1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પરીક્ષા પે ચર્ચા-ની ૯મી આવૃત્તિ જાન્યુઆરી-૨૦૨૬માં યોજાશે

કાર્યક્રમમાં ભાગ લેવા ધો. ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો-વાલીઓ માટે સ્પર્ધાનું આયોજન સ્પર્ધામાં સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર અપાશે  વિદ્યાર્થીઓ તથા શાળાઓના પસંદગી પામેલા પોસ્ટર-ક્રિએટિવ વિડિયો MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરાશે નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025ઃ Pariksha Pe Charcha વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની ૯મી આવૃત્તિ જાન્યુઆરી-૨૦૨૬માં યોજાવાની છે. […]

નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દસમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડને તેમને આ અસાધારણ સિદ્ધિ માટે ઔપચારિક રીતે અભિનંદન પાઠવ્યા છે. સંગઠને એક પત્ર દ્વારા કહ્યું છે કે 1947 થી 2025 સુધીના ભારતના લોકશાહી ઇતિહાસમાં નીતિશ કુમાર પહેલા વ્યક્તિ છે જેમણે દસ વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો […]

નમાઝ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ આવશ્યક નથીઃ હાઈકોર્ટે મસ્જિદની અરજી ફગાવી

નાગપુર, 5 ડિસેમ્બર, 2025ઃ Use of loudspeakers not necessary for Namaz બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે તાજેતરમાં એક મસ્જિદ વતી કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા ઠરાવવામાં આવ્યું હતું કે, લાઉડસ્પીકરનો ઉપયોગ એ ધર્મનો અનિવાર્ય ભાગ નથી. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા હાઈકોર્ટે કહ્યું કે, રોજેરોજ ઊંચા અવાજે લાઉડસ્પીકર વગાડીને બીજાને ખલેલ પહોંચાડી શકાય નહીં. મસ્જિદ ઉપર […]

પંજાબની જેલમાં બંધ કેદીઓને સ્કીલ ટ્રેનીંગ અપાશે, જેલોમાં 11 નવી ITI ખોલાશે

નવી દિલ્હીઃ પંજાબની જેલોમાં બંધ કેદીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એમ્પાવરિંગ લાઈવ્સ બિહાઈન્ડ બાર્સ પહેલ હેઠળ પંજાબ સરકાર અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વારા 11 જેટલી નવી આઈટીઆઈ જેલોમાં ખોલવામાં આવશે. જેના મારફતે 24 જેલમાં બંધ 2400 કેદીઓ એનસીવીટી અને એનએસક્યુએફ સર્ટીફાઈડ સ્કિલ ટ્રેનિંગ મેળવી શકશે. આ પ્રોગ્રામની શરૂઆત સુપ્રીમ કોર્ટના ચીફજસ્ટીસ સૂર્યાકાંતની ઉપસ્થિતિમાં પટિયાલા […]

ગુજરાત બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે જ ધો.10-12ની પરીક્ષા ગોઠવાતા વાલીઓનો વિરોધ

બોર્ડ દ્વારા જાહેર રજાઓ જોયા વિના જ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું, 4થી માર્ચના રોજ ધૂળેટીના દિને પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડશે, બોર્ડના છબરડા સામે વાલીઓમાં રોષ અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 26મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને […]

સુરતમાં કૂતરાએ 4 વર્ષિય બાળકી પર હુમલો કરતા લોહીલૂહાણ, ત્રણ દિવસમાં બીજો બનાવ

સુરતમાં રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે, છતાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય, બપોરના ટાણે ઘર નજીક બાળકી રમી રહી હતી ત્યારે રખડતા કૂતરાએ હુમલો કર્યો, બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ દૂર થતો નથી, ડોગ બાઈટના રોજબરોજ બનાવો બની રહ્યા છે. છતાં મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય છે. ત્રણ દિવસ પહેલા જ એક […]

દક્ષિણ ભારતમાં સર્જાયેલા દિતવા ચક્રવાતને લીધે સુરતના કાપડ ઉદ્યોગને પડ્યો ફટકો

દક્ષિણ ભારતમાં પોંગલના તહેવારમાં સુરતથી કરોડો રૂપિયાનું કાપડ મોકલાતું હતુ વાવાઝોડાને લીધે તામિલનાડું-ચેન્નઈમાં સ્થાનિક કાપડ બજારો ઠપ્પ થઈ ગઈ છે ગત વર્ષે સુરતના વેપારીઓએ દક્ષિણ ભારતમાં 900 કરોડનો વેપાર કર્યો હતો, સુરતઃ દક્ષિણ ભારતના તામિલનાડુ સહિત રાજ્યોમાં તાજેતરમાં સર્જાયેલા દિતવા ચક્રવાતે ભારે ખાના ખરાબી કરી હતી. ચેન્નાઈ સહિત શહેરોમાં વેપાર ઉદ્યોગને સારૂએવું નુકસાન થયું છે. […]

વેરાવળના દરિયામાં ફિશિંગ બોટ પલટી જતા એક માછીમારનું મોત, ત્રણનો બચાવ

ફિશિંગ ટ્રોલર બોટએ ઓવરલોડના કારણે પલટી ખાધી વેરાવળના દરિયામાં બે નોટિકલ માઈલ દુર બન્યો બનાવ માછલીઓ ભરેલી જાળ ખેંચતા જ બોટ ઊંધી વળી સોમનાથઃ  વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડના કારણે પલટી જતાં બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલાનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. જ્યારે બોટમાં […]

જામનગર જિલ્લામાં જૂદા જૂદા અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

જિલ્લામાં દરેડ નજીક બુલેટ મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત લાલપુર નજીક બે બાઈક સામસામે અથડાતા એક બાઈકચાલકનું મોત પોલીસે બન્ને બનાવમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવોમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ દરેડ નજીક હાઈવે પર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ 10મી ડિસેમ્બરથી યોજાશે

એથલેટિક્સની 26 ઇવેન્ટમાં 5 જિલ્લાના 400 ખેલાડીઓ ભાગ લેશે, વિજેતાઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ શકશે, વિજેતા ખેલાડીઓને સ્થળ પર જ મેડલ પહેરાવી સન્માનિત કરાશે   રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 10મી ડિસેમ્બરે ખેલકૂદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code