1. Home
  2. revoinews

revoinews

ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન મૂર્તિઓ મળી

ભરૂચ, 10 જૂન 2026 – ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતના ભરૂચની વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાં હિન્દુ અને જૈન દેવી-દેવતાઓની જૂની મૂર્તિઓ દર્શાવતો એક વીડિયો જાહેર થયો છે. આ વીડિયોમાં મસ્જિદના ભોંયરામાં ભગવાન ગણેશ, હનુમાન અને જૈન તીર્થંકર મલ્લિનાથજીની […]

NIMCJને બીએજેએમસી ઓનર્સ ડિગ્રીનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવાની માન્યતા મળી

આ અભ્યાસક્રમ માટે NIMCJ ગુજરાત યુનિવર્સિટીની એકમાત્ર માન્ય સંસ્થા અમદાવાદ, 10 જૂન 2026: NIMCJને બીએજેએમસી ઓનર્સ ડિગ્રીનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવાની માન્યતા આપવામાં આવી છે. બેચલર ઓફ આર્ટસ (જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) બીએજેએમસી ઓનર્સના ચોથા વર્ષમાં પ્રવેશ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ અભ્યાસક્રમ માટે ગુજરાત યુનિવર્સિટી […]

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ: કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

નવી દિલ્હી, 10 જૂન 2026 – અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી છે. તદઅનુસાર હવે કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર સુધી મેટ્રો લંબાવવામાં આવશે. સત્તાવાર યાદી અનુસાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) […]

12 વર્ષ બેમિસાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દુનિયાભરમાંથી અભિનંદન વર્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ, અમેરિકી ગાયિકા મેરી મિલબેન સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 10 જૂન 2026 – નરેન્દ્રભાઈ મોદીએ સળંગ 12 વર્ષ અર્થાત 4399 દિવસ વડાપ્રધાનપદે રહીને ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે. આ સાથે પહેલા મુખ્યપ્રધાન અને ત્યારબાદ તરત જ વડાપ્રધાન- એમ […]

Video: પીડિતોના આંસુ પર રાજકીય રોટલી શેકવા ગયેલા “આપ” ના નેતાઓનો ફિયાસ્કો, જનતાએ અરીસો બતાવ્યો

હેમંત પરમાર દ્વારા ​દિલ્હીમાં બનેલી હોટેલ અગ્નિકાંડની હૃદયદ્રાવક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે, જ્યાં કેટલાક નિર્દોષ લોકો વહીવટીતંત્રની બેદરકારીના કારણે હોમાઈ ગયા. આવા ગંભીર અને અત્યંત સંવેદનશીલ સમયે નેતાઓ પાસેથી આશા રાખવામાં આવે કે તેઓ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવશે અને ન્યાય અપાવવાની દિશામાં કામ કરશે. પરંતુ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સંજય સિંહ […]

સબરીમાલા પુનર્વિચાર કેસમાં ચુકાદો આવે તે પહેલાં જૈનાચાર્યે લખ્યો ખુલ્લો પત્ર

સબરીમાલા કેસનો ચુકાદો ગમેત્યારે આવશે. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે સુનાવણી પૂરી થયા બાદ આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. દેશમાં મંદિરોની મુક્તિનો મુદ્દો એટલો જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે તેમાંથી બહાર નીકળવાના રસ્તા આ કેસ સાથે સંકળાયેલા પક્ષકારોને મળતા નથી. જેઓ રસ્તા બતાવે છે તેને ન્યાયતંત્ર મંજૂર રાખતું નથી. વાત હિન્દુ મંદિરો પૂરતી હતી […]

બંગાળથી દિલ્હી સુધી રાજકીય ભૂકંપઃ બીજાના ઘર તોડનારાના પોતાના જ આંગણે બુલડોઝર ફરી વળ્યું

વિપક્ષની એ હાઇ-પ્રોફાઇલ બેઠક જ્યાં શાહી મહેમાનગતિ તો થઈ, પણ ખુરશીઓ ખાલી રહી ગઈ હેમંત પરમાર દ્વારા કહેવાય છે કે રાજનીતિની શતરંજ પર જ્યારે પ્યાદું પોતાને વજીર સમજવાની ભૂલ કરી બેસે, ત્યારે સમજી લેવું જોઈએ કે ચેક અને મેટની અસલી રમત બસ શરૂ જ થવાની છે. હજી સાત દિવસ પણ નહોતા વીત્યા, દિલ્હીના બંધ ઓરડાઓથી […]

NEET-UG પરીક્ષા માટે દેશમાં ચક્રવ્યૂહ જેવી સુરક્ષા: વાયુસેનાના હેલિકોપ્ટરથી પહોંચશે પેપર

નવી દિલ્હી, 9 જૂન 2026: મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UG ની પરીક્ષાને પેપરલીકથી બચાવવા માટે કેન્દ્ર સરકારે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે પરીક્ષાના પ્રશ્નપત્રો દિલ્હીથી દેશના 18 અલગ-અલગ લોકેશન પર ભારતીય વાયુસેનાના શક્તિશાળી ‘Mi-17’ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવશે. ત્યાંથી આ પ્રશ્નપત્રોને સેનાના લોજિસ્ટિક સેન્ટર અને […]

બળવાખોર સાંસદો સામે મમતાના વફાદારો મેદાને, કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બળવાખોરોને ગદ્દાર ગણાવ્યા

નવી દિલ્હી, 9 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા રાજકીય જંગમાં ફેરવાઈ ગયો છે. પાર્ટીના કેટલાક સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બાગી નેતાઓ પર આકરા પ્રહારો કરતા તેમને ‘ગદ્દાર’, […]

ગુજરાતની મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે GCCI અને CED એ હાથ મિલાવ્યા

અમદાવાદ, 9 જૂન 2026 – ગુજરાતની મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે GCCI અને CED એ હાથ મિલાવ્યા છે. આ સંદર્ભમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI), અમદાવાદ ખાતે સોમવારે ૮ જૂન, ૨૦૨૬ના રોજ GCCI સેન્ટર ફોર લર્નિંગ કમિટી દ્વારા ‘વુમન આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (મહિલા ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ) ની પ્રથમ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code