1. Home
  2. ગુજરાતી
  3. કોરોના મહામારીઃ ચોથી લહેર બીજી લહેરની જેમ ઘાતક હોવાની શકયતા
કોરોના મહામારીઃ ચોથી લહેર બીજી લહેરની જેમ ઘાતક હોવાની શકયતા

કોરોના મહામારીઃ ચોથી લહેર બીજી લહેરની જેમ ઘાતક હોવાની શકયતા

0
Social Share

નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરમાં દેશમાં 2 લાખથી વધારે કેસ સામે આવતા હતા. જો કે, હવે કોરોનાની લહેર ધીમી પડી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી 10 હજારથી પણ ઓછા કેસ સામે આવી રહ્યાં છે. જો કે, કોરોનાની હજુ ચોથી લહેર આવે તેવી શકયતાઓ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. આગામી મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવવાની શકયતા છે. આ લહેર બીજી લહેર કરતા પણ વધારે ઘાતક હોવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનની ત્રીજી લહેર હવે ધીમી પડી રહી છે. બીજી તરફ દેશમાં સ્કૂલ-કોલેજ અને નોકરી-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. એટલું જ નહીં લોકો પહેલાની જેમ બેદરકાર દેખાઈ રહ્યા છે. આ સાથે ચોથી લહેર સાથે જોડાયેલી આગાહીઓ થોડી ચિંતાજનક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યું છે કે ઓમિક્રોન છેલ્લું વેરિઅન્ટ નથી. અનુગામી પરિવર્તનો વધુ ખતરનાક બની શકે છે.

હવે નિષ્ણાતોએ જણાવ્યું છે કે કોવિડની આગામી તરંગ આલ્ફા અથવા ડેલ્ટા જેવી ગંભીર હોઈ શકે છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ ગણતરી કરી છે કે કોરોનાની આગામી લહેર મે અને જૂનની વચ્ચે આવશે. વૈજ્ઞાનિકો પહેલા જ કહી ચુક્યા છે કે કોરોના આપણી વચ્ચે છે. તેના પ્રકારો આવતા રહેશે. હવે એડિનબર્ગ યુનિવર્સિટીના વાયરસના ઉત્ક્રાંતિનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિક એન્ડ્રુ રેમ્બાઉટે નેચર જર્નલને કહ્યું કે ચોથી લહેરમાં કોરોના ડેલ્ટા અથવા આલ્ફા વંશનો હોય તે સંભવ છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનને પાછળ છોડવા માટે તેની રોગપ્રતિકારક શક્તિમાં પ્રવેશવાની પૂરતી ક્ષમતા હોઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code