1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો
ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો

ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ગ-3થી વર્ગ-1ના તમામ કર્મચારીઓને પોતાની સ્થાવર અને જંગમ મિલક્તો જાહેર કરવી પડે છે. તેના માટે નક્કી કરેલી તારીખ સુધીમાં મિલકત પત્રકો ભરીને આપવાના હોય છે. ત્યારે વર્ગ-3ના કર્મચારીઓએ રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રકો ભરવાનો પરિપત્ર તા.28-02-2024ના બહાર પાડવામાં આવ્યો હતો. જે કામગીરી તા.15-05-24 સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ ત્યારબાદ તેની મુદત વધારીને તા.15-07-24 કરાઇ હતી. જો કે, આ સમય દરમિયાન કામગીરી પૂર્ણ ન થતાં હવે તેની અવધિ તા.31-08-24 સુધી લંબાવવામાં આવી છે.

ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવા માટેની મુદત વધારાના તા.15-07-24ના પરિપત્ર મુજબ કર્મચારીઓનો એચ.આર.પી.એન.નંબર જનરેટ કરવા, રજિસ્ટ્રેશન કરવા, કર્મીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી)ના મિલકતપત્રકો કર્મયોગી સોફટવેરમાં ઓનલાઇન ભરવાના હતા પરંતુ આ સોફ્ટવેરમાં રહેલા તકનીકી પડકારોને ધ્યાને લેતાં મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરીની સમય મર્યાદા તા.31-08-2024 સુધી લંબાવવામાં આવી છે. આ લંબાવાયેલી સમયમર્યાદા કર્મયોગી એપ્લીકેશન પર રાજ્યના વર્ગ-3ના કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના મિલકતપત્રકો ભરવાની કામગીરી પૂરતી જ મર્યાદિત રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓએ મિલકત પત્રકો ભરવા માટે લંબાવાયેલી સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે દરેક કર્મચારી, સંવર્ગ સંચાલક સત્તાધિકારીને કાળજી રાખવા અને સંવર્ગ સંચાલક સત્તાધિકારીને આ અંગે યોગ્ય મોનિટરીંગ કરી એચ.આર.એમ.એસ. પ્રભાગ, સામાન્ય વહીવટી વિભાગના સંકલનમાં રહી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. (File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code