1. Home
  2. ગુજરાતી
  3. મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,અંહી જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,અંહી જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,અંહી જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

0
Social Share
  • મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં

દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા સોમવારે 23 ઓક્ટોબરે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 04:53 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે સોમવારે 4.3ની તીવ્રતા નોંધાઈ હતી. જો કે આના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

એશિયા ખંડમાં આ સમયે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ ભૂકંપના કારણે લોકોને રોજેરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રવિવારે 6થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ પછી મ્યાનમારમાં સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધવામાં આવી હતી. જો કે આના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code