1. Home
  2. revoinews

revoinews

AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 164થી વધુ કોચે લીધી તાલીમ અમદાવાદ, 23 એપ્રિલ 2026 – AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમિંગ પુલ, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિક તથા સ્પોર્ટ્સ સંકુલમાં ફરજ બજાવતા કોચને વિશેષ તાલીમ આપવામાં આવી. આ તમામ માટે “ક્લાઈન્ટ મેનેજમેન્ટ, બિહેવિયરલ એન્ડ સેફટી […]

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી, જાણો શું કહ્યું?

ટ્રમ્પે ભારત અને ચીનને ‘હેલહોલ’ કહેતો માઈકલ સેવેજનો પત્ર શેર કર્યો જન્મસિદ્ધ નાગરિકતા અને પ્રવાસીઓ વિશે કરી વંશીય ટિપ્પણી વૉશિંગ્ટન ડીસી, 23 એપ્રિલ, 2026 – અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી છે. ઈરાન સાથેના યુદ્ધમાં નિર્ણયક પરિણામ નહીં આવતા અને દેશમાં જો તેમના નેતૃત્વના વિરોધનો સામનો કરી રહેલા ટ્રમ્પ હવે અમેરિકી જમણેરી પરિબળોનાં […]

કંથરાવી પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 22 એપ્રિલ, 2026 – ઉત્તર ગુજરાતમાં ઊંઝા નજીક આવેલા કંથરાવી ગામમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ પરિવાર સંસ્થાન તથા સમસ્ત કંથરાવી ગામ પાટીદાર પરિવાર દ્વારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી વૈશાખ સુદ પૂનમથી ત્રણ દિવસ માટે અર્થાત તા. 1-5-2026થી 3-5-2026 દરમિયાન યોજાશે. જે દરમિયાન […]

ગુજરાત યુનિવર્સિટી – ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચેના MoU રિન્યુ કરવામાં આવ્યા

ઓસાકા/અમદાવાદ, 22 એપ્રિલ, 2026 – ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચે સહયોગ માટેના પાંચ દાયકા જૂના MoU રિન્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીએ 22 એપ્રિલ, 2026ના રોજ જાપાનના ઓસાકાની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી સાથેના તેના 56 વર્ષ જૂના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) રિન્યુ કર્યા છે એટલું જ નહીં પરંતુ સમય અનુસાર તેમાં અપગ્રેડેશન […]

લસણમાંથી બનાવો આ 4 ચટાકેદાર વાનગીઓ, જાણો રેસીપી

ભારતીય રસોડામાં લસણ વિના રસોઈ અધૂરી માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે શાક કે દાળના વઘારમાં લસણનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે લસણ પોતે એક મુખ્ય ઘટક તરીકે અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં ઉપયોગી થઈ શકે છે? લસણ માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. આજે અમે તમને […]

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ખાતે આદિગુરુ શંકરાચાર્યજીના 1238મા જન્મોત્સવની ઉજવણી

સમાજ નિંદાની દરકાર વીના પુત્ર અને સંન્યાસી બંને જવાબદારી નિભાવવાની શક્તિનું ઉદાહરણ એટલે શંકરાચાર્ય ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ખાતે આદિગુરુ શંકરાચાર્યજીના 1238મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સના સંસ્કૃત વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીની ઋષ્મિતા પરમાર દ્વારા નિર્વાણ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફિક્કીના 100 વર્ષની ઉજવણીનો અમદાવાદમાં પ્રારંભ

[અલકેશ પટેલ] 21 એપ્રિલ, 2026 – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ […]

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: વૈશ્વિક અસ્થિરતાની અસર

મુંબઈ, 21 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા અને મજબૂત થતા ડોલરના કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે શરૂઆતી સત્રમાં બંને કિંમતી ધાતુઓ 0.68 ટકા સુધી ગગડી હતી, જેના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર આજે સવારે સોના […]

દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટ વિરુદ્ધ આક્રોશ, બાહોશ હિન્દુઓ શું કરી રહ્યા છે, જુઓ VIDEO

રિવોઈ ન્યૂઝ, 20 એપ્રિલ, 2026 – દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટની ચશ્માની દુકાનો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક બાહોશ હિન્દુઓ અને સનાતનમાં શ્રદ્ધા રાખતા મુસ્લિમો પણ લેન્સકાર્ટની દુકાનોમાં જઈને હિન્દુ કર્મચારીઓને તિલક લગાવીને તેમને હિંમત આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ #બૉયકોટલેન્સકાર્ટ પણ સમગ્ર દેશમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. નાઝિયા એલાહી ખાન નામે એક સનાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code