1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો
જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

0
Social Share
  •  જન્માષ્ટમીના મહાપર્વને બસ ગણતરીના દિવસો બાકી  
  • અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
  • રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ-ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

રેલવેએ અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન 6 સપ્ટેમ્બર બુધવારે અમદાવાદથી રાત્રે 23.25 કલાકે ઉપડી ગુરુવારે સવારે 8.20 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ઓખાથી આ ટ્રેન 7 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાત્રે 23.45 કલાકે ઉપડી બીજા દિવસે શુક્રવારે 8.40 કલાકે અમદાવાદ પહોંચશે.

થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનનું બુકિંગ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે.સાબરમતી-ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં બે વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code