1. Home
  2. revoinews

revoinews

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’ તાલીમનું આયોજન

અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ ૧૪ દિવસનું પ્રશિક્ષણ આપશે શહેરના ગાઈ઼ડ માટે ધો. ૧૨ પાસ ફરજીયાત સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત ગાંધીનગર, 18 મે, 2026 – ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડે પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા નાગરિકો માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ  તાલીમબદ્ધ ગાઈડ્સ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક, ઐતિહાસિક, […]

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડિજિટલ ‘સ્વ-ગણતરી’માં જોડાવા કરી અપીલ

અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અભિયાનના બીજા દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું સુરત, 18 મે, 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમવારે ડિજિટલ વસ્તી ગણતરી-2027માં જાતે જોડાયા હતા અને ત્યારબાદ ‘સ્વ-ગણતરી’માં જોડાવા માટે રાજ્યના નાગરિકોને અપીલ કરી છે. દેશના વિકાસના આયોજન […]

કલ્પસર પ્રોજેક્ટને નેધરલેન્ડ્સની ટેક્નોલૉજીની નવી પાંખો મળી

સરદાર સરોવર ડેમ પરની નિર્ભરતા ઓછી થશે, પીવાના પાણી અને સિંચાઈ માટે જળની વ્યાપક ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે ગાંધીનગર, 18 મે, 2026 – કલ્પસર યોજનાને નેધરલેન્ડ્સની ટેક્નોલૉજીની નવી પાંખો મળી છે. વાસ્તવમાં ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે અત્યંત મહત્ત્વની એવી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ડ્રીમ યોજના માટે ઘણા દાયકાથી કામ ચાલી રહ્યું છે પણ હવે એ […]

અધિક માસ : ભારતીય સમયગણના, ખગોળવિજ્ઞાન અને આધ્યાત્મિક ચિંતનની અદભૂત પરંપરા

ભારતીય સંસ્કૃતિમાં સમય માત્ર દિવસો, મહિના અને વર્ષોની ગણતરી માટેનું સાધન નથી, પરંતુ બ્રહ્માંડની ગતિ, પ્રકૃતિના ચક્રો અને માનવચેતનાની આંતરિક સ્થિતિને સમજવાનો એક ઊંડો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રયાસ છે. વિશ્વની અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં સમયગણનાની પદ્ધતિઓ વિકસેલી હતી, પરંતુ ભારતીય પંચાંગ પદ્ધતિએ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ઋતુઓ અને માનવજીવન વચ્ચેના સંબંધને જે રીતે એકત્રિત કર્યો છે તે […]

જીવનઝરૂખો.. આનંદ આમાર ગોત્ર, ઉત્સવ આમાર જાતિ

“આ જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ.” જીવનભર માનવી ખુશીની શોધમાં મથતો રહે છે. સુખ સગવડના બધાં ભૌતિક સાધનો વસાવાઇ ગયા પછી પણ એ ખુશી ક્ષણિક નીવડે છે. થોડા જ સમયમાં મન એ બધાથી ધરાઇ જાય છે અને  ફરી કશુંક નવું શોધવાની ઝંખના ભીતરમાં જાગે છે. કંઇક જોઇએ છે, બધું હોવા છતાં […]

રાજ્યના ચિત્ર કલાકાર અનિલ શાહ ભારત સેવા પુરસ્કાર 2026થી સન્માનિત

અમદાવાદ, 16 મે, 2026 – રાજ્યના ચિત્ર કલાકાર શ્રી અનિલ શાહને બેંગલુરુસ્થિત ભારત સેવા સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સોસાયટી દ્વારા શ્રી અનિલ શાહનું ભારત સેવા પુરસ્કાર-2026થી સન્માન કરાવામાં આવ્યું છે. સન્માનની સાથે સંસ્થા દ્વારા વિસ્તૃત પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે જેમાં કલાકાર તરીકે અનિલભાઈની સિદ્ધિઓની નોંધ લેવામાં આવી છે. આ સન્માન […]

ગુજરાત પોલીસને કોંગ્રેસની ચીમકી, અમને હેરાન ન કરશો નહીં તો…

અમદાવાદ, 16 મે, 2026 – ગુજરાત પોલીસને ગુજરાત કોંગ્રેસે આકરા શબ્દોમાં ચીમકી આપતા કહ્યું છે કે, ભાજપના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરો, નહીં તો કાયદેસર કાર્યવાહી અનિવાર્ય બનશે. ગુજરાત કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે, ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે […]

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી […]

લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! 18 વખત કોના નસીબે સાથ આપ્યો?

રિવોઈ ન્યૂઝ, 16 મે 2026 – લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! નસીબ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, તે કોઈ નથી જાણતું. અમેરિકાના એક વ્યક્તિએ 18 વખત લોટરી જીતીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ, જ્યારે તેને તેના આ શાનદાર નસીબનું રહસ્ય પૂછવામાં આવ્યું, ત્યારે તેણે એવો જવાબ આપ્યો જેણે સોશિયલ મીડિયા પર લાખો […]

ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત

ધાર-મધ્યપ્રદેશ, 16 મે, 2026 – ભોજશાળામાં સનાતન સૂર્યોદય થયો છે. હાઈકોર્ટના ગઈકાલના સ્પષ્ટ ચુકાદા બાદ આજે વૈશાખ વદ અમાસથી હિન્દુઓએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી છે અને તે સાથે આ સ્થળ પરત મેળવવા માટેના સંઘર્ષની 1000 વર્ષની પીડાનો અંત આવ્યો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ભોજશાલામાં આજે સવારથી જ શ્રદ્ધાળુઓ આવવાનો સિલસિલો શરૂ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code