1. Home
  2. ગુજરાતી
  3. આજે આર્મી ડેની ઉજવણી,આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન
આજે આર્મી ડેની ઉજવણી,આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન

આજે આર્મી ડેની ઉજવણી,આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન

0
Social Share

બેંગલુરુ:દેશમાં આજે આર્મી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે પહેલીવાર દિલ્હીની બહાર બેંગલુરુમાં પરેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જનરલ મનોજ પાંડેએ બેંગલુરુના ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે તેમણે પોતાનું સંબોધન પણ આપ્યું હતું. આર્મી ચીફે કહ્યું કે પ્રથમ વખત આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય કાર્યક્રમો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બહાર યોજવામાં આવી રહ્યા છે. તેનાથી સેનાને લોકો સાથે જોડાવાની સુવર્ણ તક મળી છે. મને ખાતરી છે કે આ અમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

આર્મી ચીફે કહ્યું કે ગત વર્ષમાં સેનાએ સુરક્ષા પડકારોનો દૃઢ નિશ્ચય સાથે સામનો કર્યો અને સરહદોની સક્રિય અને મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરી. સેનાએ ક્ષમતા વિકાસ, બળ પુનઃસંગઠન અને તાલીમમાં સુધારો કરવા માટે પગલાં લીધાં. આનાથી ભવિષ્યના યુદ્ધો માટેની તેમની તૈયારીઓને વધુ મજબૂત બનાવી.

અમારી સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. સરહદ પર આતંકવાદી ષડયંત્ર હજુ પણ ચાલુ છે પરંતુ આપણા જવાનો દરેક ખૂણા પર નજર રાખી રહ્યા છે. આર્મી ચીફે કહ્યું કે પૂર્વોત્તરમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે.

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે ઉત્તર સરહદી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે. LAC પર મજબૂત સંરક્ષણ જાળવી રાખીને, અમે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.જવાનોને તમામ પ્રકારના શસ્ત્રો, સાધનસામગ્રી અને સુવિધાઓ પૂરતી માત્રામાં આપવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આર્મી ડેના અવસર પર ભારતીય સેનાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે સૈનિકોએ હંમેશા દેશને સુરક્ષિત રાખ્યો છે. કટોકટીના સમયમાં તેમની સેવા માટે તેમની વ્યાપક પ્રશંસા થાય છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે આર્મી ડે પર હું તમામ સૈન્ય જવાનો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભેચ્છાઓ આપું છું. દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે. તેઓએ હંમેશા આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે.

ફિલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પાએ 15 જાન્યુઆરી 1949ના રોજ તેમના બ્રિટિશ પુરોગામી પાસેથી ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો તેની યાદમાં આર્મી ડે ઉજવવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code