1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગિફ્ટ સીટીમાં મૂડીરોકાણ માટે વિદેશી રિઈન્સ્યોરન્સ કંપનીઓને વધી રહ્યો છે રસ

ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ GIFT City રાજ્યની રાજધાની ગાંધીનગર પાસે તૈયાર કરવામાં આવેલા Gujarat International Finance Tec-City (ગિફ્ટ સિટી) પાછળનો ઉદ્દેશ સાકાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવેલી રહેલું આ શહેર માત્ર ગુજરાતનું જ નહીં ભારતનું સૌથી અગત્યનું બિઝનેસ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. Foreign companies આ જ […]

SGVP ટ્રોફી(U-17)ની સેમિફાઈનલમાં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટનો વિજય

અમદાવાદઃ SGVPટ્રોફી-14 (U-17)VR સેમિફાઈનલ ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (જીસીઆઈ) અને ગુજરાત ક્રિકેટ કલબ (જીસીસી) વચ્ચે રમાઈ હતી. જેમાં જીસીઆઈની ટીમે 22 રનથી વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 30 ઓવરની આ મેચમાં ટોસ જીતીને જીસીસીની ટીમે પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી જીસીઆઈની ટીમે 30 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 185 રન ફટકાર્યાં હતા. […]

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ચાર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું

નવી દિલ્હીઃ ચક્રવાત ‘મિચૌંગ’ (Michaung) ના અવશેષોના કારણે તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં મંગળવારે બધી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભારતીય […]

દેશમાં અટલ પેન્શન યોજના હેઠળ કુલ 8.34 કરોડ નોંધણી થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું કે 31 ઓક્ટોબર, 2025 સુધીમાં અટલ પેન્શન યોજના (APY)માં કુલ 8,34,13,738 નોંધણીઓ થઈ છે.કુલ નોંધણીઓમાં 4,04,41,135 મહિલાઓનો હિસ્સો છે, જે કુલ નોંધણીના લગભગ 48 ટકા છે. આ યોજના 9 મે, 2015 ના રોજ શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ્ય ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સાર્વત્રિક સામાજિક […]

SGVP ટ્રોફી(U-17)ની મેચમાં GCI નો SGVP સૂર્યા સ્પોર્ટ એકેડમી સામે 9 વિકેટે વિજય

અમદાવાદઃ SGVP ટ્રોફી (U-17)ની ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (જીસીઆઈ) અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટ એકેડમી વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈનો 9 વિકેટે ભવ્ય વિજય થયો હતો. પ્રથમ ટોસ જીતીની જીસીઆઈએ બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી એસજીવીપી સૂર્યા સ્પોર્ટ એકેડમીની ટીમે 30 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યાં હતા.ઋતુરાજ જાડેજાએ સૌથી વધારે 56 રન બનાવ્યાં […]

ભારતનું ફૂટવેર ક્ષેત્ર આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ FDDI ના દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું અને ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો ફૂટવેર ઉત્પાદક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતનું ફૂટવેર ક્ષેત્ર ‘ચેમ્પિયન સેક્ટર’ છે, જે આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો દ્વારા સ્વાસ્થ્ય, સુવિધા અને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ […]

સિગારેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર જીએસટી વધારાશે, બે વિધેયક રજૂ કરાશે

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સિગરેટ, ગૂટખા, તમાકુ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર કરની નવી વ્યવસ્થા લાવવા બે મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરશે. કેન્‍દ્રીય ઉત્‍પાદ શુલ્‍ક સંશોધન વિધેયક, 2025 હાલના GST કમ્પન્સેશન સેસને બદલી દેશે, જે સિગરેટ, તમાકુ, હૂકાહ, જર્દા, સુગંધિત તમાકુ જેવા તમામ તમાકુ ઉત્પાદનો પર લાગુ પડે છે. […]

હવે મોબાઈલ ફોનમાં સિમકાર્ડ વગર નહીં ચાલે મેસેજિંગ એપ્સ, સરકારે લાગુ કર્યા નવા નિયમો

નવી દિલ્હીઃ દેશની સાયબર સુરક્ષા વધારે કડક બનાવવા માટે કેન્દ્રીય સરકારે મેસેજિંગ એપ્સ પર અત્યાર સુધીનો સૌથી કડક નિયમ લાગુ કર્યો છે. ટેલિકોમ વિભાગ (DoT)એ જાહેર કર્યું છે કે હવે કોઈપણ મેસેજિંગ એપ SIM વગર ફોનમાં ચલાવી શકાશે નહીં. એટલે કે, એપ જે મોબાઇલ નંબરથી રજિસ્ટર છે, એ જ SIM સતત ફોનમાં હોવુ ફરજિયાત રહેશે. […]

શિયાળામાં પોસ્ટીક લીલા ચણાનું શાક આરોગ્ય માટે ફાયદાકારક, જાણો રેસીપી

શિયાળાની ઋતુમાં બજારમાં તાજા અને લીલા ચણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. કાળા ચણા તો તમે અનેકવાર બનાવ્યા હશે, પરંતુ શું તમે લીલા ચણાનું સ્વાદિષ્ટ શાક ક્યારેય ટ્રાય કર્યું છે? તાજા લીલા ચણા સ્વાદમાં મૃદુ, પૌષ્ટિક અને ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. મસાલા સાથે પકાવતાં તેનો સ્વાદ ઘરના દરેક સભ્યને ભાવશે. અમે તમને શિયાળાના દિવસોમાં […]

ગુજરાતનું રાજભવન હવેથી ગુજરાત ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Gujarat’s Raj Bhavan remaned  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે. ‘લોક ભવન’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code