1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની રાજ્યપાલે કરી નિમણૂંક
ગુજરાત વિદ્યાપીઠના  કૂલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની રાજ્યપાલે કરી નિમણૂંક

ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની રાજ્યપાલે કરી નિમણૂંક

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની નિમણૂક કરી છે. ગુજરાત વિદ્યાપીઠના કૂલાધિપતિ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ડો. હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. ડો. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે.

ગાંધીવાદી એવી ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા ડો. હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ તરીકે કાર્યરત ડો. હર્ષદ પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા શિક્ષણવિદ્ ડો. હર્ષદ પટેલે એસ.યુ.જી. કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખામાં પીએચડી કક્ષાના માર્ગદર્શક, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢના ડિપાર્ટમેન્ટ ઓફ કોરસપોન્ડન્સના માર્ગદર્શક તથા ગુજરાતની વિવિધ કોલેજોમાં માર્ગદર્શક તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે નિમાયેલા ડો. હર્ષદ પટેલે  રાષ્ટ્રીય કક્ષાએ એન.સી.ઈ.આર.ટી. તથા એનસીએફ-ઈસીસીઈના સભ્ય તરીકે તથા ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામમાં તેમણે મહત્વની સેવાઓ આપી છે. એટલું જ નહીં નેશનલ ફોક્સ ગ્રુપમાં પણ તેઓ નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના બી.એડ., એમ.એડ. અને ટીચર એલિજિબિલિટી ટેસ્ટના અભ્યાસક્રમોની રચનામાં પણ ડો. હર્ષદ પટેલે મહત્વનું યોગદાન આપ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા સંસ્થાઓમાં પણ તેમણે તજજ્ઞ તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ખેડૂતપુત્ર એવા ડો. હર્ષદ પટેલે ગાંધીજીની 150મી જન્મ જયંતીના વર્ષમાં ‘બાપુ સ્કૂલમેં’ અભિયાન અંતર્ગત રાજ્યના દોઢ લાખથી વધુ યુવાનોને ગાંધીજીના મહાવ્રતો સાથે જોડ્યા હતા. પસંદગી સમિતિએ મોકલેલા ત્રણ નામોમાંથી કુલધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની પસંદગી કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code