Site icon Revoi.in

દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવામાં આવશે

Social Share

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ, ઝોન અને રેલવે બોર્ડમાં વોર રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા સ્ટેશનો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં, રેલ્વે સ્ટેશનો અને સેવા ઇમારતો પર 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી.

છેલ્લા પાંચ વર્ષમાં, રેલવેએ 1,489 સૌર એકમો સ્થાપિત કર્યા છે, જે પાછલા પાંચ વર્ષમાં સ્થાપિત 628 એકમો કરતા 2.3 ગણા વધુ છે. રાજસ્થાન આ પહેલમાં અગ્રેસર છે, જ્યાં અત્યાર સુધીમાં 275 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધુ છે.

Exit mobile version