1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે રોગચાળો વકર્યો, સ્વાઈનફ્લુ અને કમળાના કેસમાં વધારો
અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે રોગચાળો વકર્યો, સ્વાઈનફ્લુ અને કમળાના કેસમાં વધારો

અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે રોગચાળો વકર્યો, સ્વાઈનફ્લુ અને કમળાના કેસમાં વધારો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી  ઠંડી-ગરમી મિશ્રિત બે ઋતુને કારણે વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. ઉપરાંતપાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે, જેમાં વસ્ત્રાલ મહાદેવનગર ખાતે  કોલેરાના કેસ નોંધાતા આ વિસ્તારમાં પાણીની ચકાસણી ચાલી રહી છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લુના પણ છેલ્લા 4 દિવસમાં 29 કેસ નોંધાયા છે. શહેરમાં ફેબ્રુઆરીના 4 દિવસમાં જ ઝાડા-ઊલટીના 47, કમળાના 22, ટાઇફોઇડના 32 તથા કોલેરાનો 1 કેસ નોંધાયો છે.

અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં લેવા માટે લોહીના 17115 નમુના જ્યારે ડેન્ગ્યુની તપાસ માટે સીરમ સેમ્પલના 226 નમૂના લેવાયા હતા. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુની અસરથી અસંખ્ય નાગરિકોને વાયરલ ફિવર, શરદી અને ખાંસીની બિમારીથી હેરાન પરેશાન થવું પડ્યું છે. શહેરમાં ઠંડી અને ગરમીનાં વાતાવરણની અસરથી અનેક લોકો વાયરલ ફિવરનો ભોગ બન્યા છે અને સંખ્યાબંધ લોકો પ્રાઇવેટ પ્રેકટીશનર્સ અને મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરો ખાતે શરદી તથા સખત ખાંસીની સારવાર લઇ રહ્યાં છે. વાયરલ ફિવર કરતાં ખાંસીની બિમારીથી લોકો ત્રસ્ત બન્યા છે.  શરદી અને ખાંસીની બિમારીથી બચવા માટે નાગરિકોને માસ્કનો ઉપયોગ કરવા તેમજ બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી તથા ઠંડા પીણાથી દૂર રહેવાની  હેલ્થ વિભાગ દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે.

મ્યુનિના હેળ્થ વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતું. કે, છેલ્લા છ દિવસમાં મચ્છરજન્ય રોગચાળો સાવ અંકુશમાં રહ્યો છે. મેલેરિયા સહિતનાં તાવનાં કેસો સાવ નજીવા નોંધાયા છે. ઠંડીની મોસમમાં પણ મચ્છરનો ઉપદ્રવ અનુભવાતો હોય છે, પરંતુ ચોમાસા બાદ હેલ્થ-મેલેરિયા ખાતાએ સઘન કામગીરી ચાલુ રાખતાં મચ્છરનો ઉપદ્રવ ડામી શકાયો છે. જોકે શહેરનાં છેવાડાનાં વિસ્તારો તેમજ નદી કિનારાનાં વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ યથાવત રહેવા પામ્યો છે.

મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરોમાં તાવની સારવાર માટે જતાં નાગરિકોને મેલેરિયા છે કે કેમ તેની તપાસ માટે 17હજારથી વધુ લોહીનાં નમૂના લેવાયા હતા, જ્યારે ડેન્ગ્યુની શંકા ઉપજતાં 226 જેટલાં સીરમ સેમ્પલ લેવાયા હતા. જ્યારે પાણીજન્ય ગણાતાં ઝાડાઉલ્ટી, કમળો અને ટાઇફોઇડનાં કેસ ગત વર્ષનાં ફેબ્રુઆરી કરતાં બમણા ત્રણ ગણા નોંધાયા છે. તેના માટે પ્રદૂષિત પાણી, વાસી-બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો વગેરે કારણભૂત છે. છેલ્લા છ દિવસમાં જ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલાં પાણીનાં નમૂના પૈકી 29 જગ્યાએથી લીધેલા નમૂનામાં ક્લોરિન ગેસ નીલનો રિપોર્ટ આવ્યો છે. જોકે, સદનસીબે એકેય જગ્યાનાં પાણીનાં નમૂના અનફીટ જાહેર થયાં નથી, જ્યાં જ્યાં પ્રદૂષિત પાણી આવતું હોવાનો રિપોર્ટ મળતાની સાથે જ સ્થાનિક ઇજનેર ખાતાને જાણ કરવામાં આવે છે અને ઘરે ઘરે તપાસ કરીને દવા અને કલોરિનની ગોળી વગેરેનું વિતરણ કરવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code