1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણોની એન્ટ્રી,અમિત શાહના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર
ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણોની એન્ટ્રી,અમિત શાહના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર

ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણોની એન્ટ્રી,અમિત શાહના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર

0
Social Share

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે.ચૂંટણીમાં 2002ના ગુજરાત રમખાણોની એન્ટ્રી થઈ ગઈ છે.ભાજપના પ્રચાર માટે ગુજરાત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સૌથી પહેલા 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો.આ પછી હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે.

તેણે કહ્યું કે,હું 2002માં જુહાપુરા આવ્યો હતો.તે સમયે અમારી સાથે ડોક્ટરોની આખી ટીમ હતી. હૈદરાબાદના અમારા ડૉક્ટરોએ ઘણા લોકોની સારવાર કરી હતી.પરંતુ ગુજરાત સરકારે અમને એક્સપાયરી ડેટવાળી દવાઓ આપી હતી.તમામ દવાઓ છ મહિના પહેલા એક્સપાયર થઈ ગઈ હતી.હું તમારી પીડા સમજી શકું છું, તમે જે પીડામાંથી પસાર થયા છો.બાબરી મસ્જિદ સાથે જે બન્યું તે મેં જોયું.હું નથી ઈચ્છતો કે અમારા બાળકો એ દ્રશ્ય ફરી જુએ.

AIMIMના વડા ઓવૈસીએ કહ્યું કે જો તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મત આપો છો તો તમારો વોટ વ્યર્થ છે.હું દિલ્હીના મુખ્યમંત્રીને નાનું રિચાર્જ કહું છું. કોંગ્રેસ અને છોટા રિચાર્જ પર તમારો મત બગાડો નહીં.અમે બધા એક થઈશું, ભાજપ હારશે અને અમારા ઉમેદવારો જીતશે.

ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસ 27 વર્ષ સુધી ગુજરાતમાં રહી પરંતુ કશું થયું નહીં. ભાજપ પણ ગુજરાતમાં 27 વર્ષ સુધી રહેશે અને આ માટે કોંગ્રેસ જવાબદાર છે.

તેમણે કહ્યું કે,કોંગ્રેસની બિનકાર્યક્ષમતાને કારણે ભાજપ 27 વર્ષ સુધી રાજ્યમાં સત્તામાં રહી. ઓવૈસીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ ન કરવાની પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે છોટા રિચાર્જ (કેજરીવાલ)ની પાર્ટી પર વિશ્વાસ ન કરો.તેમણે યુનિફોર્મ સિવિલ કોડ પર કંઈ કહ્યું નથી. છોટા રિચાર્જ નરેન્દ્ર મોદીના માર્ગ પર આગળ વધી રહ્યું છે. તેમની વિચારધારા પણ હિન્દુત્વની છે.

ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. હિમાચલની ચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે પરિણામ આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code