1. Home
  2. revoinews

revoinews

સોશિયલ મીડિયા X દ્વારા હવે કમાણી કરવાનું સરળ નહીં, જાણો શું મોટો ફેરફાર થયો?

રિવોઈ ન્યૂઝ, 8 ઓગસ્ટ, 2026 – ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તાજેતરમાં છેલ્લા કેટલાક વર્ષોનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. પ્લેટફોર્મ તેનો ‘ક્રિએટર રેવેન્યુ શેર પ્રોગ્રામ’ બંધ કરી રહ્યું છે અને તમામ પાત્ર યુઝર્સને છેલ્લું પેમેન્ટ 7 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. X દ્વારા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મારફત આ પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત […]

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા શ્રી માધવ સેવા ભવન – નરોડા ખાતે વૃક્ષારોપણ

અમદાવાદ, 8 ઓગસ્ટ, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા “શ્રી માધવ સેવા ભવન – નરોડા” ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના મા. પ્રાંત સંઘચાલક ડૉ. શ્રી ભરતભાઈ પટેલે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોની પુજા કરી તેનું સંરક્ષણ કરવામાં […]

જૈન ટ્રસ્ટોની મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ટ્રસ્ટ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ

ભારતભરના આઠ ટ્રસ્ટ કાયદાઓને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2026: રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના પબ્લિક ટ્રસ્ટ કાયદાઓની બંધારણીય માન્યતાને પડકારતી બે રિટ પિટિશન આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ બંને અરજીઓને અગાઉથી પેન્ડિંગ રહેલા ‘શ્રી દયાનંદ સરસ્વતી’ કેસ સાથે જોડવામાં આવી છે. બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી […]

વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન

11 ઓગસ્ટે યોજાનારી વિશાળ તિરંગા યાત્રામાં 11 સ્વાગત સ્ટેજ, લાઇવ પ્રસારણ અને વ્યાપક આયોજન સાથે દેશપ્રેમનો મહોત્સવ અમદાવાદ, 7 ઓગસ્ટ, 2026: વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 ઓગસ્ટ, 2026ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિશાળ તિરંગા યાત્રાનું […]

સોશિયલ મીડિયા પર જ્ઞાન વહેંચાતું રહ્યું ને અમિત શાહે ઘૂસણખોરીની દુકાન પર તાળું મારી દીધું

હવે નકલી જન્મ પ્રમાણપત્રથી વોટ બેંક બનાવવી અશક્ય હેમંત પરમાર દ્વારા દેશમાં એક તરફ સોશિયલ મીડિયાના શૂરવીરો પોતપોતાના સ્માર્ટફોન પર જ્ઞાન પીરસવામાં અને ચર્ચાઓના વંટોળ સર્જવામાં વ્યસ્ત રહ્યા, તો બીજી તરફ દેશના ગૃહ મંત્રી અમિત શાહે ચુપચાપ એવું કામ કરી બતાવ્યું જેનાથી ઘૂસણખોરો અને તેમની ફેવર કરતી પોલિટિકલ વોટ બેંક ફેક્ટરીઓ એકસાથે સન્નાટામાં આવી ગઈ […]

રેલવે ટિકિટ બુકિંગ હવે એકદમ સરળ બનશે, IRCTCએ બનાવી બીટા વેબસાઈટ

રિવોઈ ન્યૂઝ, 7 ઓગસ્ટ, 2026 – રેલવે ટિકિટ બુક કરાવવાનું હવે એકદમ સરળ થઈ ગયું છે. તેનું કારણ એ છે કે, IRCTC એ થોડા સમય પહેલાં તેની ટિકિટ બુકિંગ વેબસાઇટનું નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. બીટા વર્ઝન એટલે કે દરેક માટે જાહેર કરતા પહેલા તેને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેમાં જોવા મળતી […]

માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો

વડોદરા, 7 ઓગસ્ટ, 2026 – માંજલપુર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ પક્ષ દ્વારા કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો હતો. વડોદરાના તરસાલી ખાતે ગુરુવારે છ ઓગસ્ટે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ઉપસ્થિતિ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે કાર્યકર્તાઓ પર […]

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે હરિયાણાના સાંસદો સાથે સંવાદ કર્યો

નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2026 – કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ગુરુવારે હરિયાણા ભવન, નવી દિલ્હી ખાતે હરિયાણા રાજ્યના સાંસદો સાથે ‘જળ જીવન મિશન 2.0’ ના અસરકારક અમલીકરણ અંગે સાર્થક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ કેન્દ્રીય સહકાર […]

PM મોદીના વિદેશ પ્રવાસો પાછળ પાંચ વર્ષમાં 557 કરોડનો ખર્ચ થયો, સરકારે સંસદમાં આપ્યા આંકડા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પાછળ થતો જંગી ખર્ચ અવારનવાર રાજકીય ચર્ચાનો વિષય બનતો હોય છે. આ દરમિયાન હવે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વર્ષ 2021 થી લઈને 2026 (જુલાઈ સુધી) સુધીના તમામ વિદેશ પ્રવાસોનો સત્તાવાર અને વિગતવાર હિસાબ રજૂ કર્યો છે. સરકારી આંકડાઓ મુજબ, 2021 થી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ પર આશરે રૂ. […]

પાલનપુર ખાતે BAOUના પ્રાદેશિક કેન્દ્રનું ભૂમિપૂજન થયું

નિર્માણ કાર્યના ‘પહેલી ઈંટનાં સાક્ષી’  બન્યા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા પાલનપુર, તા. 6 ઓગસ્ટ, 2026: પાલનપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના પ્રાદેશિક કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), અમદાવાદ દ્વારા પાલનપુર ખાતે યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code