1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વૈશાખ મહિનાની પૂનમના દિવસે કરો આ ઉપાય, રાતોરાત બની જશો અમીર
વૈશાખ મહિનાની પૂનમના દિવસે કરો આ ઉપાય, રાતોરાત બની જશો અમીર

વૈશાખ મહિનાની પૂનમના દિવસે કરો આ ઉપાય, રાતોરાત બની જશો અમીર

0
Social Share

હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિશેષ પૂજા ઉપાય અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ મહિનાની પૂનમ આ દૃષ્ટિએ સૌથી વધારે ખાસ હોય છે. આ વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમા 23 મે એ આવશે. આ દિવસે વ્રત રાખી અને સ્નાન, દાન કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ કેટલાક ઉપાય કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે અને સુખ શાંતિ વધે છે.

વૈશાખ મહિનાની પૂર્ણિમાના ઉપાય

– પૂનમના દિવસે માતા લક્ષ્મીને 11 પીળી કોડી અર્પણ કરો. ત્યાર પછી બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે.

– પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો. માતા લક્ષ્મીની આરતી કરીને ખીરનો પ્રસાદ પરિવારની સાથે મળીને ગ્રહણ કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધશે.

– માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા હોય તો પૂનમના દિવસે સાવરણીનું દાન કરો. સાવરણીનું દાન કરવાથી ધન લાભના યોગ પ્રબળ બને છે.

– દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ ગણાય છે. આ દિવસે નદીમાં સ્નાન કરીને યથાશક્તિ દાન કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code