1. Home
  2. Tag "navsari"

આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી: ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા‘નો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વનબંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના- 2.0હેઠળ 2023-24 ના વર્ષમાં રૂ. 47 હજાર કરોડની જોગવાઈ કરી છે. આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, […]

નવસારીના ભીનારમાં જાનકી વાવથી આજે વનસેતુ યાત્રાનો મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવાશે

ગાંધીનગરઃ રાજ્યના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ  સી.આર. પાટીલના હસ્તે આજે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. આ યાત્રા વલસાડ,નવસારી, ડાંગ,  તાપી, સુરત, […]

ગુરુકુલ પરંપરા અને વૈદિક શિક્ષણ વ્યવસ્થા ભારતવર્ષની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે : રાજ્યપાલ

નવસારીઃ ગુજરાત ગુરુકુલ સભા, સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક, ગુરુકુલ સુપા ખાતે શતાબ્દિ મહોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજયના રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઋષિ-કૃષિ સંમેલન પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુલ સુપાના શતાબ્દિ મહોત્સવની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી. ભારતમાં અંગ્રેજો અને મોગલોએ ગુરુકુલમાં દાન અને સહાય બંધ કરી ભારતને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વામી દયાનંદ […]

નવસારીમાં ટેક્સટાઈલ પાર્ક માટે કેન્દ્ર સાથે ગુજરાત સરકારે કર્યા MOU, નવી રોજગારીનું સર્જન થશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 462.75 હેક્ટરમાં ફેલાયેલા વાંસી બોરસી, નવસારીમાં PM MITRA પાર્કની સ્થાપના માટે ભારત સરકાર સાથે સફળતાપૂર્વક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રયાસ સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને એકીકૃત કરશે. સ્પિનિંગ અને વીવિંગથી માંડીને ડાઈંગ, પ્રિન્ટિંગ […]

નવસારી જિલ્લામાં ચીકુનું સારૂ ઉત્પાદન થશે, APMCમાં ચીકુના પાકની 8000 મણથી વધુ આવક

નવસારી: જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સુકૂળ હવામાનને લીધે ચીકુંનો ફાલ સારોએવો આવતા ચીકુનું ગત વર્ષ કરતા વધુ ઉત્પાદની ખેડુતો આશા રાખી રહ્યા છે. નવસારી બાગાયતી જિલ્લો છે. જેમાં વર્ષમાં બે વાર ચીકુનો પાક લેવામાં છે. ચીકુંનો પાક તૈયાર થતાં માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ […]

નવસારીમાં વરસાદી આફત બાદ કચરો અને ગંદકી દુર કરવા સફાઈ અભિયાન હાથ ધરાયું

નવસારીઃ શહેર અને જિલ્લામાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. માત્ર ચાર કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નવસારી શહેરના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, જે વિસ્તારોમાં કદી પૂરના પાણી જોવા મળ્યા ન હતા તે વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વરસાદ થંભી જતાં અને ત્યારબાદ વરસાદી પાણી ઓસર્યા બાદ […]

નવસારીમાં 13 ઈંચ વરસાદ, શહેર બેટમાં ફેરવાયું, ક્યાંક દીવાલો ધરાશાયી, ગેસ-સિલિન્ડર્સ તણાયાં,

નવસારીઃ શહેરમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધારે 12થી વધુ વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું હતું. સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. નીચાણવાળા વિસ્તારો સહિત ઘણાબધા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવામાન […]

નવસારીના નજીક 1141 એકરમાં નિર્માણ પામશે PM મિત્ર પાર્ક, એક લાખ લોકોને રોજગારી મળશે

સુરત: ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM […]

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ […]

રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો નવસારીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ બાદ સતત ત્રીજા દિવસે પણ આજે વરસાદી મહોલ જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન દક્ષિમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 6 કલાકના સમયગાળામાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code