1. Home
  2. revoinews

revoinews

ભાજપે ગુજરાત સહિત રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા

રિવોઈ ન્યૂઝ, 4 જૂન 2026 – ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે આજે ગુરુવારે સાંજે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવરોનાં નામોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે જે ચાર નામ પસંદ કરવામાં આવ્યા છે તેમાં સર્વશ્રી રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર તથા જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંજારિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પક્ષે અરુણાચલ પ્રદેશમાં […]

હવે વિપ્રોમાં ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ, હિન્દુ મહિલાએ નોંધાવી ફરિયાદઃ જુઓ વીડિયો

પુણે (મહારાષ્ટ્ર), 4 જૂન 2026: – નાસિકમાં ટીસીએસ (TCS) અને મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના કર્મચારી સાથે જોડાયેલા કિસ્સાઓ બાદ, હવે પુણેની જાણીતી આઈટી (IT) કંપની વિપ્રો (Wipro) માંથી ‘કોર્પોરેટ જેહાદ’ અને ધાર્મિક ઉત્પીડનનો એક અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે હિંજવડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. […]

આરએસએસ વિરુદ્ધનો વિજયાદશમીની ઉજવણી સંદર્ભે ફોજદારી કેસ હાઈકોર્ટે ફગાવી દીધો

ચેન્નઈ, 4 જૂન 2025: આરએસએસ વિરુદ્ધનો વિજયાદશમીની ઉજવણી સંદર્ભે ફોજદારી કેસ હાઈકોર્ટે ફગાવી દીધો હોવાના મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યો વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી ફોજદારી (ક્રિમિનલ) કાર્યવાહીને સંપૂર્ણપણે રદ્દ કરી દીધી છે. આ સભ્યો સામે તિરૂપત્તુર જિલ્લાના અંબુર ખાતે અગાઉથી મંજૂરી લીધા વિના વિજયાદશમી અને […]

અમેરિકામાં ભારતીય સેનાના મેજર પ્રભાત મિશ્રાનો ડંકો: મિલિટરી ટ્રેનિંગમાં જીત્યા બે પ્રતિષ્ઠિત એવોર્ડ

નવી દિલ્હી, 4 જૂન 2026: ભારતીય સેનાના મેજર પ્રભાત મિશ્રાએ અમેરિકાની પ્રતિષ્ઠિત લશ્કરી તાલીમ સંસ્થામાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ઇતિહાસ રચી દીધો છે. તેમણે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બે પ્રતિષ્ઠિત શૈક્ષણિક પુરસ્કારો પોતાના નામે કર્યા છે. મેજર મિશ્રાની આ અભૂતપૂર્વ સિદ્ધિ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંરક્ષણ સહયોગ અને વૈશ્વિક સ્તરે ભારતીય લશ્કરી અધિકારીઓની […]

ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  

ગાંધીનગર, 4 જૂન 2026 – ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું 3 જૂનને બુધવારના રોજ આયોજન થયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત ૨૨ […]

ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી

વન વિભાગની મહેનત રંગ લાવી, ખારાપાટ અને સૂકા તથા ઉજ્જડ પ્રદેશમાં પણ રોપાઓ એક વર્ષમાં 12 ફૂટ જેટલા ઊંચા થઇ ગયા ધોલેરા, 4 જૂન, 2026 : ધોલેરાના ખારાપાટમાં એક નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી છે. ધોલેરાના એક્ટિવેશન એરિયાના બ્લોક નંબર 29માં વન વિભાગના પ્રયાસોથી આ જાદુ થયો છે અને નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં […]

મહેસાણામાં મેંગો જ્યૂસ માટે સંગ્રહ કરાયેલો સડેલી કેરીનો જથ્થો ઝડપાયો, જુઓ Video

મહેસાણા, 3 જૂન 2026 – મહેસાણામાં મેંગો જ્યૂસ માટે સંગ્રહ કરાયેલો સડેલી કેરીનો જથ્થો ઝડપાયો છે. અન્ન સલામતી અને સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અખાદ્ય કેરીનો મોટો જથ્થો ઝડપાયો હતો. FSSAI દ્વારા તેના X હેન્ડલ ઉપર જારી નિવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાતના અન્ન સલામતી વિભાગના અધિકારીઓએ મેંગો જ્યૂસની એક ફેક્ટરી ઉપર દરોડો […]

Video: અમદાવાદ-રાજકોટમાં 300થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા, પોલીસનું જંગી ઓપરેશન

અમદાવાદ, 3 જૂન 2026: ગુજરાત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે મંગળવાર રાતથી શરૂ કરેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત રાજ્યની પોલીસે અમદાવાદ તેમજ રાજકોટમાંથી 330થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે. સુરત અને વડોદરામાં પણ આ તત્વોની શોધખોળ ચાલુ છે. આ અંગે મળતા અહેવાલ અનુસાર, અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે મોડી […]

ચાર મુસાફરોની એક સરખી ફરિયાદ, એક સરખા ફોટા! વંદે ભારત ટ્રેનને બદનામ કરવાનું કાતવરું

રિવોઈ ન્યૂઝ, 3 જૂન 2026 – શું દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતને બદનામ કરવાનું કોઈ વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે? આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કે, એક રાષ્ટ્રવાદી વ્યક્તિએ એવા ચાર જણની X પોસ્ટનો હવાલો આપીને કહ્યું છે કે, એવું કેવી રીતે બની શકે કે ચાર મુસાફર, ચાર અલગ અલગ […]

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

અમદાવાદ, 2 જૂન 2026 – નિબંધકાર, અનુવાદક, ચરિત્રકાર વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે શહેરમાં ગઈકાલે સોમવારે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થયું હતું. ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સા વિદ્યા’ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમ મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના આયોજક ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આપવામાં આવેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code