1. Home
  2. ગુજરાતી
  3. આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

0
Social Share

 

  • આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા
  • 4.6 ની તીવ્રતા નોંધાઈ  
  • કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં
  • ગઈકાલે પણ અનુભવાયા હતા આંચકા  

દિલ્હી : નિકોબારના કેમ્પબેલ ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 2.26 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

રવિવારે બપોરે નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 9 માર્ચે લગભગ 2.59 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.જોકે,આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ પહેલા 1 એપ્રિલે શુક્રવારે મોડી રાત્રે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code