1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

એક તીરથી બે નિશાન! કર્ણાટકની આ બે બેઠકોથી ચૂંટણી અભિયાન શા માટે શરૂ કરી રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી : 16 માર્ચે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવ લોકસભા ચૂંટણી 2024નો આગાજ થશે. તેની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલબુર્ગી અને શિમોગા બેઠક પરથી […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

કેજરીવાલને મોટો આંચકો, શનિવારે એસીએમએમ કોર્ટમાં થવું પડશે હાજર

નવી દિલ્હી : દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપ્યો છે. કેજરીવાલને શનિવારે એસીએમએમની કોર્ટમાં રજૂ થવું પડશે. સેશન કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યુ છે કે પેશીમાંથી છૂટ માટે તેઓ ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી દારૂ નીતિના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉજ એવન્યૂ કોર્ટ દ્વારા […]

તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરના પુત્રી કે. કવિતા એરેસ્ટ, દિલ્હી શરાબ ગોટાળામાં કરાય કાર્યવાહી

હૈદરાબાદ: દિલ્હી દારૂ ગોટાળા મામલામાં ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીએ હૈદરાબાદવાળા તેમના મકાન પર દરોડો પાડયો હતો. આ દરમિયાન તપાસ એજન્સીએ ઘણા પ્રકારના પુરાવા એકઠા કર્યા હતા. હવે કે. કવિતાને દિલ્હી લવાય રહ્યા છે. અહીં તપાસ એજન્સી કે. કવિતાની પૂછપરછ કરશે. ઈન્કમટેક્સ વિભાગ […]

લોકસભા ચૂંટણીની તારીખ આવતીકાલે ચૂંટણીપંચ જાહેર કરશે, કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની આવતીકાલે શનિવારે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ કાલે જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીપંચ બપોરના 3 કલાકે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરશે. Press Conference by Election […]

ભાજપનું મિશન સાઉથ: લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતની મુલાકાતો કેમ લઈ રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી: 2014માં 282 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે 303 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. આ ટાર્ગેટ નાનો નથી. હિંદી બેલ્ટ ભાજચપનો જનાધાર માનવામાં આવે છે. પરંતુ માત્ર ઉત્તર ભારતમાંથી જ આટલી બેઠકો મળવાની નથી. ભાજપની સમસ્યા એ પણ છે કે ઉત્રત ભારતમાં જે […]

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

6માંથી 4 રાષ્ટ્રીય પાર્ટીઓએ કર્યો વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ, જાણો ક્યાં પક્ષો સાથે અને ક્યાં પક્ષો વિરોધમાં

નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશભરમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાના વિષય પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. પેનલમાં કુલ 47 રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમાં 32 પક્ષોએ વન નેશન-વન ઈલેક્શનને ટેકો આપ્યો છે અને 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો છે. સૌથી મોટી વાત એ છે […]

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા? બૃજભૂષણ શરણ સિંહનું વધ્યું ટેન્શન

નવી દિલ્હી : મોટિવેશનલ સ્પીકર અને ટીચર અવધ ઓઝાના આગામી લોકસભા ચૂંટણી દ્વારા રાજકારણમાં પ્રવેશને લઈને ચર્ચાઓ છે. તેઓ ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણીમાં યુપીની બે બેઠકોમાંથી એક પરથી ઉમેદવાર બને તેવી શક્યતા છે. ગત કેટલાક દિવસોથી અવધ ઓઝાએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા સાથે મુલાકાત પણ કરી […]

સુખબીર સંધૂ-જ્ઞાનેશ કુમાર બન્યા ચૂંટણી કમિશનર, પેનલમાં સામેલ અધીર રંજને ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ સુખબીર સંધૂ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે બપોરે મીડિયાને આ જાણકારી આપી. મહત્વપૂર્ણ છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સંબંધિત સમિતિનો ભાગ છે. બેઠક બાદ સમિતિના સદસ્ય અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે સમિતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code