
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુંડાઓ, માફિયાઓ અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહીની આડમાં ગરીબોના ઘરો અને ઝૂંપડાઓને તોડી પાડવાનો મામલો સામે આવતાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે કોઈપણ ગરીબની હેરાનગતિ સહન કરવામાં આવશે નહીં.
ઉત્તર પ્રદેશમાં બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પણ યોગી સરકારની ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારો સામે કાર્યવાહી ચાલી રહી છે. આ પૈકીના ઘણા ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત થઈ ગયા છે. એટલું જ નહીં, સરકારી જમીન તેમના કબજામાંથી મુક્ત કરીને ગરીબો માટે ઘર બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે. મહાનગરોમાં પણ ગરીબોને આશ્રય આપવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી વખતે પણ ગરીબોના ઝૂંપડા કે દુકાન પર ક્યાંય પણ બુલડોઝર ન ચલાવવામાં આવે. તેમણે કહ્યું કે વ્યવસાયિક માફિયાઓ, કડક ગુનેગારો અને જમીન માફિયાઓની ગેરકાયદેસર મિલકતો પર જ બુલડોઝર ચલાવવું જોઈએ. આ સાથે રાજ્યભરમાં ગરીબો અને વેપારીઓની મિલકતો પર અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.
મુખ્યમંત્રી યોગીએ લખનૌમાં અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન તેમને ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન તેમણે નિર્દેશ આપ્યો કે કોઈપણ ગરીબની ઝૂંપડી પર બુલડોઝર નહીં ચાલે. કોઈપણ ગરીબની દુકાનમાં બુલડોઝર નહીં ચાલે. દરેક જગ્યાએ માત્ર માફિયાઓ અને ગુનેગારો સામે જ કાર્યવાહી થવી જોઈએ. દરેક જગ્યાએ જમીન માફિયાઓની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ચાલવુ જોઈએ. ગરીબોની મિલકત પર અતિક્રમણ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
સીએમ યોગીએ કહ્યું કે, અમારો પ્રયાસ ગરીબ અને નબળા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. સરકાર દરેક સ્તરે ગરીબોને મદદ કરવા ઉભી છે. ગરીબોને રાશન આપવાની સાથે અમે તેમને આવાસ આપવાની પણ યોજના બનાવી છે.