પેટીએમ બેંક બંધ કરવા હાઈકોર્ટનો આદેશ, ઍપ અને યુપીઆઈ ચાલુ રહેશે
નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – દિલ્હી હાઈકોર્ટે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL)ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મંગળવારે (28 જુલાઈ) જણાવ્યું હતું કે નિયમોનું સતત ઉલ્લંઘન કરવાના કારણે બેંકનું લાઈસન્સ પહેલાથી જ રદ કરવામાં આવ્યું હતું, અને આ આદેશ બેંકને બંધ કરવાની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. RBIએ એક નિવેદનમાં કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે 8 જુલાઈ અને 22 જુલાઈ, 2026ના આદેશો દ્વારા, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અને કંપનીઝ એક્ટ, 2013ના માપદંડો હેઠળ Paytm પેમેન્ટ્સ બેંકને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
SBIએ ઓફિશિયલ લિક્વિડેટર નિયુક્ત કર્યા
કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરીકુમાર એમ. નાયરને Paytm પેમેન્ટ્સ બેંકના ઓફિશિયલ લિક્વિડેટર નિયુક્ત કર્યા છે. RBIએ જણાવ્યું કે તેમને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ અને કંપનીઝ એક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલા તમામ અધિકારો આપવામાં આવ્યા છે.
લિક્વિડેટરની નિમણૂક:
કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરીકુમાર એમ. નાયર (Girikumar M Nair)ને ઓફિશિયલ લિક્વિડેટર (Official Liquidator) તરીકે નીમ્યા છે. તેઓ બેંકની તમામ મિલકતો, દેવાની ચુકવણી અને પ્રક્રિયાની દેખરેખ રાખશે.
આદેશનું કારણ:
અગાઉ 24 એપ્રિલના રોજ RBIએ નિયમોના ઉલ્લંઘન અને ગ્રાહકોના હિતોને નુકસાન પહોંચાડતી કામગીરીને કારણે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ રદ કરી દીધું હતું. ત્યારબાદ RBIએ બેંકને બંધ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ગ્રાહકો/થાપણદારો પર અસર:
પૈસા સુરક્ષિત: RBIએ સ્પષ્ટ કર્યું છે કે બેંક પાસે તેના તમામ થાપણદારોની રકમ પાછી ચૂકવવા માટે પૂરતી લિક્વિડિટી (નાણાકીય ભંડોળ) ઉપલબ્ધ છે.
Paytm એપ ચાલુ રહેશે: આ આદેશ માત્ર ‘પેટીએમ પેમેન્ટ્સ બેંક’ માટે છે. મુખ્ય Paytm એપ, UPI, રિચાર્જ અને અન્ય ચૂકવણી સેવાઓ સામાન્ય રીતે અન્ય ભાગીદાર બેંકો (Partner Banks) દ્વારા ચાલુ જ રહેશે.


