1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીની ડિગ્રી પર દિલ્હીના CM એ ઉઠાવ્યા હતા સવાલ તો ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી હતી ફરિયાદ હવે કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા
PM મોદીની ડિગ્રી પર દિલ્હીના CM એ ઉઠાવ્યા હતા સવાલ તો ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી હતી ફરિયાદ હવે કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા

PM મોદીની ડિગ્રી પર દિલ્હીના CM એ ઉઠાવ્યા હતા સવાલ તો ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી હતી ફરિયાદ હવે કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા

0
Social Share
  • અરવિંદ કેજરિવાલને ગુજરાત કોર્ટે સમન્સ પાઠવ્યા
  • પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવ્યા હતા સવાલ

દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલ સતત ચર્ચામાં રહે છે આજે સીબીઆઈ દ્રારા દારુ કૌંભાડ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત કોર્ટે પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવેલા સવાલને લઈને  કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદની એક કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે કથિત રીતે કટાક્ષ અને અપમાનજનક નિવેદનો કરવા બદલ ગુજરાત યુનિવર્સિટી સામે દાખલ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની ​​ફરિયાદના સંબંધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. સભ્ય સંજય સિંહને જારી કરવામાં આવ્યો છે

કોર્ટે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ વિરૃધ્ધ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં ફોજદારી બદનક્ષીની ગંભીર  ફરિયાદ દાખલ થઇ છે.

આ કેસની સુનાવણીમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જયેશભાઇ એલ.ચોવટીયાએ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેના નેતા સંજયસિંહ વિરૃધ્ધ સમન્સ જારી કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે બંને નેતાઓને સીઆરપીસીની કલમ-204 હેઠળ સમન્સ જારી કરી તા.23મી મેના રોજ તેઓને હાજર રહેવા જણાવાયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code