્મક સંકેતો આપ્યા છે. આઈએમએફ એ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કરી શકે છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતા વધુ સારી ગતિ પકડી છે, જેના કારણે વૈશ્વિક વિકાસને વેગ આપવામાં ભારતની ભૂમિકા ફરી […]

સ્કોપ-3: આર્દ્રા (ઓરાયન) તારામંડળ ન જોયું હોય તો વહેલી તકે જોઈ લેશો

રાત પડે એટલે રાત પડે એટલે આકાશમાં દક્ષિણ પૂર્વ દિશામાં આ તારામંડળ દેખાય છે. તેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આર્દ્રા નામનો લાલ ચટક તારો અચૂક જોઈ લેજો કારણ કે તે ગમે ત્યારે ફૂટવાનો છે. એ આવતીકાલ પણ હોઈ શકે અને હજારો વર્ષ પછી પણ હોઈ શકે. ભારતીય ખગોળ પરંપરામાં આકાશ માત્ર તારાઓનું ભૌતિક વિતરણ નથી, પરંતુ […]

સ્વાસ્થ્ય માટે સંજીવની: જાણો સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાના ફાયદા, આ એક ભૂલથી બચો

આપણા શરીરમાં પાણીની ઉણપ માત્ર ત્વચા પર જ નહીં, પરંતુ કિડની અને લિવર જેવા મહત્વના અંગો પર પણ ગંભીર અસર કરે છે. ડોક્ટરો દિવસ દરમિયાન 2.5 થી 3 લિટર પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ દિવસની શરૂઆત પાણીથી કરવી તે વધુ ફાયદાકારક છે. ફેલિક્સ હોસ્પિટલના ચેરમેન ડો. ડી.કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર, સવારે ગરમ પાણી પીવાથી […]

શાકાહારનો વધતો ક્રેઝ: શાકાહારીઓની સંખ્યામાં ભારત ટોચ ઉપર

ભારત સહિત દુનિયાના અનેક દેશમાં લોકો હવે શાકાહાર તરફ વળી રહ્યાં છે. હેલ્થ કોન્શિયસ અને પર્યાવરણપ્રેમી લોકો હવે પ્લાન્ટ બેઝ્ડ ડાયટ તરફ વળ્યા છે. ભારતમાં અનેક મહાનુભાવો શુદ્ધ શાકાહારી ભોજન જ પસંદ કરે છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધારે 29.5 ટકા લોકો શાકાહારી છે. બીજી તરફ મોટાભાગના જાણકારો પણ લોકોને શાકાહારી ભોજન માટે અપીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code