1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાયરલ થતાં વન વિભાગે કર્યો તપાસનો આદેશ
સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાયરલ થતાં વન વિભાગે કર્યો તપાસનો આદેશ

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાયરલ થતાં વન વિભાગે કર્યો તપાસનો આદેશ

0
Social Share

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો સિંહ સાથેનો સેલ્ફી વાયરલ થતા તેઓ વિવાદમાં સપડાયા છે. અને વન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે. ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગીરમાં ચાર સિંહો સામે ઊભા રહીને સેલ્ફી લીધી હતી. સેલ્ફી ખેંચાવીને તેઓએ વન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. કારણ કે ગીરમાં વસતા સિંહો સાથે સેલ્ફી લેવી એ વન વિભાગના નિયમો મુજબ ગુનો બને છે. વન વિભાગના નિયમ મુજબ સિંહ સાથે સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. આ સિવાય ભૂતકાળમાં પણ સિંહો સાથે સેલ્ફી લેવાના મામલે કેટલાંક સેલિબ્રિટિસને દંડ થયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સાવરકુડલાના કોંગ્રેસના  ધારાસભ્ય પ્રતાપ દુધાતની હાલ જે તસવીરો વાયરલ થઈ છે, તે અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારની છે. વાયરલ તસવીરમાં એક તરફ પાંચેક જેટલાં સિંહોનું ટોળુ છે. જે પીવાના પાણીના પોઈન્ટ પાસે આરામ ફરમાવી રહ્યુ્ં છે. જ્યારે બીજી તરફ, ધારાસભ્ય પ્રતાપ દુધાત નજરે પડી રહ્યા છે. ગીર જંગલના વન વિભાગના નિયમો પ્રમાણે સિંહ સાથે સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. એટલે કે સિંહ સાથે સેલ્ફી લેવી એ ગુનો બને છે. તેમ છતા ધારાસભ્ય પ્રતાપ દુધાત ભાન ભૂલ્યા હતા અને સિંહ સાથે સેલ્ફી ખેંચાવી હતી.

ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા લેવાયેલી સેલ્ફીના કારણે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ધારાસભ્ય પ્રતાપ દુધાત પરિવારની સાથે ગીરની મુલાકાતે ગયા હતા એ સમયે તેમણે સિંહ સાથે સેલ્ફી ખેંચાવી હતી. ત્યારે આ મામલે વન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યુ છે.  ભૂતકાળમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબા પણ આવા જ વિવાદમાં સપડાયા હતા. ગીરમાં તેઓએ લીધેલા ફોટા અને સિંહ સાથેની સેલ્ફી મામલે વિવાદમાં આવ્યા હતા. જે પણ પ્રવાસી ગીરના જંગલમાં જાય અને નજર સામે સિંહ જુએ તો ઉત્સાહિત થઈ જતા હોય છે. સિંહને જોઈ તેઓને સિંહ સાથે સેલ્ફી કે ફોટા પડાવવાની ઈચ્છા થતી હોય છે. પણ આવી ઈચ્છાઓ ક્યારેક દુર્ઘટનામાં પરિણમી શકે છે. જે તે વ્યક્તિ સિંહ સાથે સેલ્ફી લેતી હોય અને એ જ સમયે સિંહ હુમલો કરે તો પ્રવાસીઓને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. બસ, આ જ કારણોને ધ્યાનમાં રાખીને ગીરને નો સેલ્ફી ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેથી કોઈ વ્યક્તિ સિંહ સાથે સેલ્ફી લેતા પકડાય તો દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code