1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની […]

મની લોન્ડરિંગ કેસમાં ED ટીના અંબાણીની પૂછપરછ કરશે, નવા સમન્સ મોકલવામાં આવશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવા સમન્સ જારી કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ભૂતપૂર્વ ફિલ્મ અભિનેત્રી ટીનાને એજન્સી દ્વારા હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે હાજર રહી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સી તેને […]

આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતા રાજપાલ યાદવની મદદે આવ્યો સોનુ સૂદ

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2026: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ તરીકે જાણીતા રાજપાલ યાદવ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ચેક બાઉન્સના કેસમાં આખરે તેમણે દિલ્હીની તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી છે. જેલ જતા પહેલા રાજપાલ યાદવ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા પોતાની લાચારી વ્યક્ત કરી […]

ચીનમાં સોનાની ખાણમાં એક મોટી દુર્ઘટનામાં સાત લોકોના મોત

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: ચીનના પૂર્વીય શેનડોંગ પ્રાંતમાં સોનાની ખાણમાં થયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, રાજ્ય મીડિયા સીસીટીવીના અહેવાલ મુજબ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે, જેના કારણે ખાણકામ કંપની ઝાઓજિન માઇનિંગ ઇન્ડસ્ટ્રીના શેર મંગળવારે 6% ગગડી ગયા છે. અકસ્માતની તપાસ શરૂ ઇમરજન્સી મેનેજમેન્ટ અને પબ્લિક સિક્યુરિટી વિભાગ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યું […]

સેશેલ્સ માટે 175 મિલિયન ડોલરના ખાસ આર્થિક પેકેજની ભારતે કરી જાહેરાત

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સ માટે 175 મિલિયન ડોલરના ખાસ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક એર્મિની સાથે મુલાકાત બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા, મોદીએ જણાવ્યું કે આ પેકેજ સામાજિક આવાસ, ઈ-મોબિલિટી, વ્યાવસાયિક તાલીમ, આરોગ્ય, સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ પ્રદાન કરશે. ભારત અને સેશેલ્સે આરોગ્ય, […]

નરેન્દ્ર મોદીએ મોરિશિયસના PM ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન વાત કરી

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: PM નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ મોરિશિયસના PM ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર ખાસ વાતચીત કરી હતી. આ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચેના દાયકાઓ જૂના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્ર (Indian Ocean […]

હવે ઉગ્રવાદ નહીં પરંતુ વિકાસ-આત્મવિશ્વાસની ઓળખ છે બસ્તરઃ મોદી

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: છત્તીસગઢના બસ્તરની ઓળખ હવે ધીમે-ધીમે બદલાઈ રહી છે. લાંબા સમયથી આ વિસ્તારને માઓવાદ, હિંસા અને પછાત તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે આ જ વિસ્તાર હવે પોતાની સમૃદ્ધ જનજાતિય સંસ્કૃતિ, પરંપરા અને આત્મવિશ્વાસ માટે સમગ્ર દેશમાં ઓળખાય છે. આ પરિવર્તનનું સૌથી મોટુ ઉદાહરણ છે બસ્તર પંડુમ, જેનું આયોજન ભારે ઉત્સાહ સાથે […]

હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચાર શાંત, ગુરુવારે મતદાન યોજાશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદની પ્રથમ 13મી રાષ્ટ્રીય સંસદ ચૂંટણી માટેના પ્રચારનો આજે અંત આવ્યો છે. આગામી 12 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ દેશના ભાવિનો ફેંસલો કરવા માટે મતદાન યોજાશે. યુનુસ વહીવટી તંત્ર દ્વારા અવામી લીગ પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ, આ વખતે મુખ્ય જંગ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઇસ્લામી […]

પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: આઈસીસી વર્લ્ડકપમાં ભારત સાથે રમવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાની સરકારે થુંકીને ચાડ્યું હોય તેમ ભારત સાથે રમવા માટે પોતાની ક્રિકેટ ટીમને મંજુરી આપી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના કે.આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે રમવા માટે આઈસીસી સામે કેટલી શરતો રાખી હતી, જો કે, આઈસીસીએ […]

રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતેથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સક્રિય પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય માંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code