1. Home
  2. revoinews

revoinews

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

અમદાવાદ, 2 જૂન 2026 – નિબંધકાર, અનુવાદક, ચરિત્રકાર વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે શહેરમાં ગઈકાલે સોમવારે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થયું હતું. ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સા વિદ્યા’ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમ મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના આયોજક ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આપવામાં આવેલી […]

અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાનો ગણગણાટ

નવી દિલ્હી, 2 જૂન 2026: અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમણે પક્ષ પ્રમુખ નીતિન નવીનને ના-રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા અહેવાલ અનુસાર પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી અન્નામલાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા હતા. જોકે, સાંજે છ વાગ્યા સુધી આ વાતોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજીનામા વિશે સત્તાવાર સમર્થનની રાહ જોવાઈ રહી […]

AMCની પહેલ: બ્રિજ નીચે ઊભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ વીડિયો

આગામી સમયમાં અમદાવાદના 9 બ્રિજ નીચે બનશે ‘સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ’ અમદાવાદ, 2 જૂન 2026: અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની “સ્પોર્ટ્સ સિટી” તરીકે વિકસાવવાના મહત્ત્વાકાંક્ષી વિઝન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં બ્રિજ નીચેની બિનઉપયોગી જગ્યાઓને આધુનિક “સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ”માં પરિવર્તિત કરવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત નથી, પરંતુ “ફિટ અમદાવાદ […]

શું TMCના નેતાઓ કટમની નાગરિકોને પરત કરી રહ્યા છે? પત્રકારોએ શૅર કર્યા વીડિયો, જુઓ

રિવોઈ ન્યૂઝ, 2 જૂન 2026 – શું TMCના નેતાઓ કટમની નાગરિકોને પરત કરી રહ્યા છે? પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ જે પરિણામ આવ્યું તેનાથી એ રાજ્ય સહિત દેશના અનેક લોકો જાણે રાહત અનુભવતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને તેમાં પત્રકારો પણ બાકાત નથી. વર્ષો સુધી કરેલા પત્રકારત્વ દરમિયાન દેશના કેટલાક ટોચના પત્રકારોએ […]

મધ્ય પ્રદેશમાં 53 સગર્ભા મહિલાઓના મોત મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે લીધી ગંભીર નોંધ

નવી દિલ્હી, 2 જૂન 2026: મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને જાગૃતિના અભાવે મોટા પાયે થઈ રહેલા સગર્ભા માતાઓના મોતના મામલાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. એપ્રિલ 2025 થી માર્ચ 2026 વચ્ચેના એક જ વર્ષના ગાળામાં ડિલિવરી પહેલા અને પછી અંદાજે 53 સગર્ભા મહિલાઓના કરુણ મોત નીપજ્યા હોવાના […]

ડ્રગ કિંગપિન સલીમ ડોલા સામે EDની કાર્યવાહી: મુંબઈ, સુરત અને રાજકોટ સહિત 20 ઠેકાણે એકસાથે દરોડા

મુંબઈ, 2 જૂન 2026: મુંબઈના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના ગેરકાયદેસર સામ્રાજ્ય સામે પ્રવર્તન નિદેશાલય દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ તુર્કીથી ભારત પ્રત્યાર્પણ કરીને લાવવામાં આવ્યા બાદ, હવે સલીમ ડોલાના સમગ્ર ડ્રગ્સ અને મની લોન્ડરિંગ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એજન્સી એક્શન મોડમાં આવી ગઈ છે. EDની […]

આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ: ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ

આણંદ, 2 જૂન, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ પ્રાપ્ત થયો છે. એ દ્વારા ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ પ્રાપ્ત થયું હોવાનું કૃષિ યુનિવર્સિટી દ્વારા જારી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાતની અગ્રણી અને પ્રતિષ્ઠિત કૃષિ યુનિવર્સિટી એવી આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU), આણંદે IIRF (International Institutional Ranking Framework) India Ranking 2026 દ્વારા […]

પોક્સો કાયદાના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, 10 થી વધુ ખોટા કેસ રદ કરાયાં

નવી દિલ્હી, 1 મે 2026: લગ્ન અને અન્ય વ્યક્તિગત વિવાદોમાં ફાયદો મેળવવા અથવા સામા પક્ષને હેરાન કરવા માટે ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ’ એક્ટ હેઠળ નોંધાતા ખોટા અને પાયાવિહોણા કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે ભારે ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી છે કે, ફોજદારી કાયદાનો આવો ગંભીર દુરુપયોગ નિર્દોષ લોકોને ભારે […]

સુપ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન

મુંબઈ, 1 જૂન 2026: સુપ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે રવિવારે 89 વર્ષની વયે નિધન થયું હતું. બોલિવૂડના અન્ય એક દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની વિદાયના થોડા અઠવાડિયા બાદ જ સંગીત જગતમાંથી વધુ એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. દેશના જાણીતા પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે અવસાન થયું છે. એક જમાનામાં લતા મંગેશકરની હરોળમાં ગણાતા ગાયિકા […]

પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો, 15 કોર્પોરેટરોના રાજીનામાં

પ્રાંતિજ, 1 જૂન, 2026 –  પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાં આપી દીધાં છે. સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની અંદર મોટો ભડકો સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે ભાજપના 15 કોર્પોરેટરોએ ખુલ્લો બળવો કર્યો છે, જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code