1. Home
  2. ગુજરાતી
  3. ન્યૂઝીલેન્ડ સામેથી વન-ડે સિરીઝમાં યાદવની બેટીંગ અંગે પૂર્વ ખેલાડી વસીમ જાફરે ચિંતા વ્યક્ત કરી
ન્યૂઝીલેન્ડ સામેથી વન-ડે સિરીઝમાં યાદવની બેટીંગ અંગે પૂર્વ ખેલાડી વસીમ જાફરે ચિંતા વ્યક્ત કરી

ન્યૂઝીલેન્ડ સામેથી વન-ડે સિરીઝમાં યાદવની બેટીંગ અંગે પૂર્વ ખેલાડી વસીમ જાફરે ચિંતા વ્યક્ત કરી

0
Social Share

નવી દિલ્હીઃ ટી-20માં નંબર એક બેસ્ટમેન અને વર્ષ 2022માં સૌથી વધારે રન બનાવનારા ભારતીય બેસ્ટમેન સૂર્યકુમાર યાદવનો જાદુ ટી-20માં છવાયો છે તેવો વન-ડેમાં નથી ચાલ્યો. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં સૂર્યકુમારના બેટમાંથી રન બન્યા ન હતા અને એક જ રીતે બંને મેચમાં આઉટ થયો હતો. જ્યારે એક મેચ વરસાદના કારણે રદ કરાઈ હતી. 3 મેચની સીરિઝમાં યાદવે માત્ર 44 રન બનાવ્યાં હતા. જે પૈકી 34 રન એક જ ઈનિગ્સમાં કર્યાં હતા. યાદવના ફોમને જોઈને પૂર્વ બેસ્ટમેન વસીમ જાફરે ચિંતા વ્યક્ત કરી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વન-ડે સીરિઝમાં યાદવ નિષફળ રહ્યો હતો. 3 મેચમાં 22ની એવરેજથી 115.79ની સ્ટ્રાઈક રેટથી માત્ર 44 રન બનાવ્યાં છે. પહેલી અને ત્રીજી મેચમાં 4 અને 6 રન બનાવ્યાં હતા. જ્યારે બીજી મેચમાં તેણે આક્રમક બેટીંગ કરીને 34 રન બનાવ્યાં હતા. એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેસ્ટમેન વસીમ જાફરે જણાવ્યું હતું કે, યાદવ બંને મેચમાં એક જ રીતે આઉટ થયો હતો. સ્લિપમાં ફિલ્ડર હોવાના કારણે તેને રન બનાવવામાં મુશ્કેલી નડી રહી છે. બંને મેચમાં સૂર્યકુમાર યાદવ સ્લિપમાં કેચ આઉટ થયો હતો. વન-ડે અને ટેસ્ટ કિર્કેટ માટે સૂર્યકુમાર યાદવે બેટીંગમાં સુધારો લાવવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપમાં વિસ્ફોટક બેટીંગ કરી હતી. તેમજ હાલ આઈસીસી ટી-20 રેટીંગમાં સૂર્યકુમાર યાદવ ટોચ ઉપર છે. તેમજ યાદવ ક્રિકેટ પ્રેમીઓની પસંદગી બન્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code