1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિદેશી બજારોમાં ખાતરના ભાવમાં વધારો છતાં કેન્દ્ર સરકારે ભાવ વધારો કર્યો નથીઃ માંડવિયા

વિદેશી બજારોમાં ખાતરના ભાવમાં વધારો છતાં કેન્દ્ર સરકારે ભાવ વધારો કર્યો નથીઃ માંડવિયા

0
Social Share

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય સ્તરે  ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે ખાતરના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. તેમ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માડવિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવ વધી રહ્યાં હતા. ખાતરની અછત હતી છતાં કેન્દ્ર સરકારે ખાતરના ભાવ નથી વધાર્યા. ખેડૂતોને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી સરકારે નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકાર રાસાણિક ખાતરની સબસિડીનો અઢી લાખ કરોડનો બોજો વહન કરી રહી છે. વૈશ્વિક પરિસ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં દરેક ખાતરના ભાવો વધી ગયા હતા.ખાતરની ઘણી અછત વર્તાઈ રહી હતી. ખાતર મળતુ ન હતુ. જે મળતુ હતુ તે ઘણુ મોંઘુ મળતુ હતુ પરંતુ આ પરિસ્થિતિમાં પણ દેશના ખેડૂતોને ક્યારેય ખાતરની અછત નથી વર્તાવા દીધી. એ સમયે કેન્દ્રની મોદી સરકારે DAP ખાતરની એક બેગ પર 2500 રૂપિયા સબ્સીડી ચુકવી હતી છતા દેશમાં ખાતરના ભાવ વધ્યા ન હતા. ખેડૂતોને જે 1350 રૂપિયાના ભાવે થેલી મળતી હતી તે ભાવોમાં કોઈ વધારો કરાયો ન હતો.

તેમણે ઉમેર્યું હતું કે,  દર વર્ષે દેશમાં 650 લાખ મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત રહે છે. જેમા યુરિયા, DAP, NPK,પોટાશનો સમાવેશ થાય છે. જેમાથી 60થી 70 ટકા ખાતરનું ઉત્પાદન ભારતમાં થાય છે જ્યારે 200થી 250 લાખ મેટ્રિક ટન ખાતર વિદેશથી આયાત કરવુ પડે છે. બીજી તરફ પોટાશ મિનરલ્સ માટે તો આપણે સંપૂર્ણપણે આયાત પર આધાર રાખવો પડે છે. પોટાશની 100 ટકા આયાત બહારથી કરવી પડે છે. આવી સ્થિતિમાં પણ દેશમાં આપણે કેવી રીતે ખાતરના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનીએ તે દિશામાં કામ થઈ રહ્યુ છે. આ એક ઘણો મોટો પડકાર છે પરંતુ પડકારને પહોંચી વળવાની ભારતીયોની પ્રકૃ઼તિ છે.(file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code