1. Home
  2. revoinews

revoinews

હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્યસિંહે રડતા-રડતા આપ્યું રાજીનામું, સીએમ સક્ખૂ પર લગાવ્યા આરોપ

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામોએ જ્યાં સૌને ચોંકાવ્યા છે, તો હવે રાજકારણ અલગ જ દિશામાં આગળ વધી ચુક્યું છે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં બે ભાગમાં વહેંચાતી દેખાય રહી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પણ મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સૂક્ખૂ સામે મોરચો ખોલી નાખ્યો છે. હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સક્ખૂ સરકારમાં કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે […]

બિહારમાં મની લોન્ડરિંગ કેસમાં RJD ધારાસભ્ય કિરણ દેવી સામે EDની કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા

પટણાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે બિહારના ભોજપુર જિલ્લા મુખ્યાલય આરામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ધારાસભ્ય કિરણ દેવી સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ કર્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે, ગેરકાયદે રેતી ખનન કેસમાં કિરણ દેવી અને તેના પતિ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ યાદવની કથિત સંડોવણી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં […]

કચ્છની દરિયાઈ સીમા ઉપર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા ATSની ચાંપતી નજરઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના જથ્થાને પકડવા લેવાયેલ પગલા અંગેના પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો તેમજ દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ‘પકડાતા ‘નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી ‘પકડવા’માં આવે છે. કચ્છની દરિયાઈ સીમા ઉપર ગુજરાત પોલીસ એ.ટી.એસ. ટીમ સતત રાત દિવસ કામગીરી કરી રહી છે.  મંત્રીએ […]

આઝાદ ભારતની બીજી ભૂલ :1989માં રાજીવ ગાંધીએ કરેલી રાજકીય ભૂલની કિંમત 2024માં કૉંગ્રેસ ફરીવાર ચુકવશે!

નવી દિલ્હી:  1984ની લોકસભાની ચૂંટણીમાં 414 બેઠકો જીતનારી કોંગ્રેસ 1989ના ઈલેક્શનમાં 197 બેઠકોમાં સમેટાય ગઈ હતી. પરંતુ 1989માં કોંગ્રેસ 197 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી. ત્યારે લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી જનતાદળ હતી અને તેને માત્ર 143 બેઠકો મળી હતી. જનતાદળ અને તેના ગઠબંધનમાં સૌથી મોટા નેતા વી. પી. સિંહ વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ટ્રાફિક જામ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાતાં હાઈવે બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ અકસ્માતના બનાવની […]

બે-વ્હીલર વાહનોમાં ડિસ્ક બ્રેક માં કેમ હોય છે? કાણા, જાણો એનાથી કઈ રીતે મળે છે સુરક્ષા

દુનિયાભરમાં વાહનોને વધારે સુરક્ષિત બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં બે ટાયર વાળા વાહનોમાં પણ બ્રેકિંગ સારૂ કરવા માટે ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. બે ટાયર વાળા વાહનોમાં મળેલી ડિસ્ક બ્રેકની પ્લેટમાં છેદ હોય છે તે ખાલી ડિઝાઈન માટે નથી હોતી. બાઈક અથલા સ્કુટર ચલાવતા સમયે જ્યારે અચાવક બ્રેક લગાવવામાં આવે છે તો […]

ભારત વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા કાયદાઓનું આધુનિકીકરણ કરી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (સીએલઈએ) – કોમનવેલ્થ એટર્નીઝ એન્ડ સોલિસિટર જનરલ કોન્ફરન્સ (સીએએસજીસી) 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદની થીમ “ક્રોસ-બોર્ડર ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી” છે અને તેમાં ન્યાયિક સંક્રમણ અને કાનૂની વ્યવહારના નૈતિક પરિમાણો જેવા કાયદા અને ન્યાય સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]

ભારત-ઓમાને સંરક્ષણ સામગ્રી અને સાધનોની ખરીદી માટે MOU પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ સંરક્ષણ સચિવ ગિરધર અરમાને મસ્કતમાં ઓમાનના સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરી જનરલ ડૉ. મોહમ્મદ બિન નાસેર બિન અલી ઝાબી સાથે 12મી સંયુક્ત લશ્કરી સહકાર સમિતિ (JMCC)ની બેઠકની સહ-અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન બંને પક્ષોએ ભારત અને ઓમાન વચ્ચે મજબૂત સંરક્ષણ સહયોગની સમીક્ષા કરી અને તેની પ્રશંસા […]

ભારતીય શેર બજારમાં તેજી, BSEમાં 1241 અને NSEમાં 385 પોઈન્ટનો વધારો

મુંબઈઃ બેંકિંગ કાઉન્ટર્સમાં સારી ખરીદી અને વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોને પગલે સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 1.75% અથવા 1,240.90 પોઈન્ટના વધારા સાથે 71,941.57 પોઈન્ટના સ્તરે જ્યારે નિફ્ટી 1.80% અથવા 385.00 પોઈન્ટના વધારા સાથે 21,737.60 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. સોમવારે નિફ્ટીના 38 શેર લીલા નિશાન […]

આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કર્યો. 15 એકર જમીનમાં આ અત્યાધુનિક સંસ્થાને વિકસાવવા માટે અંદાજે રૂ. 100 કરોડનું રોકાણ કરવામાં આવશે. આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે, જે ઉત્તર-પૂર્વ ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code