કોરોના મહામારીઃ દેશમાં અત્યાર સુધી કોરોનાના 66.15 કરોડ ટેસ્ટ કરાયાં
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના ખતરા વચ્ચે કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાના 136 કરોડ ડોઝ આપીને દેશની કરોડો પ્રજાને સુરક્ષિત કરવામાં આવી છે. 24 કલાક દેશમાં 70 લાખથી વધારે કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે. હાલ દેશમાં 86415 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ રિકવરી રેડ પણ 98 ટકાને વટાવી ચુક્યો છે.
ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડત લડી રહ્યાં છે. બીજી તરફ ઓમિક્રોનના ખતરાને કારણે દુનિયામાં ફફડાટ ફેલાયો છે. દેશમાં અત્યાર સુધીમાં 3.42 કરોડથી વધારે લોકો કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. 24 કલાકમાં 7886 દર્દીઓ સાજા થયાં છે. હાલ ભારતનો રિકવરી રેટ 98.38 ટકા જેટલો છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને 24 કલાકમાં દેશમાં 12,59,952 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 66.15 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે.
ઓમિક્રોનનો ખતરો વધતા દેશના તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાના 70થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી બીજી લહેર વખતે ઉભી થયેલી પરિસ્થિતિનું ફરીથી નિર્માણ ના થાય.