1. Home
  2. revoinews

revoinews

ભાજપાની પ્રશિક્ષક-પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠક કલોલ ખાતે યોજાઈ

ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા નિર્માણ અને સતત પ્રશિક્ષણ એ સંગઠનની કાર્યપદ્ધતિનું અભિન્ન અંગ છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓના વૈચારિક ઘડતર, સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્ક ક્ષમતાના વિકાસનું અસરકારક માધ્યમ છેઃ શ્રી રત્નાકરજી કાર્યશાળામાં વિવિધ વિષયો માટે જિલ્લા-મહાનગરના વર્ગો માટે વક્તા તરીકે નિયુક્ત પ્રશિક્ષકોને વિષય આધારિત વિગતવાર પ્રશિક્ષણ આપવામાં આવ્યું કલોલ, 5 ઓગસ્ટ, 2026 – […]

પીએમ મોદીના વીડિયો અંગે ઝકરબર્ગ ત્રણ દિવસમાં માફી માગે, નહીં તો એક્શન લેવાશેઃ ભારતની મેટાને ચિમકી

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – પીએમ મોદીના વીડિયો અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની સંસદીય સમિતિએ મેટાના CEO ઝકરબર્ગને 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ઝકરબર્ગને કહેવામાં આવ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 23 જુલાઈનો વીડિયો થોડા સમય માટે હટાવવા બદલ માફી માંગે અને આ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે. ‘પીએમ મોદીનો વીડિયો […]

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 05 ઓગસ્ટ 2026: ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે રાજકીય અનામત પૂરી પાડવા અંગે ચર્ચા કરી. સાવંતે આ બાબતે કેન્દ્રના સહયોગની વિનંતી કરી. ડૉ. સાવંતે શાહને 40 સભ્યોની ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે રાજકીય અનામતનો અમલ ઝડપી બનાવવા વિનંતી કરી. […]

2014 પછી દેશના માળખાકીય વિકાસમાં અભૂતપૂર્વ ઉછાળો: આંકડાથી સમજો

અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સનો મોટો હિસ્સો છેલ્લા એક દાયકામાં જ પૂર્ણ થયો નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – ભારતમાં માળખાકીય સુવિધાઓનું નિર્માણ દાયકાઓથી ચાલી રહ્યું છે, પરંતુ કેટલાક દાયકાઓ અન્ય સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વિકાસના સાક્ષી બને છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક મોટો હિસ્સો વર્ષ 2014 પછીના સમયગાળા દરમિયાન તૈયાર થયો છે. […]

RBI: નાણાકીય વર્ષ FY27 માટે GDP ગ્રોથનું અનુમાન વધારીને 6.7 ટકા કરાયું

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૌગોલિક તણાવ વચ્ચે દેશ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય વર્ષ FY27 માટે દેશના આર્થિક વિકાસ દરનું અનુમાન સુધારીને 6.7% જાહેર કર્યું છે, જે અગાઉની બેઠકના 6.6% […]

ચાંચડમાર, બ્લુમિયા લેસેરા નામની આપણા ગુજરાતની વનસ્પતિ એક સુગંધિત ઔષધી છે

વૈદ્ય પારુલ જોષી ગુજરાતીમાં કલાર, ચાંચડમાર, આમધરા, જંગલી મૂળી, શીયાળમૂત્ર, સૂક્ષ્મપત્ર, કાકરોંદા હિન્દીમાં કુર્રોંધ, કુકુરબંદા સંસ્કૃતમાં કુકુંદર અંગ્રેજીમાં લેટુસ લીફ, નોબબ્રશ, લેટીનમાં બ્લુમિયા લેસેરા કૂળ એસ્ટેરેસી, સૂર્યમુખી – નામની આપણા ગુજરાતની વનસ્પતિ એક સુગંધિત ઔષધી છે. એશીયા ખંડમાં ટ્રોપિકલ, સબટ્રોપિકલ પ્રદેશોમાં મોટાભાગે નદીકાંઠે અને ભેજવાળા વાતાવરણમાં જ્યાં પાણી નીતરી જતું હોય, ત્યાં સ્વત ઊગે છે. ઉત્તરપશ્ચિમ […]

ઈથેનોલ પર અચાનક મહા-સંગ્રામ કેમ? મોદી વિરોધની આડમાં ખેડૂતો અને દેશની તિજોરી પર પ્રહાર

હેમંત પરમાર દ્વારા ભારતના માર્ગો પર દોડતા વાહનોમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કંઈ રાતોરાત શરૂ થયેલો નવો અખતરો નથી. દેશમાં વર્ષ ૨૦૦૧થી જ ઈથેનોલ બ્લેન્ડિંગ થઈ રહ્યું છે. પરંતુ અચાનક આજે આ ઈથેનોલ સામે આટલી મોટી મોરચેબંધી અને હોબાળો કેમ મચાવવામાં આવી રહ્યો છે? શું ક્યારેય કોઈ ગાડી ઈથેનોલના મિશ્રણને કારણે ખરાબ થઈ હોવાનું સામે […]

BRICS ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપની બેઠક : ભારતે ભ્રષ્ટાચાર સામે મજબૂત વૈશ્વિક સહયોગ પર ભાર મૂક્યો

નવી દિલ્હી, 4 ઓગસ્ટ 2026: બે દિવસીય બીજી BRICS ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપ (ACWG) ની બેઠક આજે હૈદરાબાદમાં શરૂ થઈ. 4 અને 5 ઓગસ્ટ, 2026ના રોજ યોજાઈ રહેલી આ બેઠકમાં એસેટ રિકવરી પર BRICS નિષ્ણાત નેટવર્કની બીજી બેઠકનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના સચિવ શ્રીમતી રચના શાહ હૈદરાબાદ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન […]

ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

[અલકેશ પટેલ] 4 ઓગસ્ટ, 2026 – ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ આજે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલી કલેક્ટર કચેરીએ એકત્ર થયેલા મોટી સંખ્યામાં સાધુ-સંતો-મહંતોએ સાંસદ પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવેલા સનાતન ધર્મના અપમાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.  રામ મંદિરમાં દાનની રકમની કથિત ચોરીનો […]

મીડિયા સાક્ષરતા અને પત્રકાર પલ્કી શર્માનો વાયરલ વીડિયો, જુઓ શું કહ્યું?

મીડિયા દ્વારા સકારાત્મક માહિતી રજૂ કરવામાં આવે, તો તે સમાજમાં શાંતિ, સદ્ભાવ અને નૈતિકતાને પ્રોત્સાહન આપે છે રિવોઈ ન્યૂઝ, 3 ઓગસ્ટ, 2026 – ભારતમાં વંદાઓના (કોકરોચ જનતા પાર્ટીના) કથિત શિક્ષણ સુધાર આંદોલન અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે ચારે તરફ ચર્ચા છે ત્યારે સુપ્રસિદ્ધ પત્રકાર પલ્કી શર્મા ઉપાધ્યાયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિઓમાં પલ્કી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code