1. Home
  2. revoinews

revoinews

GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન

અમદાવાદ, 15 મે, 2026 – GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન થયું હતું. આજે યોજાયેલી આ ભવ્ય સમિટના ઉદઘાટન સત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની (IAS), iFOREST ના પ્રેસિડેન્ટ અને CEO શ્રી ચંદ્ર ભૂષણ, તેમજ અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી પુનિત લાલભાઈ સહિત ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ચેમ્બર […]

સંગ્રહિત અનાજમાં જીવાત નિયંત્રણ માટે હર્બલ સીડ કોટિંગ ટેક્નોલોજીઃ ICAR-DMAPRને પેટન્ટ પ્રાપ્ત

 ગાંધીનગર, 15 મે, 2026 – ભાકૃઅનુપ-ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય, ગુજરાતે પર્યાવરણને અનુકૂળ રીતે સંગ્રહિત અનાજ અને બીજને જંતુના ઉપદ્રવથી બચાવવાના હેતુથી નવીન હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. “જૈવસક્રિય વનસ્પતિ આધારિત બીજ આવરણ સંયોજન અને તેની તૈયાર કરવાની પદ્ધતિ” શીર્ષક ધરાવતી આ શોધ (પેટન્ટ નં. 58801) ને 30 એપ્રિલ, 2026ના રોજ […]

મીડિયા શિક્ષણ ક્ષેત્રે NIMCJનો નૂતન અભિગમ: AI અને ડિજિટલ જર્નાલિઝમનો સમન્વય થશે

અમદાવાદ, 15 મે, 2026: અમદાવાદસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) તેના મીડિયા શિક્ષણના અભ્યાસક્રમમાં નૂતન ફેરફારોની શરૂઆત કરી છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન જેવાં ક્ષેત્રોમાં થઈ રહેલાં નવાં સંશોધનોને પગલે વિશ્વ ડિજિટલ અને ટેકનોલોજી આધારિત બની રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં લઈને આ નૂતન ફેરફાર કરવામાં આવી રહ્યા […]

NEET પેપર લીકઃ સુપ્રીમકોર્ટના નિરીક્ષણ હેઠળ વિસ્તૃત તપાસની કોંગ્રેસ પક્ષની માંગ

પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલીક હસ્તક્ષેપ અને વ્યવસ્થાગત સુધારાની અપીલ કરતા કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ, 15 મે, 2026 – NEET-UG માં પેપર લીક થવાથી દેશના ૨૨ લાખ મેધાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. આ હવે માત્ર “પરીક્ષાની સમસ્યા” નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય આપત્તિ છે જેણે ડોક્ટર્સની આખી પેઢીના સપનાઓને […]

મુંબઈમાં રવિવારે યોજાશે સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શન-કૌશલ્ય વિકાસ સેમિનાર

મુંબઈ, 15 મે, 2026 – મુંબઈમાં રવિવારે, 17મી મેએ સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શન-કૌશલ્ય વિકાસ સેમિનારનું આયોજન થયું છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ અને તેમની સાથે વાલીઓ પણ કારકિર્દીની પસંદગી માટે મુંઝવણ અનુભવતા હોય છે. એ સંજોગોમાં ક્યારેક સરકારી પ્રયાસોથી તો ક્યારેક ખાનગી પ્રયાસોથી વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન આપવા માટે પ્રયાસ કરવામાં આવે છે. આવો જ […]

રસોઈ ગેસ બાબતે 1000 આદિવાસી પરિવારો હવે આત્મનિર્ભર બન્યા

એકતાનગર, 14 મે, 2026 – રસોઈ ગેસ બાબતે 1000 આદિવાસી પરિવારો હવે આત્મનિર્ભર બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ચૂક્યા […]

લોટરી કિંગની તિજોરી અને ચર્ચના આશીર્વાદ: સી. જોસેફ વિજયના રાજકીય નાટક પાછળનો અસલી ખેલ

હેમંત પરમાર દ્વારા દક્ષિણ ભારતના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી એક મોટો અને સુનિયોજિત ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે. રૂપેરી પડદા પર ગરીબોનો બેલી અને ખલનાયકોના કાળ તરીકે જાણીતા સુપરસ્ટાર અભિનેતા સી. જોસેફ વિજય હવે રિયલ લાઈફમાં રાજકીય મંચ પર એક તારણહાર બનીને ઉતરી ચૂક્યો છે. શહેરભરમાં લાગેલા મોટા મોટા પોસ્ટરો અને બેનરોમાં તેમને ગરીબોના […]

કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 14 મે 2026 – કાશ્મીરનો મુદ્દો હોય કે પછી નક્સલવાદનો, આતંકવાદની વાત હોય કે પછી લવ જેહાદની, સીએએની ચર્ચા હોય કે પછી એનઆરસીની, ઇતિહાસની વાત હોય કે પછી હિન્દુ મંદિરોના વિધ્વંસની—આ દેશમાં હંમેશાં એક એવો નૅરેટિવ હાવી રહ્યો છે જે વાસ્તવિકતાથી સદંતર વિરુદ્ધ હોય છે. અને કમનસીબે મોટાભાગના સામાન્ય નાગરિકો આ […]

લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે યુવક બાઈક સાથે મેશ્વો ડેમમાં ગરકાવ

હેમંત પરમાર, અરવલ્લી. 14 મે, 2026 – લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે યુવક બાઈક સાથે મેશ્વો ડેમમાં ગરકાવ થતાં બંનેએ જીવ ગુમાવ્યા છે. ઘટના અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકની છે જ્યાં મેશ્વો ડેમ વિસ્તારમાં સર્જાયેલા કરુણ અકસ્માતે સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે. લગ્નની કંકોત્રી આપવા નીકળેલા ત્રણ યુવકોમાંથી બે યુવકોના ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા […]

પ્રધાનમંત્રીના ૭-મુદ્દાના રાષ્ટ્રીય આહ્વાનને જીસીસીઆઈ દ્વારા સંપૂર્ણ સમર્થન

અમદાવાદ, 13 મે, 2026 – પ્રધાનમંત્રીના ૭-મુદ્દાના રાષ્ટ્રીય આહ્વાનને જીસીસીઆઈ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેશની સ્થિરતા અને પ્રગતિ માટે વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેને ગુજરાતના ઉદ્યોગજગતનો પૂર્ણ ટેકો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારતની આર્થિક સ્થિરતા, આત્મનિર્ભરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code