1. Home
  2. ગુજરાતી
  3. અંજીરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક
અંજીરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક

અંજીરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક

0
Social Share
  • અંજીરનું વધુ પડતું સેવન કરો છો ?
  • સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ નુકશાનકારક
  • પેટમાં દુખાવો, ગેસ, પેટ ફૂલવાની પરેશાની

અંજીર પેટ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, પરંતુ જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે અંજીર ખાવાનું ટાળવું જોઈએ.તેના સેવનથી તમને પેટમાં દુખાવો, ગેસ, પેટ ફૂલવાની પરેશાની થઈ શકે છે.

અંજીરની તાસીર ખૂબ જ ગરમ માનવામાં આવે છે. જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે રેટિનામાં રક્તસ્રાવનું કારણ બની શકે છે.તો,જેમને પીરિયડ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, તેમના માટે તે નુકસાનકારક પણ હોઈ શકે છે.

જેમને માઈગ્રેનની સમસ્યા હોય તેમના માટે પણ અંજીર નુકસાનકારક સાબિત થઈ શકે છે.વાસ્તવમાં સૂકા અંજીરમાં સલ્ફાઈટની વધુ માત્રા હોય છે અને સલ્ફાઈટ માઈગ્રેનની સમસ્યાનું કારણ બની શકે છે. તેથી જો માઈગ્રેનના દર્દીઓ અંજીર ખાય તો તેમની સમસ્યા વધી શકે છે.

અંજીર તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપનું કારણ પણ બની શકે છે. વાસ્તવમાં અંજીરમાં ઘણી બધી ઓક્સલેટ જોવા મળે છે.જે શરીરમાં હાજર કેલ્શિયમને શોષવાનું કામ કરે છે.આવી સ્થિતિમાં તેનું વધુ સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

જેમને કિડની સ્ટોનની સમસ્યા છે તેમણે પણ અંજીરનું સેવન ન કરવું જોઈએ. અંજીરમાં હાજર ઓક્સલેટ તેમની સમસ્યા વધારી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code