1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લીધે 10 જળાશયો સંપૂર્ણ ભરાયા, 29 ડેમો 70 ટકાથી વધુ ભરાયા

ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 38.26 ટકા ભરાયા હતા, આ વખતે 207 જળાશયોમાં 46 ટકાથી વધુ જળ સંગ્રહ થયો, સરદાર સરોવર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે, ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, […]

દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થયું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં આ રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાવાની છે. દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો સાથે વાવાઝોડા અને વરસાદની શક્યતા છે, તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી તરફ, છત્તીસગઢમાં ચોમાસુ […]

બિહાર : કારની ડેક્કીમાંથી 3,700 જીવંત કારતૂસ પકડાયાં, બે લોકોની ધરપકડ

પટનાઃ બિહારના કૈમુર જિલ્લાના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક કારની ડેક્કીમાંથી 3,700 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નાલંદા જિલ્લામાં સપ્લાય કરવાના હતા. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું કહેવાય છે. કૈમૂર પોલીસ અને એસટીએફને ગુપ્ત માહિતી […]

કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં પરાજ્ય થતાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહનું રાજીનામું

શક્તિસિંહ ગોહિલે પરિણામની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખની જવાબદારી શૈલેષ પરમારને સોંપવામાં આવી, નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખો કાર્યકરોને સાંભળીને નક્કી કરાયા છે અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ નવા […]

જામનગરનો રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો, વાગડિયા ડેમ પણ છલકાયો

જામનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવ્યા, રંગમતી ડેમ 80 ટકા ભરાયો, જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા જામનગરઃ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ધોધમાર વરસાદને કારણે જિલ્લાના ડેમો છલોછલ ભરાય રહ્યા છે. જેમાં જામનગર શહેરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જ્યારે રંગમતી ડેમ પણ 80 ટકા ભરાયો છે. […]

મહુધા તાલુકા પંચાયતની કચેરીમાં પોપડા પડતા કર્મચારીઓ દોડીને બહાર નીકળી ગયા

પંચાયતની કચેરીનું બહારથી રંગરોગાનવાળું બિલ્ડિંગ અંદરથી જર્જરિત, ટેબલ- ખુરશીઓ પર છતના પોપડા પડતાં ભયના માહોલ, યોગ્ય સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠી નડિયાદઃ મહુધા તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક બિલ્ડિંગની છતમાંથી પોપડા પડવા લાગતા કર્મચારીઓ દોડીને કચેરીની બહાર નીકળી ગયા હતા. તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બહારથી રંગરોગાન કરેલું છે, પણ અંદરથી […]

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને લીધે શેત્રુંજી સહિત નદીઓમાં પૂરની સ્થિતિ

બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું, રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી અમરેલીઃ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ […]

પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર લકઝરી બસ ટ્રક સાથે અથડાતા 3નાં મોત, 7ને ઈજા

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર કાટવાડ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો, લકઝરી બસ મુંબઈના બોરીવલીથી ઉદેપુર જઈ રહી હતી, ટ્રકની પાછળ લકઝરી બસ ઘૂંસી ગઈ પ્રાંતિજઃ અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પ્રાતિંજ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાટવાડ બ્રિજ નજીક ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા જ્યારે […]

લખતરના મોઢવાણા નજીક હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માતને લીધે હાઈવે પર બે કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો, ગ્રામજનોએ ટ્રેલરચાલકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો, બીજા અકસ્માતના બનાવમાં પીકવાને વૃદ્ધને અડફેટે લીધા સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે લખતર તાલુકાના મોઢવાણા અને વણા વચ્ચે હાઈવે પર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર અને લોખંડ ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેલરના […]

દહેગામ-રખિયાલ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત

દહેગામ-રખિયાલ રોડ પર બબલપુર ગામ નજીક અકસ્માત સર્જાયો, ટ્રક ચાલકે બેદરકારીથી ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરીને બાઈકને ટક્કર મારી, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર બેદરકારીથી ચલાવાતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે દહેગામ-રખિયાલ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. દહેગામ-રખિયાલ રોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code