
મેથીની ભાજી ખૂબજ ગુણકારીઃ અનેક રોગ સામે આપશે રક્ષણ
- મેથીભાજી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક
- વજન કંટ્રોલ કરવામાં મેથીની ભાજી ખૂબ ઉપયોગી
- પાચનક્રિયા બનાવે છે મજબૂત
ચોમાસામાં અનેક પ્રકારના લીલા શાકભાજી ભરપુર પ્રમાણમાં જોવા મળે છે, વેલા વાળઆ શાકભાજી મોટા ભાગે ચોમાસામાં થતા હો. છે, સાથે સાથે ભાજી પણ ચોમાસાની ઋતુમાં કુષ્કળ પ્રમાણમાં જડોવા મળએ છે, જેમાં લીલા પાનવાળા શાકભાજી તો આપણા શરીર માટે ખુબજ સાત્વિક આહાર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. જેમાંખાસ કરીને મેથીની ભાજી વિશે આજે વાત કરીશું ,મેથીની ભઆજી ખૂબજ ગુણકારી હોય છે જે શરીરને અનેક બિમારીઓમાં રક્ષણ પુરુ પાડે છે.
- મેથીના બીજ હોય કે તેના પાન બંને પેટથી જોડાયેલી સમસ્યોને દૂર કરવામાં અસરકારક છે.
- આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
- પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે.
- મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં કે ચોમાસામાં ખાવાથી શરીરમાં ગરમાટો મળી રહે છે.
- મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ કરે છ
- મેથીના શાકમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેહૃદયનું સ્વાસ્થ જાળવે છે
- મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. જેનાથઈ શરીમાં રહેલા ઝેરી તત્વ બહાર આવે છે
- કબજિયાતની સમસ્યામાં પણ મેથી મહત્વનો ભાગ ભજવે છે
- ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીલી ભાજી ઓષધ સમાન છે
- મેથીની ભાજીથી સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. મેથીના બીમાં એમિનો એસિડ પણ હોય છે.