1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલે ડૂડલ બનાવીને ભારતના ઓલિમ્પિક મેડલિસ્ટ કેડી જાધવને યાદ કર્યા,જાણો કોણ હતા કેડી જાધવ?
ગૂગલે ડૂડલ બનાવીને ભારતના ઓલિમ્પિક મેડલિસ્ટ કેડી જાધવને યાદ કર્યા,જાણો કોણ હતા કેડી જાધવ?

ગૂગલે ડૂડલ બનાવીને ભારતના ઓલિમ્પિક મેડલિસ્ટ કેડી જાધવને યાદ કર્યા,જાણો કોણ હતા કેડી જાધવ?

0
Social Share

આજે ભારતના દિગ્ગજ કુસ્તીબાજ ખાશાબા દાદાસાહેબ જાધવ (KD જાધવ)ની 97મી જન્મજયંતિ છે.આ અવસર પર સર્ચ એન્જિન ગૂગલે ખાસ ડૂડલ બનાવીને તેમના યોગદાનને યાદ કર્યું છે.Google મોટી હસ્તીઓને યાદ કરવા અને પ્રમુખ ઇવેન્ટને યાદગાર બનાવવા માટે સમય સમય પર ડૂડલ બનાવે છે. ખાશાબા દાદાસાહેબ જાધવ આઝાદી પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ હતા.

કેડી જાધવનો જન્મ 15 જાન્યુઆરી 1926ના રોજ મહારાષ્ટ્રના ગોલેશ્વર ગામમાં થયો હતો. કેડી જાધવ ખૂબ જ સામાન્ય ઊંચાઈના હતા, પરંતુ જ્યારે તેઓ અખાડામાં પ્રવેશ્યા ત્યારે વિશ્વના મોટા કુસ્તીબાજો તેમનાથી ડરી ગયા હતા.કેડી જાધવે હેલસિંકીમાં 1952 સમર ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો.જાધવે જર્મની, મેક્સિકો અને કેનેડાના ખેલાડીઓને હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જો કે, 1952 પહેલા પણ કોલ્હાપુરના મહારાજાએ આ કુસ્તીબાજની પ્રતિભાની નોંધ લીધી હતી.તેણે લંડનમાં 1948 ઓલિમ્પિક ગેમ્સમાં જાધવની સહભાગિતા માટે ભંડોળ આપવાનું નક્કી કર્યું. આંતરરાષ્ટ્રીય કુસ્તીના નિયમોની આદત ન હોવા છતાં અને અત્યંત અનુભવી કુસ્તીબાજો સામે સ્પર્ધા કરવા છતાં, જાધવ છઠ્ઠા સ્થાને રહ્યા, જે તે સમય દરમિયાન ભારતીય કુસ્તીબાજ માટે સર્વોચ્ચ સ્થાન હતો. જાધવ બાદમાં સ્વતંત્રતા પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા હતા.જાધવ એક સારા તરવૈયા અને દોડવીર પણ હતા.

તેમના કુશળ અભિગમ અને હળવા પગે તેમને તેમની કારકિર્દીની શરૂઆતમાં શ્રેષ્ઠ રમતવીરોમાંના એક બનાવ્યા હોવાનું કહેવાય છે.જેડીની ઉંચાઈ માત્ર 5 ફૂટ 5 ઈંચ હતી, પરંતુ તેણે પોતાની વ્યૂહાત્મક લડાઈથી એક ઊંચા કુસ્તીબાજને પણ ટકી રહેવા દીધો ન હતો.જાધવે તેના પિતા (જે એક કુસ્તીબાજ પણ હતા) અને અન્ય વ્યાવસાયિક કુસ્તીબાજોની નીચે તાલીમ લીધી હતી, તેણે અનેક રાજ્ય અને રાષ્ટ્રીય ખિતાબ જીત્યા હતા.જોકે, જાધવ ઘૂંટણની ઈજાને કારણે હેલસિંકી ઓલિમ્પિકમાં જીત બાદ તેની કુસ્તી કારકિર્દી ચાલુ રાખી શક્યો ન હતો.બાદમાં તેણે પોલીસ ઓફિસર તરીકે કામ કર્યું.

1984 માં તેમના મૃત્યુ પછી, મહારાષ્ટ્ર સરકારે તેમને મરણોત્તર છત્રપતિ એવોર્ડ એનાયત કર્યો. 2010 માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ માટે કુસ્તી સ્થળનું નામ પણ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code