1. Home
  2. revoinews

revoinews

Video: બાંગ્લાદેશમાં હજારો હિન્દુ રસ્તા પર ઉતર્યા, ઢાકાના માર્ગો પર જય શ્રીરામના નારા

ઢાકા, 20 જૂન, 2026 – બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓએ મોટા પાયે પ્રદર્શન કર્યા હતા. ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાના વિરોધમાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા તેમની તસવીરનું અપમાન કરવા બદલ વ્યાપક વિરોધ પ્રદર્શન યોજાયા હતા. હજારો હિન્દુઓએ ઢાકામાં મશાલ સરઘસ કાઢ્યું અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ભગવાન રામનું અપમાન કરનારાઓની ધરપકડ કરવાની માંગ […]

ગુજરાતના સૌપ્રથમ રજિસ્ટર્ડ હેરિટેજ અને કલ્ચર સમાચારપત્ર ‘અતુલ્ય વારસો’નું વિમોચન

ગાંધીનગર, 20 જૂન, 2026: ગુજરાતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે, ‘અતુલ્ય વારસો’ સમાચારપત્રની પ્રથમ ડિજિટલ અને પ્રિન્ટ (હાર્ડકોપી) આવૃત્તિનું તાજેતરમાં જ સત્તાવાર વિમોચન કરવામાં આવ્યું છે. ઇતિહાસ, વારસો, સંસ્કૃતિ, પ્રવાસન, પર્યાવરણ, પુરાતત્વ અને કલાને સમર્પિત આ ગુજરાતનું એકમાત્ર રજિસ્ટર્ડ પ્રકાશન છે. આ પ્રથમ અંકની ડિજિટલ તેમજ હાર્ડકોપી બંને આવૃત્તિઓનું વિમોચન […]

૨૧ જૂન: યોગથી વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ, પરંતુ શું આપણે પોતે તેનો લાભ લઈ રહ્યા છીએ?

હેમંત પરમાર દ્વારા ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવે છે. આજે યોગ માત્ર ભારતની પરંપરા કે આધ્યાત્મિક સાધના પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ વિશ્વના કરોડો લોકોના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. શરીર, મન અને આત્માના સંતુલન માટે યોગને સર્વોત્તમ માર્ગ માનવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આખરે […]

આ અનોખા સેવાયજ્ઞ વિશે જાણશો તો તમે પણ કહેશો…વાહ!

નિરુપાબેન શાહે ઉપાડેલો સેવાયજ્ઞ વિશિષ્ટ નહીં, અસાધારણ છે; સમાજની આવી સેવા કરવા માટે તમે કંઈક નોખી માટીના બનેલા હોવા જોઈએ [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ એક્સક્લુઝિવ, 20 જૂન, 2026 “જુઓ સાહેબ આ બરાબર સફાઈ નથી કરતી… આજે તો…” – નિરાંત ઘરમાં દાખલ થયો તે સાથે જ એક અસ્તવ્યસ્ત માડીએ મને જોઈને ત્યાં કામ કરતા સેવક બહેન […]

ગુજરાત સાયન્સ સિટીમાં “યોગ ફૉર હેલ્ધી એજિંગ” થીમ આધારિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

અમદાવાદ, તા. 19 જૂન, 2026: ગુજરાત સાયન્સ સિટી દ્વારા આગામી 21 જૂન, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 6:30 વાગ્યે ગુજરાત સાયન્સ સિટીના નેચર પાર્ક ખાતે યોજાશે. આ વર્ષની વૈશ્વિક થીમ “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વયવૃદ્ધિ માટે યોગ) રાખવામાં આવી છે, જે જીવનના દરેક તબક્કે શારીરિક, માનસિક […]

વાયરલ ઓડિયો બાદ શિક્ષિકાએ વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી

હવે કાર્યવાહી કોના સામે થશે? ઉઠ્યા નવા સવાલો હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં વાયરલ થયેલા શિક્ષિકા અને શિક્ષકના કથિત વાર્તાલાપના વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. હવે આ સમગ્ર મામલામાં એક નવો વળાંક આવ્યો છે. વાયરલ ઓડિયોમાં સંકળાયેલા હોવાનું કહેવાતા શિક્ષિકાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે અનેક મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ આપી છે. શિક્ષિકાના જણાવ્યા […]

અરવલ્લીના વાયરલ ઓડિયોમાં કોણ છે સાચું, કોણ છે સંડોવાયેલું? લાખોની લેવડદેવડની ચર્ચાએ ઉઠાવ્યા અનેક સવાલો

હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં એક શિક્ષિકા અને એક શિક્ષક વચ્ચે થયેલા કથિત વાર્તાલાપનો વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા સંવાદમાં જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે જોડાયેલા કેટલાક નામોનો ઉલ્લેખ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. વાયરલ વાર્તાલાપમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વરુણ પટેલનું નામ લેવામાં […]

ડીકોડિંગ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2026 વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદ, 19 જૂન, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ડેલોઈટ ઈન્ડિયાના સહયોગથી 18 જૂનને ગુરુવારે GCCI ભવન ખાતે “ડીકોડિંગ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ૨૦૨૬” શીર્ષક હેઠળ એક ઉચ્ચ સ્તરીય સંવાદાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યની નવી જાહેર કરાયેલી ઔદ્યોગિક નીતિ અંગેની વહીવટી માહિતી પર વિસ્તૃત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું […]

રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ ટ્રેન મારફત નવસારી પહોંચશે

ગાંધીનગર, 18 જૂન, 2026 – કરકસરની વડાપ્રધાનની અપીલની આજે રાજ્યમાં એક વિશિષ્ટ અસર જોવા મળી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ભાજપ અધ્યક્ષ એક સાથે ટ્રેનમાં નવસારી જવા રવાના થયા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમદાવાદથી નવસારી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. આ […]

શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે?

હેમંત પરમાર દ્વારા શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે? સ્વાભાવિક છે જ્યારે આતંકના ગુનેગારોને સુધારાના નામે મુક્ત કરવામાં આવે છે અને અન્ય કેદીઓ માટે પિતૃશોકનું કારણ પણ પેરોલ મેળવવા માટે નાનું પડે છે, ત્યારે ન્યાયના ત્રાજવા પર સવાલો ઉઠે. તાજેતરમાં જ મધ્યપ્રદેશની નર્મદાપુરમ અદાલતમાંથી એક મોટો ચુકાદો આવ્યો છે. ફર્સ્ટ એડિશનલ સેસન્સ જજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code