1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. બંને રાજ્યમાં વિજેતા બનેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તરપ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી વર્ષે દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમ છતા […]

રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણી જાહેર, 20મી ડિસેમ્બરે યોજાશે મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી બાદ હવે રાજ્યસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ બેઠકો પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. જે સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી ત્રણ સીટો આંધ્રપ્રદેશની છે. આ […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]

કોંગ્રેસે અહંકાર છોડી ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વિકારવા જોઈએઃ TMC

નવી દિલ્હીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે કેટલાક રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ છે. તેમજ ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીની પસંદગી કરવામાં આવે તેવી ટીએમસીએ માંગણી કરી […]

ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી, વાવ બેઠક ઉપર કોંગ્રેસની હાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની જીત થતા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. જેથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે વાવ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 1300 મતથી વિજ્યી થયા હતા. […]

મારો દીકરો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહ્યાં છેઃ સરિતા ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત રહી છે. મહાયુતિમાં ભાજપાને 125થી વધારે બેઠકો મળી રહી છે. જેથી મહારાષ્ટ્ર ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકરો આગામી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બને તેવી આશા રાખી રહ્યાં છે. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસ પણ આગામી સીએમ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, મહાયુતિના નેતાઓ સાથે […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વિકારી

મુંબઈઃ મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાઈ હતી. દરમિયાન 225 બેઠકો ઉપર મહાયુતિ આગળ ચાલી રહી છે જ્યારે મહા વિકાસ અઘાડી 50 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીતને પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી(અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.  બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સન્નાટો છવાયો […]

વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેએ BJP સાથે કરેલા વિશ્વાસઘાતનો જનતાએ આપ્યો જવાબઃ કિરીટ સોમૈયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે અને હાલ ભાજપાની આગેવાની હેઠળ મહાયુતિ જીતી રહી છે. જેના પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી દ્વારા મતગણતરીને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયાએ મહાવિકાસ […]

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતિ 26મી નવેમ્બરે દાવો કરશે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાયુતિ હાલ હરિફ મહાવિકાસ અઘાડીથી ખુબ આગળ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપાએ તા. 25મી નવેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એટલું જ નહીં મહાયુતિ 26મી નવેમ્બરના રોજ સરકાર રચવા માટે દાવો કરે તેવી […]

મહાયુતિના નેતાઓ સાથે મળીને આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, મહાયુતિની ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નવા સીએમ અંગે નિર્ણય લેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 60 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code