1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાકોર બન્યું રણછોડમય, ફાગણી પુનમે ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીના દર્શન માટે લાઈનો લાગી
ડાકોર બન્યું રણછોડમય, ફાગણી પુનમે ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીના દર્શન માટે લાઈનો લાગી

ડાકોર બન્યું રણછોડમય, ફાગણી પુનમે ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીના દર્શન માટે લાઈનો લાગી

0
Social Share

ડાકોરઃ ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું સવિશેષ મહાત્મ્ય છે. અને હજારો પદયાત્રિઓ ગામેગામથી રણછોડજીના દર્શન માટે આવતા હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી ડોકારમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેમાં આજે ફાગણી પુનમે પદયાત્રીઓ સહિત શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીના દર્શન માટે ભાવિકોની લાઈનો લાગી હતી.

આજે ફાગણી પૂનમ છે. ત્યારે આજે ડાકોરના ઠાકોરજીના દર્શનનો અનેરો મહિમા છે.  આજે લાખો દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કર્યાં છે. ગુજરાતભરમાંથી પદયાત્રીઓ પગપાળા ડાકોર પહોંચ્યા હતા. અને  જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજયો હતો. ફાગણી પૂનમના દિને  ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્વ છે. ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં આજે  ફાગણી પૂનમે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડાકોર મંદિરને  વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યુ છે. ભકતો રણછોડજીના દર્શન કરવા દુરદુરથી ધજા લઈને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. ડાકોર દર્શન બાદ ભકતો ફાગવેલ ભાથીજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તે બાદ નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરવા રવાના થાય છે.

ડાકોર રણછોડરાય મંદિરમાં ફાગણી પૂર્ણિમા નિમિત્તે મંદિર પરિસર ભકતોથી છલકાયું હતુ.  વહેલી સવારે થતી મંગળા આરતીના દર્શન કરવા લાઈન બંધ કતારમાં ભક્તો લાગી ગયા હતા.  ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે મંગળવારે દિવસ દરમિયાન આ રીતે ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. અને સમગ્ર ડાકોર રણછોડમય બન્યું હતું.  જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરંપરાના ભાગ રૂપે રણછોડજી મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી.

જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, રણછોરાયના મંદિરમાં પરંપરાગત રીતે દર વર્ષે જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ધજા ચડાવવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે એક ધજા ચઢાવવામાં આવી છે. પોલીસ તંત્રએ જિલ્લા વહીવટી તંત્રનો ભાગ હોવાથી  સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી. સાથે સાથે આ વર્ષે સેવા કેન્દ્રના સંચાલકો, નગર પાલિકા તેમજ સેવાકીય લોકોની સાથે સતત સંકલન કરી આયોજન સુપેરે પાર પડાયું છે. જેના કારણે ભક્તોને ક્યાંય પણ તકલીફ પડી નથી અને ઉત્સાહ બમણો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાના કારણે આ ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો પરંતુ ચાલુ વર્ષે ભક્તો રાજાધિરાજના દરબારમાં ઉમટ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code