1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની સીધી ફ્લાઈટ શરૂ કરાશે
અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની સીધી ફ્લાઈટ શરૂ કરાશે

અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની સીધી ફ્લાઈટ શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન પહેલા જેવુ સામાન્ય બની રહ્યું છે. બીજી તરફ પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતની જનતા સવાઈ માટે જમ્મુ-કાશ્મીર જઈ શકશે. આગામી દિવસોમાં અમદાવાદથી સીધી જમ્મુની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.

ગુજરાતની પ્રજા હરવા-ફરવાની શોખીન છે અને દર વર્ષે ઉનાળાના વેકેશન તથા દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે દેશના વિવિધ પ્રવાસન સ્થળો ઉપર ફરવા જાય છે. હવે ગુજરાતની જનતા હવાઈ માર્ગે સીધી જમ્મુ-કાશ્મીર જઈ શકશે. જમ્મુ-કાશ્મીરના પ્રવાસનને વેગ મળે તેવા હેતુસર અમદાવાદથી જમ્મુ-કશ્મીરની ડાયરેક્ટ ફ્લાઇટ ટુંક સમયમાં શરૂ કરાશે. આમ ગુજરાતી પ્રવાસીઓ હવે અમદાવાદથી બાય ફ્લાઇટ સીધા શ્રીનગર પહોંચી શકશે. અગાઉ અન્ય સ્થળો પર સ્ટેન્ડ કરી ફ્લાઇટ શ્રીનગર પહોંચતી હતી. આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર પ્રવાસનને વેગ મળશે તેવો આશાવાદ અમદાવાદ આવેલી જમ્મુ-કાશ્મીર ટુરિઝનની ટીમે વ્યક્ત કર્યો હતો.

કાશ્મીર ટુરિઝમના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, નવી ફ્લાઇટ શરૂ થવાની સાથે જ જમ્મુ-કશ્મીર ટુરિઝમને વેગ મળશે. અને ગુજરાતી પ્રવાસીઓને આકર્ષવા માટે તેઓએ ટુર પેકેજ પણ તૈયાર કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code