1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમયમાં ફેરફાર
સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમયમાં ફેરફાર

સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમયમાં ફેરફાર

0
Social Share

અંબાજીઃ દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે છેલ્લીઘડીની ખરીદી કરવા બજારોમાં પણ ભીડ જામી છે. દિવાળીની જાહેર રજાઓમાં લોકો પર્યટન સ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળોએ જતાં હોય છે. ત્યારે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી માતાજીની આરતી અને દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે  અખબારી યાદીમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો હોવાથી બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી ધામે દર્શન કરતા આવતા શ્રદ્ધાળુઓની સગવડ માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે આ સમયગાળા દરમિયા હજારો-લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ટ્રસ્ટે જાહેર કરેલી યાદી મુજબ, આગામી 5 નવેમ્બર એટલે કે બેસતા વર્ષના દિવસે મંદિરમાં સવારે 6 વાગે આરતી યોજાશે. આરતી 6.30 વાગે પૂર્ણ થયા બાદ ભાવિક ભક્તો માટે મંદિરના દર્શન ખુલ્લા મૂકાશે. આ સિવાય બેસતા વર્ષે બપોરે 12 વાગે રાજભોગ યોજાશે. એ પછી અન્નકૂટ આરતી બપોરે 12.15 વાગે યોજાશે. 12.30 વાગે અન્નકૂટ આરતી પૂર્ણ થયા બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકાશે. જે 4.15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.પછી સાંજના સમયે 6.30 વાગે આરતી યોજાશે. એ પછી ભક્તો માટે મંદિર 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દર્શન માટે ખૂલ્લુ મૂકાશે. એ પછી 6 નવેમ્બર એટલે કે ભાઈબીજના દિવસે સવારે 6.30 વાગે આરતી યોજાશે. સવારે 7થી 11.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 વાગે રાજભોગ યોજાશે. 12.30થી 4.15 સુધી મંદિરના દર્શન કરી શકાશે. સાંજે 6.30 વાગે ફરી મંદિરમાં આરતી યોજાશે. એ પછી સાંજના 7થી 11 વાગ્યા સુધી ભક્તો મંદિરના દર્શન કરી શકશે. આ ક્રમ લાભ પાંચમ સુધી જળવાઈ રહેશે.

લાભ પાંચમ બાદ એટલે કે 10 નવેમ્બરથી દર્શનના સમયમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. 10 નવેમ્બરથી મંદિરમાં સવારે 7.30 વાગે આરતી થશે. સવારના 8 વાગ્યાથી 11.30 કલાક સુધી દર્શન કરી શકાશે. બપોરે 12 વાગે રાજભોગ ધરાશે. 12.30થી 4.15 સુધી મંદિરના દર્શન કરી શકાશે. સાંજની આરતી 6.30 વાગે યોજાશે. પછી માતાજીના દર્શન માત્ર 9 વાગ્યા સુધી કરી શકાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code