1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખજૂરના લાડુ ખાઓ,જાણો તેને બનાવવાની સરળ રીત
આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખજૂરના લાડુ ખાઓ,જાણો તેને બનાવવાની સરળ રીત

આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખજૂરના લાડુ ખાઓ,જાણો તેને બનાવવાની સરળ રીત

0
Social Share

શિયાળાની ઋતુએ દસ્તક આપી છે અને આ ઋતુને કારણે ઠંડી અને રોગપ્રતિકારક શક્તિની સમસ્યાઓ સામાન્ય છે. એવામાં, આ ઋતુમાં ખજૂરના લાડુ ખાવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ તેનાથી હાડકાંમાં પણ શક્તિ આવે છે અને મગજ પણ તેજ બને છે.ખજૂરના લાડુમાં ગરમીની અસર હોય છે, તેથી શરીર પણ ગરમ રહે છે.

ખજૂરના લાડુ બનાવવાની રીત

સામગ્રી

ઘઉંનો લોટ – 1/2 કપ
બદામ – 2 ચમચી
કિસમિસ – 1 ચમચી
કાજુ – 1 ચમચી
ખજુર – 200 ગ્રામ
છીણેલું નાળિયેર – 2 ચમચી
ઘી – 1 ચમચી
પિસ્તા – 1 ચમચી
મખાના – 1 ચમચી

ખજૂરના લાડુ બનાવવાની રેસીપી

ખજૂરમાંથી ઠળીયા કાઢીને મિક્સરમાં પીસી લો.હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને નારિયેળને થોડીવાર સાંતળો.આ પછી, તેને બહાર કાઢો અને તે જ પેનમાં ઘી મૂકો અને લોટ ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.આ પછી શેકેલા લોટમાં ખજૂરના ભૂકાને ઉમેરો.થોડીવાર મિક્સ કર્યા બાદ તેમાં શેકેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને તરત જ તેને પ્લેટમાં કાઢી લો.ઠંડુ થયા બાદ આ મિશ્રણમાંથી લાડુ તૈયાર કરો.

ખજૂર ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે.ખજૂરમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન બી6 મળી આવે છે.ખજૂરમાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આપણા પાચન માટે સારું છે.ખજૂરમાં ફ્લેવોનોઈડ્સ મળી આવે છે જે ડાયાબિટીસ, અલ્ઝાઈમર અને ઘણા પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે.ખજૂરમાં કેરોટીનોઈડ્સ પણ મળી આવે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.મગજના સ્વાસ્થ્ય માટે પણ ખજૂર સારી છે.મગજના સ્વાસ્થ્ય માટે પણ ખજૂર સારી છે.ખજૂર હાડકાંને પણ મજબૂત કરે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code