ગુજરાતમાં સૈન્ય દળોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન, પૂરમાં ફસાયેલા લોકોને બચાવ્યા
ગાંધીનગર, 24 જુલાઈ, 2026 – દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે બચાવ કામગીરીમાં સૈન્ય દળો પણ સતત ખડે પગે રહેતા જોવા મળી રહ્યા છે.

ભારતીય સૈન્યના સધર્ન કમાન્ડના બાહોશ જવાનોએ હોડી મારફત અંતરિયાળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને ત્યાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રશંસનીય કામગીરી બજાવી છે.
Flood Relief Columns of Golden Katar Division have been deployed in #Valsad , #Navsari , #Ahmedabad City and Rural areas. The flood relief troops stand resolute in rescuing stranded civilians, providing essential aid and bringing hope to affected communities.#ServiceBeforeSelf… pic.twitter.com/dUbUJn1hbl
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) July 24, 2026
સંરક્ષણ પીઆરઓના જણાવ્યા મુજબ ગુજરાતસ્થિત ગોલ્ડન કટાર ડિવિઝનની પૂર રાહત ટૂકડીઓને વલસાડ, નવસારી તેમજ અમદાવાદમાં તહેનાત કરવામાં આવી હતી અને ફસાયેલા લોકોને સફળતાપૂર્વક સલામત વિસ્તારમાં ખસેડ્યા હતા.
ભારતીય સૈન્યએ ગુજરાતમાં વધી રહેલી પૂરની પરિસ્થિતિ સામે ઝડપથી પ્રતિક્રિયા આપીને, સધર્ન કમાન્ડના નેતૃત્વ હેઠળ, હાલમાં ચાલી રહેલી માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કામગીરીમાં નાગરિક પ્રશાસનને મદદ કરવા માટે એન્જિનિયર અને તબીબી ટીમો સહિત રાહત તેમજ બચાવ ટુકડીઓ તૈનાત કરી છે.
નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં સૈન્યની ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની રાહત ટુકડીઓ તાત્કાલિક ધોરણે તૈનાત કરવા માટે તૈયાર રાખવામાં આવી છે, જેથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત કાર્ય હાથ ધરી શકાય. NDRF, SDRF, નાગરિક પ્રશાસન અને અન્ય પ્રતિભાવક એજન્સીઓ સાથે ગાઢ સંકલન સ્થાપિત કરીને રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 23 જુલાઈ 2026ના રોજ મોડી રાત્રે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૈન્યની ટીમોએ અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત સ્થળોમાં ફસાયેલા 43 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હાલમાં પણ કામગીરી ચાલુ છે અને તમામ નવી ઊભી થઈ રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૈન્ય દ્વારા ઉચ્ચ સ્તરની તૈયારી જાળવી રાખવામાં આવી છે.
ભારતીય સૈન્ય અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પૂરી પાડવા અને હાલમાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ દરમિયાન જીવનની સુરક્ષા તેમજ રાહત પ્રયાસોને ટેકો આપવા માટે નાગરિક પ્રશાસન સાથે ગાઢ તાલમેલ સ્થાપીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.


