દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર નોટિસ જારી કરી
નવી દિલ્હી, 10 માર્ચ 2026: દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત તમામ પ્રતિવાદીઓને નોટિસ ફટકારી છે. કોર્ટે આગામી સુનાવણીની તારીખ 19 માર્ચ નક્કી કરી છે અને કહ્યું છે કે તે આ મામલે યોગ્ય વચગાળાનો આદેશ પસાર કરશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે ટ્રાયલ કોર્ટે ડિરેક્ટોરેટ વિરુદ્ધ કરેલી પ્રતિકૂળ ટિપ્પણીને રદ કરવાની માંગ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ ધ્યાન દોર્યું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા દાખલ કરાયેલા કેસમાં નીચલી કોર્ટે ડિરેક્ટોરેટની ટીકા કરતી ટિપ્પણીઓ કરી હતી. તેમણે ઉમેર્યું કે જ્યારે આ ટિપ્પણીઓ કરવામાં આવી હતી, ત્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મની લોન્ડરિંગનો કેસ ખાસ કોર્ટ સમક્ષ પેન્ડિંગ નહોતો.
વધુુ વાંચો: કુદરતી ગેસનો પુરવઠો જાળવવા માટે સરકારે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ લાગુ કર્યો


