Site icon Revoi.in

મેરઠમાં ઈદની નમાજ બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, ખાનગી ગોળીબારની આશંકા

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં સોમવારના રોજ ઈદની નમાજ પછી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પહેલા નાઝીમ અને ઝાહિદ નામના બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ સંદર્ભે એસપી ગ્રામીણ રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ” નાઝીમ અને ઝાહિદ નામના બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આજે નમાજ પછી જ્યારે બંને પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમની વચ્ચે ફરીથી ઝઘડો થયો અને બંને પક્ષના લોકો સામ સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ અથડામણમાં અનેક લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.

એસપીએ કહ્યું કે અમને એક વીડિયો મળ્યો છે જેમાં કેટલાક લોકો ગોળીઓ ચલાવતા જોવા મળે છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, અમને કોઈના ઘાયલ થયાની કોઈ માહિતી નથી. બંને પક્ષોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નથી. આ સમગ્ર ઘટનામાં 11 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસનું કહેવું છે કે ફરિયાદ મળ્યા બાદ આ મામલે કેસ નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.