1. Home
  2. revoinews

revoinews

દિલ્હી અને ઝારખંડ માટે રાહુલ ગાંધીના અલગ-અલગ માપદંડ કેમ? જીતુભાઈ વાઘાણી

દેશના યુવાનો રાહુલ ગાંધી અને કોંગ્રેસના બેવડા વલણ, સિલેક્ટીવ પોલિટિક્સ અને અસંવેદનશીલતાને ઓળખી ચૂક્યા છે ગાંધીનગર, 11 ઓગસ્ટ, 2026 – દિલ્હી અને ઝારખંડ માટે રાહુલ ગાંધીના અલગ-અલગ માપદંડ કેમ? તેવો પ્રશ્ન આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત કર્યો હતો. તેઓ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. જીતુભાઈએ સમગ્ર પ્રદેશ […]

ધ્રુવ રાઠીનો હિન્દુ દેવી-દેવતા વિરોધી વીડિયો યુટ્યૂબને ભારતમાં પ્રતિબંધિત કરવાની ફરજ પડી

નવી દિલ્હી, 11 ઓગસ્ટ, 2026 – ધ્રુવ રાઠીનો હિન્દુ દેવી-દેવતા વિરોધી વીડિયો યુટ્યૂબને ભારતમાં પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે. દિલ્હી હાઈકોર્ટને મંગળવારે માહિતી આપવામાં આવી હતી કે ગૂગલે કન્ટેન્ટ ક્રિએટર ધ્રુવ રાઠીનો એક યુટ્યુબ વીડિયો ભારતમાં પ્રતિબંધિત દીધો છે, જેમાં તેણે કહ્યું હતું કે હિન્દુ દેવી-દેવતાઓ ભગવાન રામ, સીતા અને ભગવાન કૃષ્ણ માંસ અને દારૂનું […]

રાજ્યના સરકારી બાબુઓએ વોટ્સએપને પણ કચેરીની ધૂળ ખાતી ફાઈલ બનાવી દીધી છે

વોટ્સએપ પર બ્લ્યુ ટિક બંધ કરીને સરકારી બાબુઓ જવાબદારીથી છટકબારી શોધે છે? ફોન સરકારી અને રિચાર્જ પ્રજાના ટેક્સના નાણામાંથી, છતાં પ્રજા પ્રત્યેની જવાબદારી બાબતે સરકારી બાબુઓનું વલણ ચિંતાજનક હેમંત પરમાર, અરવલ્લી એક તરફ રાજ્ય સરકાર સુશાસન, ઝડપી વહીવટ અને ડિજિટલ ઈન્ડિયાના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે રાજ્યના સરકારી બાબુઓએ […]

કેન્દ્રીય મંત્રીઓ જગત પ્રકાશ નડ્ડા અને કિરેન રિજિજુ દ્વારા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા તથા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી શ્રી કિરેન રિજિજુએ આજે સોમવારે રાહુલ ગાંધીના જૂઠ અને ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન પર તેમની ચુપકીદી અંગે આકરી ટીકે કરી અને રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો કે માનનીય ગૃહ મંત્રી ગૃહમાં દરેક સવાલનો જવાબ આપવા તૈયાર […]

પાટનગર બન્યું તિરંગામયઃ વિદ્યાર્થી અને યુવાનો સહિત હજારો નાગરિકો જોડાયા

દેશના 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રાના ૨.૪ કિલોમીટરના સમગ્ર રૂટ પર પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત કરતબ સાથેનો ‘ડેરડેવિલ્સ શો’ સૌ નાગરિકો માટે અને વિશેષ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ગાંધીનગર, 10 ઓગસ્ટ, […]

અરવલ્લીમાં આઉટસોર્સિંગ ભરતીમાં નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

DRDAની ૯૦ જગ્યાઓ માટેની ઈન્ટરવ્યુ પ્રક્રિયા છ મહિનાથી સ્થગિત રહેતાં રોષ, યુથ કોંગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર હેમંત પરમાર, અરવલ્લી, 10 ઓગસ્ટ, 2026 – અરવલ્લી જિલ્લાની વિવિધ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ માધ્યમથી કરવામાં આવતી કર્મચારીઓની ભરતીઓ અને નિમણૂકોમાં મોટા પાયે ગેરરીતિઓ તથા નીતિ-નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ગંભીર બાબત સામે આવી છે. રાજ્ય સરકારના સામાન્ય […]

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભુજના ટાઉન હૉલ ખાતે સંગીતમય પરફોર્મન્સ

ભુજ, 10 ઓગસ્ટ 2026 – ભુજના ટાઉન હૉલ ખાતે 9 ઓગસ્ટ 2026ના રોજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના વાયુસેના બેન્ડ દ્વારા એક શાનદાર સંગીતમય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ઉત્સાહી જાહેર પ્રેક્ષકોના ગરીમાપૂર્ણ સહમિલનના […]

નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન મોરિશિયસની સત્તાવાર મુલાકાતે

નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન (CNS), 10 થી 13 ઓગસ્ટ 2026 દરમિયાન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત કરવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં અત્યંત મૂલ્યવાન ભાગીદાર એવા મોરિશિયસ સાથે સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ભારતની સતત ભાગીદારીનો એક ભાગ છે. મુલાકાત દરમિયાન સીએનએસ […]

સોશિયલ મીડિયા X દ્વારા હવે કમાણી કરવાનું સરળ નહીં, જાણો શું મોટો ફેરફાર થયો?

રિવોઈ ન્યૂઝ, 8 ઓગસ્ટ, 2026 – ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તાજેતરમાં છેલ્લા કેટલાક વર્ષોનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. પ્લેટફોર્મ તેનો ‘ક્રિએટર રેવેન્યુ શેર પ્રોગ્રામ’ બંધ કરી રહ્યું છે અને તમામ પાત્ર યુઝર્સને છેલ્લું પેમેન્ટ 7 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. X દ્વારા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મારફત આ પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત […]

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા શ્રી માધવ સેવા ભવન – નરોડા ખાતે વૃક્ષારોપણ

અમદાવાદ, 8 ઓગસ્ટ, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા “શ્રી માધવ સેવા ભવન – નરોડા” ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના મા. પ્રાંત સંઘચાલક ડૉ. શ્રી ભરતભાઈ પટેલે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોની પુજા કરી તેનું સંરક્ષણ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code