1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિશ્વ આદિવાસી દિનની ઊજવણી, કમ્બોઈ, વાઘોડિયા અને બનાસકાંઠામાં અનેક કાર્યક્રમો યોજાયા
વિશ્વ આદિવાસી દિનની ઊજવણી, કમ્બોઈ, વાઘોડિયા અને બનાસકાંઠામાં અનેક કાર્યક્રમો યોજાયા

વિશ્વ આદિવાસી દિનની ઊજવણી, કમ્બોઈ, વાઘોડિયા અને બનાસકાંઠામાં અનેક કાર્યક્રમો યોજાયા

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તા.9મીને મંગળવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઊજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક  ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઊજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં  ગોવિંદગુરૂની  મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું હતું. ઝાલોદ તાલુકાના કમ્બોઈ સ્થિત આ સમાધિ સ્થળ આદિવાસીઓ બાંધવો માટે શ્રદ્ધા અને આસ્થાનું ધામ છે. મુખ્યમંત્રીનું અહીં આદિવાસી પરંપરા પ્રમાણે લોકવાદ્યો સાથે સ્વાગત કરવા સાથે આદિવાસી કન્યાઓએ કળશ-શ્રીફળ સાથે  સામૈંયુ કર્યું હતું.

રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પણ ઊજવણી કરવામાં આવી હતી. વાઘોડિયામાં નીકળેલી રેલીમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટીમલી સોંગ પર ડાન્સ કર્યો હતો. હાથમાં તીર કામઠા સાથે મધુ શ્રીવાસ્તવ મન મૂકીને નાચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો આ ઉપરાંત પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકોએ આદિવાસી વિશ્વદિનની ઊજવણી કરી હતી. પાલનપુર ખાતે આદિવાસી સમાજના લોકોએ ભવ્ય રેલી યોજી હતી. જ્યારે અમીરગઢ તાલુકામાં વિરમપુરથી ઈકબાલગઢ, અમીરગઢ સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલી આર્ડેકતા કોલેજ ખાતે જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના વિસ્તારના આદિવાસી ભાઈ બહેનોને અધ્યક્ષના હસ્તે પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓને ચેક વિતરણ, સહાય, મંજુરપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું અને તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજની મહિલાઓએ પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. અમીરગઢમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજના લોકોએ ધૂમધામથી કરી હતી. વિશ્વ આદિવાસી દિવસના અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. વિરમપૂરથી વાયા ઇકબાલગઢ થઈને તાલુકા મથક અમીરગઢ સુથી રેલી નીકળવામાં આવી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા અને ડી.જેના તાલે તેઓની આગવી છટામાં વેશભૂષા સાથે તીર કામઠા સાથે એકથી બે કિલોમીટર લાંબી રેલીમાં બિરસા મુંડા અને આદિવાસી એકતાના નારાઓ લગાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code