1. Home
  2. revoinews

revoinews

ભાજપે પશ્ચિમ બંગાળ વિજય બાદ નવો Video જારી કર્યો, જુઓ

  કોલકાતા, 6 મે, 2026 – ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભવ્ય વિજયના બે જ દિવસમાં વિજયને લગતો વીડિયો જારી કરી દીધો છે. બંગાળી ભાષાના આ વીડિયોમાં ચૂંટણી પ્રચાર અને પરિણામ બાદનાં દૃશ્યોને સાંકળી લેવામાં આવ્યા છે. પક્ષે જય મહાકાળી અને જય શ્રીરામના સૂત્રોચ્ચારો પણ વીડિયોમાં પ્રમુખ રીતે મૂક્યા છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત […]

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને એલએનસીટી યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત

રાજ્યસભાના સાંસદ અને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રાજીવ શુક્લા, સાંસદ અને સિનેમેટિક આઈકોન રવિકિશન, ફિલ્મ નિર્દેશક મુકેશ છાબરા, એસ.એ.જી.ઈ યુનિ.ભોપાલના કુલપતિ સંજીવ અગ્રવાલને પણ  માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત નડિયાદ, 6 મે, 2026 – ખેડાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ભોપાલસ્થિત એલએનસીટી યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. દેવુસિંહ ઉપરાંત આ પદવીદાન સમારંભમાં સાંસદો […]

ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં 1.30% વધારે

ગાંધીનગર, 6 મે, 2026 – ધોરણ 10 બોર્ડનું પરિણામ આજે બુધવારે જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધો. 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં 1.30% વધારે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 83.86% વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરીક્ષામાં […]

સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતા વધારવા માટે UIDAI અને NFSU વચ્ચે સમજૂતી

સાયબર સિક્યોરિટી ઓડિટ, ફોરેન્સિક સંશોધન અને ક્ષમતા નિર્માણ સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ નવી દિલ્હી, 5 મે, 2026 – સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતા વધારવા માટે UIDAI અને NFSU વચ્ચે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) એ ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સિક્યોરિટી અને […]

અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણનો અચાનક પલટો, વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

હેમંત પરમાર, અરવલ્લી 5 મે, 2026 – અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના અંતિમ પ્રહર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું અને ઠંડકભર્યો પવન ફૂંકાતા વાતાવરણમાં બદલાવ સ્પષ્ટ અનુભવાયો હતો. સવાર પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી થોડોક વધુ વરસાદ વરસતાં લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, […]

કે. અન્નામલાઈએ તમિળનાડુનાં પરિણામ અંગે કયા શબ્દોમાં પ્રતિભાવ આપ્યો? જાણો

ચેન્નઈ, 4 મે, 2026 – તમિળનાડુનાં પરિણામ અંગે કે. અન્નામલાઈએ વિશિષ્ટ રીતે પ્રતિભાવ આપ્યો છે. દક્ષિણના આ મહત્ત્વના રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા કે. અન્નામલાઈએ તેમની X પોસ્ટ દ્વારા ખૂબ સમજદારીભર્યું અને સંતુલિત વિશ્લેષણ કર્યું છે. તમિલનાડુમાં ભાજપના આ ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, રાજ્યમાં જે પરિવર્તન થયું છે તે સૌથી આવકારદાયક બાબત છે. કે. અન્નામલાઈની […]

ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ “રસગુલ્લા” સાથે બંગાળ વિજયને વધાવ્યો

ગાંધીનગર, 4 મે, 2026 – ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ આજે પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ રસગુલ્લા એકબીજાને ખવડાવીને હરખ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવવાના શરૂ થયા હતા. આ પાંચ પૈકી ત્રણ રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએની જીત થઈ રહી […]

Video: હાવડા બ્રિજ ઉપર જય જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે હજારો લોકો ઊમટી પડ્યા

કોલકાતા, 4 મે, 2026 – પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. દરમિયાન બંગાળમાં સત્તા પરિવર્તન થયું છે તેનો આનંદ રાજ્યના લોકોમાં એ હદે દેખાઈ રહ્યો છે કે સામાન્ય લોકો અલગ અલગ જગ્યાએ એકત્ર થઈને ઉજવણી કરી રહ્યા છે. આવી જ એક ઉજવણીનો વીડિયો કોલકાતાના જગવિખ્યાત હાવડા બ્રિજનો આવ્યો છે. […]

આતંકી હુમલા અને ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે શું કહ્યું?

[અલકેશ પટેલ] સુરત, 4 મે, 2026 – આતંકી હુમલા થાય ત્યારે ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ થવા લાગે છે, પરંતુ આ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે જણાવ્યું છે કે, નિષ્ફળતાનો નૅરેટિવ ઝડપથી ફેલાવવામાં આવે છે, પરંતુ તેની સામે સફળતાની ટકાવારી વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. શ્રી સૂદ 3 મેને રવિવારે સુરતમાં યોજાયેલા તેમના પુસ્તક વિમોચનના […]

પ્રખ્યાત ગીતકાર શ્રી પ્રસૂન જોશી પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત

નવી દિલ્હી, 2 મે, 2026 – પ્રખ્યાત ગીતકાર અને સંચાર નિષ્ણાત શ્રી પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાણીતા ગીતકાર, લેખક અને સંચાર નિષ્ણાતની ભારતના જાહેર સેવા પ્રસારણકર્તા પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. શ્રી જોશી સાહિત્ય, જાહેરાત, સિનેમા અને જાહેર સંચારમાં વ્યાપક યોગદાન આપનારા એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code