1. Home
  2. revoinews

revoinews

કે. અન્નામલાઈએ તમિળનાડુનાં પરિણામ અંગે કયા શબ્દોમાં પ્રતિભાવ આપ્યો? જાણો

ચેન્નઈ, 4 મે, 2026 – તમિળનાડુનાં પરિણામ અંગે કે. અન્નામલાઈએ વિશિષ્ટ રીતે પ્રતિભાવ આપ્યો છે. દક્ષિણના આ મહત્ત્વના રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા કે. અન્નામલાઈએ તેમની X પોસ્ટ દ્વારા ખૂબ સમજદારીભર્યું અને સંતુલિત વિશ્લેષણ કર્યું છે. તમિલનાડુમાં ભાજપના આ ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, રાજ્યમાં જે પરિવર્તન થયું છે તે સૌથી આવકારદાયક બાબત છે. કે. અન્નામલાઈની […]

ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ “રસગુલ્લા” સાથે બંગાળ વિજયને વધાવ્યો

ગાંધીનગર, 4 મે, 2026 – ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ આજે પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ રસગુલ્લા એકબીજાને ખવડાવીને હરખ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવવાના શરૂ થયા હતા. આ પાંચ પૈકી ત્રણ રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએની જીત થઈ રહી […]

Video: હાવડા બ્રિજ ઉપર જય જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે હજારો લોકો ઊમટી પડ્યા

કોલકાતા, 4 મે, 2026 – પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. દરમિયાન બંગાળમાં સત્તા પરિવર્તન થયું છે તેનો આનંદ રાજ્યના લોકોમાં એ હદે દેખાઈ રહ્યો છે કે સામાન્ય લોકો અલગ અલગ જગ્યાએ એકત્ર થઈને ઉજવણી કરી રહ્યા છે. આવી જ એક ઉજવણીનો વીડિયો કોલકાતાના જગવિખ્યાત હાવડા બ્રિજનો આવ્યો છે. […]

આતંકી હુમલા અને ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે શું કહ્યું?

[અલકેશ પટેલ] સુરત, 4 મે, 2026 – આતંકી હુમલા થાય ત્યારે ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ થવા લાગે છે, પરંતુ આ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે જણાવ્યું છે કે, નિષ્ફળતાનો નૅરેટિવ ઝડપથી ફેલાવવામાં આવે છે, પરંતુ તેની સામે સફળતાની ટકાવારી વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. શ્રી સૂદ 3 મેને રવિવારે સુરતમાં યોજાયેલા તેમના પુસ્તક વિમોચનના […]

પ્રખ્યાત ગીતકાર શ્રી પ્રસૂન જોશી પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત

નવી દિલ્હી, 2 મે, 2026 – પ્રખ્યાત ગીતકાર અને સંચાર નિષ્ણાત શ્રી પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાણીતા ગીતકાર, લેખક અને સંચાર નિષ્ણાતની ભારતના જાહેર સેવા પ્રસારણકર્તા પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. શ્રી જોશી સાહિત્ય, જાહેરાત, સિનેમા અને જાહેર સંચારમાં વ્યાપક યોગદાન આપનારા એક […]

રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં મરામત કામગીરીથી પાણી પુરવઠા પર અસર

અમદાવાદ, 2 મે 2026: રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં મરામત કામગીરીથી પાણી પુરવઠા પર અસર તેમ મહાપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગેની યાદીમાં જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરું પાડતી શેઢી કેનાલમાં સિંચાઈ વિભાગ […]

ધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ, GUJCET-26 સહિતનાં પરિણામોની તારીખ જાહેરઃ જાણો ક્યાં ક્યારે જોઈ શકશો?

ગાંધીનગર, 2 મે, 2026 – ધો. 12 વિજ્ઞાન -સામાન્ય પ્રવાહ, GUJCET-26 સહિતનાં પરિણામોની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી સત્તાવાર અખબારી યાદી અનુસાર, ફેબ્રુઆરી-માર્ચ 2026 માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા- ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા

રિવોઈ ન્યૂઝ, 2 મે, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યે ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન અને હારેલા ઉમેદવારોને આશ્વાસનની પરંપરાગત વિધિ પણ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. દરેક ચૂંટણી અને દરેક પરિણામ કેટલીક અસરો છોડી જતી હોય છે જેની ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાક એવાં વ્યક્તિત્વ અને પાત્રો […]

સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને સંવાદનું આયોજન

સુરત, 2 મે, 2026 – સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને નાગરિકો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. Great Power Games: From Western Decline to Eastern Ascent એ શ્રી સૂદનું ત્રીજું પુસ્તક છે. અગાઉ તેઓ ‘The Unending Game – Insights into Espionage’, ‘The Ultimate Goal’ એ બે પુસ્તક લખી ચૂક્યા છે. […]

આશુતોષ ગોવારીકરની ભારતની 57મી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક

મુંબઈ, 1 મે 2026: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગોવા ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની 57મી આવૃત્તિ માટે જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકરની ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ગોવારીકર ભારતીય સિનેમામાં પ્રતિષ્ઠિત યોગદાન આપનારા ખ્યાતનામ ફિલ્મ નિર્માતા છે. IFFI સાથે તેમનો સંબંધ અનેક દાયકાઓથી છે, જે સિનેમેટિક કલાના ઉત્ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંસ્કૃતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code