1. Home
  2. revoinews

revoinews

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિમાં

અમદાવાદ, 27 એપ્રિલ, 2026 – બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિમાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે, અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત (આશરે 118 ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતા 36 મીટર ઊંચા પુલનું બાંધકામ સતત આગળ વધી રહ્યું છે. 480 મીટર લાંબો આ પુલ […]

સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે

ગાંધીનગર, 27 એપ્રિલ, 2026: સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે. આજે આ અંગે મળતી સત્તાવાર માહિતી અનુસાર,  ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે, જે ગુજરાત સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. […]

અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો

ગાંધીનગર, 25 એપ્રિલ, 2026 – અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે તે જાણવા અનેક નાગરિકો ઉત્સુક હશે. ત્યારે મળતી સત્તાવાર માહિતી અનુસાર શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારે નીચેની […]

One Turn at a Time પુસ્તક જીવનના ટ્વિસ્ટ અને ટર્નમાં શું પ્રેરણા આપે છે?

[અલકેશ પટેલ] અમદાવાદ, 25 એપ્રિલ, 2026 – સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, જો તમારા જીવનમાં બધું સરળ છે અને ક્યાંય કોઈ મુશ્કેલી નથી તો એટલું સમજી લેજો કે તમે ખોટા રસ્તે છો. સ્વામીજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જીવન કદી મુશ્કેલી કે અવરોધ વિનાનું હોઈ ન શકે. મુશ્કેલી અને અવરોધ જ તમને જીવનમાં ઊર્ધ્વ ગતિ કરવાની […]

AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 164થી વધુ કોચે લીધી તાલીમ અમદાવાદ, 23 એપ્રિલ 2026 – AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમિંગ પુલ, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિક તથા સ્પોર્ટ્સ સંકુલમાં ફરજ બજાવતા કોચને વિશેષ તાલીમ આપવામાં આવી. આ તમામ માટે “ક્લાઈન્ટ મેનેજમેન્ટ, બિહેવિયરલ એન્ડ સેફટી […]

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી, જાણો શું કહ્યું?

ટ્રમ્પે ભારત અને ચીનને ‘હેલહોલ’ કહેતો માઈકલ સેવેજનો પત્ર શેર કર્યો જન્મસિદ્ધ નાગરિકતા અને પ્રવાસીઓ વિશે કરી વંશીય ટિપ્પણી વૉશિંગ્ટન ડીસી, 23 એપ્રિલ, 2026 – અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી છે. ઈરાન સાથેના યુદ્ધમાં નિર્ણયક પરિણામ નહીં આવતા અને દેશમાં જો તેમના નેતૃત્વના વિરોધનો સામનો કરી રહેલા ટ્રમ્પ હવે અમેરિકી જમણેરી પરિબળોનાં […]

કંથરાવી પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 22 એપ્રિલ, 2026 – ઉત્તર ગુજરાતમાં ઊંઝા નજીક આવેલા કંથરાવી ગામમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ પરિવાર સંસ્થાન તથા સમસ્ત કંથરાવી ગામ પાટીદાર પરિવાર દ્વારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી વૈશાખ સુદ પૂનમથી ત્રણ દિવસ માટે અર્થાત તા. 1-5-2026થી 3-5-2026 દરમિયાન યોજાશે. જે દરમિયાન […]

ગુજરાત યુનિવર્સિટી – ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચેના MoU રિન્યુ કરવામાં આવ્યા

ઓસાકા/અમદાવાદ, 22 એપ્રિલ, 2026 – ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચે સહયોગ માટેના પાંચ દાયકા જૂના MoU રિન્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીએ 22 એપ્રિલ, 2026ના રોજ જાપાનના ઓસાકાની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી સાથેના તેના 56 વર્ષ જૂના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) રિન્યુ કર્યા છે એટલું જ નહીં પરંતુ સમય અનુસાર તેમાં અપગ્રેડેશન […]

લસણમાંથી બનાવો આ 4 ચટાકેદાર વાનગીઓ, જાણો રેસીપી

ભારતીય રસોડામાં લસણ વિના રસોઈ અધૂરી માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે શાક કે દાળના વઘારમાં લસણનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે લસણ પોતે એક મુખ્ય ઘટક તરીકે અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં ઉપયોગી થઈ શકે છે? લસણ માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. આજે અમે તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code