1. Home
  2. ગુજરાતી
  3. નાગરિક સેવા દિવસઃ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરાશે
નાગરિક સેવા દિવસઃ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરાશે

નાગરિક સેવા દિવસઃ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરાશે

0
Social Share

નવી દિલ્હીઃ નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ સિવિલ સર્વન્ટ્સને પણ સંબોધિત કરશે.

સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે જિલ્લાઓ/અમલીકરણ એકમો અને કેન્દ્રીય/રાજ્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ અસાધારણ અને નવીન કાર્યને માન્યતા આપવાના હેતુથી જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રીના પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી છે. તેમને ઓળખાયેલ અગ્રતા કાર્યક્રમો અને નવીનતાના અસરકારક અમલીકરણ માટે પણ એનાયત કરવામાં આવે છે.

પાંચ ઓળખાયેલ અગ્રતા કાર્યક્રમોમાં કરવામાં આવેલ અનુકરણીય કાર્યને પુરસ્કારો આપવામાં આવશે જે સિવિલ સર્વિસ ડે 2022 પર રજૂ કરવામાં આવશે. “જન ભાગીદારી” અથવા પોષણ અભિયાનમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવું, રમતગમત અને સુખાકારીમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવું ખેલો ઈન્ડિયા સ્કીમ, પીએમ સ્વનિધિ યોજનામાં ડિજિટલ પેમેન્ટ્સ અને સુશાસન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ દ્વારા સર્વગ્રાહી વિકાસ, માનવ હસ્તક્ષેપ વિના સીમલેસ, એન્ડ-ટુ-એન્ડ સેવાઓ આમ આ  5 ઓળખાયેલ પ્રાધાન્યતા કાર્યક્રમો અને જાહેર વહીવટ/સેવાઓના વિતરણ વગેરેના ક્ષેત્રમાં નવીનતાઓ માટે કુલ 16 પુરસ્કારો આપવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code